Skip to main content

આણંદ તાલુકામાં એક જ કલાકમાં 3 ઈંચ વરસાદથી ઠેરઠેર પાણી ભરાઇ ગયા



આણંદ : આણંદ જિલ્લામાં ગઈકાલ રાત્રિના સુમારે વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. લગભગ એક કલાકના સમયગાળામાં જ આણંદ તાલુકામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે જિલ્લાના સોજિત્રા તાલુકામાં અઢી ઈંચ અને ઉમરેઠ તથા પેટલાદ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ સાંપડયા છે.

ગત તા.૪ જૂનના રોજ રાત્રિના સુમારે મેઘરાજાએ આણંદ જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હતા. ચોમાસાના પ્રારંભે જ આણંદ તાલુકામાં લગભગ સાત ઈંચ વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારબાદ લગભગ પાંચ દિવસ સુધી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પરંતુ ગત સપ્તાહે કેટલાક દિવસો દરમ્યાન મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો. ત્યારબાદ છેલ્લા બે દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ પુનઃ જામ્યો છે. દરમ્યાન સોમવારના રોજ દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રાત્રિના સુમારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને આકાશમાં વીજળીના ચમકારા સાથે મેઘ ગર્જના વચ્ચે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. અચાનક જ જોરદાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી અને સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.

ગઈકાલ રાત્રિના લગભગ ૧૧.૦૦ કલાકની આસપાસના સુમારે આણંદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ હતી અને પ્રારંભથી જ વરસાદનું જોર ભારે રહ્યું હતું. જેના પગલે લગભગ પોણો કલાકમાં જ ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા જ નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જો કે મોડી રાત્રિએ વરસેલ વરસાદના કારણે જાહેર માર્ગો ઉપર વાહનોની અવર-જવર ઓછી હોઈ ઝાઝી તકલીફ સર્જાઈ ન હતી અને સવાર સુધીમાં વિવિધ વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરી ગયા હતા. જિલ્લાના સોજિત્રા તાલુકામાં પણ ગતરાત્રિના સુમારે લગભગ અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પેટલાદ, ઉમરેઠ, બોરસદ અને આંકલાવ તાલુકામાં પોણાથી એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડયા છે. આજે મંગળવારના રોજ પણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

પાણીની નિકાલ માટે મુકવામાં આવેલા સબમર્શીબલના વાયરોની ચોરી થતા ગરનાળામાં પાણી ભરાયા

તાજેતરમાં નવનિર્માણ પામેલ શહેરના તુલસી ગરનાળામાં વરસાદી પાણીના નિકાલ માટે તાજેતરમાં પાલિકા દ્વારા સબમર્શીબલ પંપની વ્યવસ્થા કરાઈ હતી. જો કે ગરનાળા ખાતે મુકવામાં આવેલ ઈલેક્ટ્રીક પેનલ તેમજ વાયરોની ચોરી થઈ જતા ગઈકાલ રાત્રિના સુમારે આણંદ શહેરમાં મુશળધાર વરસાદ વરસતા તુલસી ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને સબમર્શીબલ પંપ બિનઉપયોગી બન્યો હતો.

વરસાદને પગલે વીજળી ડુલ થતા ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાયો

ચોમાસા દરમ્યાન ભારે વરસાદ થતાં વીજળી ડુલ થવાની ફરિયાદોમાં વધારો થતો હોય છે. ગત રાત્રિના સુમારે આણંદ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના આંકલાવ તાલુકામાં પણ ગતરાત્રિના સુમારે લગભગ પોણા ઈંચ જેટલો વરસાદ વરસતા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ડુલ થઈ જવાના બનાવો બન્યા હતા. મહીસાગર નદી કાંઠે આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સુમારે અંધારપટ છવાઈ જતા ગ્રામજનોને ભારે હાડમારીનો સામનો કરવો પડયો હતો. વરસાદ બંધ થઈ ગયા બાદ પણ કલાકો સુધી વીજ પુરવઠો ચાલુ ન થતા ગ્રામજનોને રાત્રિ અંધકારમાં વીતાવવી પડી હતી.

https://ift.tt/3y8XaNQ

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...