<p><strong>Junagadh Rain Updates:&nbsp;</strong>જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ભારે તાંડવ મચાવતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત બનેલા માંગરોળ તાલુકામાં માત્ર 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સાંજે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીના ચાર કલાકમાં જ 12 ઈંચથી વધુ વરસાદ વરસતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>&nbsp;</p> <p>ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકાના 22 જેટલા ગામોનો સંપર્ક તૂટી ગયો છે. અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં...
<p>ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખી રાજ્ય સરકારે લીધો છે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય.. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન, વીજ ટાવર ઉબા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે.. ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા દર લેખે વળતર ચુકવવામાં આવતુ હતુ.. પરંતુ ખેડૂતોના વિવિધ સંગઠનો તરફથી મળતી રજૂઆતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી.. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વકરીયાએ ખેડૂતો સાથે ચર્ચા, વિચાર વિમર્શ અને પરામર્શ કરીને મહત્વનો નિર્ણય કર્યો.. હવેથી ખેડૂતોને જંત્રી આધારિત નહીં, પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવના બમણા ભાવ ચુકવવાનો ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે.. આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં નંખાતા વીજ ટાવરના બેઝ વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર અપાતુ હતુ. પરંતુ હવેથી ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તાનરી દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વળતર ચુકવવ...