<p><strong>Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ</strong></p> <p><strong>Gujarat ATS Operation:</strong>&nbsp;આગામી અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી રથયાત્રા પૂર્વે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા પાટણ જિલ્લાના ઐતિહાસિક સિદ્ધપુર શહેરમાંથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત કનેક્શન ધરાવતા પાંચ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.<br /><br />રથયાત્રા દરમિયાન રાજ્યની સુખાકારી અને શાંતિ ભંગ કરવાના કોઈ પણ આતંકી કાવતરાને અગાઉથી જ નિષ્ફળ બનાવવાના હેતુથી એજન્સી દ્વારા પ્રાપ્ત થયેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ગત મોડી રાત્રે હાથ ધરાયેલા સઘન સર્ચ ઓપરેશન અને દરોડા દરમિયાન આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.<br /><br /></p> <p>અહેવાલો અનુસાર, ગુજરાત ATSની અલગ-અલગ ટીમોએ ગુપ્ત બાતમીના આધારે સિદ્ધપુરના આટવાડા ગામમાં ધામા નાખ્યા હતા, જ્યાં મોડી રાતથી વહેલી સવાર સુધી સઘન ...
<p><strong>Rain Updates News:</strong> રાજકોટ ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભિક તબક્કામાં નહિવત વરસાદ પડવાના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગંભીર જળસંકટની સ્થિતિ ઊભી થઈ છે. હવામાન વિભાગ અને સિંચાઈ વિભાગના અહેવાલો મુજબ, તાજેતરમાં અપૂરતી મેઘમહેરના લીધે રાજકોટ જિલ્લાના મુખ્ય 26 જળાશયો સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો ખાલીખમ જોવા મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પાણીનો બગાડ અટકાવવા અને વૈકલ્પિક આયોજન હાથ ધરવા તાકીદની બેઠકો શરૂ કરી દેવામાં આવી છે.&nbsp;</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>રાજકોટ જિલ્લાના સિંચાઈ વિભાગના સત્તાવાર આંકડ...