https://ift.tt/w7IFr1N બનાસકાંઠા જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે ખુશખબર છે. બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે નવીન i-ખેડૂત પોર્ટલ 2.0 (https://ikhedut.gujarat.gov.in) ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખેડૂતો 27 માર્ચ, 2026 થી 26 એપ્રિલ, 2026 સુધી આ પોર્ટલ પર અરજી કરી શકશે. આ યોજનાઓમાં કૃષિ યાંત્રિકરણ (જેમ કે મીની ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટીવેટર, ટ્રેલર, પાણીનું ટેન્કર), કાચા/પાકા શાકભાજી મંડપ, હાયબ્રીડ શાકભાજી પાકોનું વાવેતર, પ્રાકૃતિક કૃષિ, ફળ પાકોમાં ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ (આંબા, જામફળ, કેળ, પપૈયા), ટીશ્યું કલ્ચર ખારેક, કમલમ, દાડમ, સુગંધીત પાકો, ફૂલ અને મસાલા પાકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મધમાખી પાલન માટે સહાય, ખેતર પરના ગ્રેડિંગ-શોર્ટીંગ-પેકિંગ એકમો, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી, નેટ હાઉસ, મલ્ચીંગ, ક્રોપ કવર, વોટર સોલ્યુબલ ખાતર, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા, પેકિંગ મટીરીયલ્સ, મહિલા તાલીમાર્થીઓને વૂતિકા સહાય, કોલ્ડ સ્ટોરેજ, રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ, પ્રોસેસિંગ યુનિટ અને સોલાર ક્રોપ ડ્રાયર જેવા વિવિધ ઘટકો પણ ઉપલબ્ધ છે. અરજી કરવા માટે, ખેડૂતોએ સૌપ્રથમ મોબાઈલ નંબર દ્વારા રજી...
<p><strong>PM Modi Gujarat Visit:</strong> પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026 ના રોજ ફરી એકવાર ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે. તેમની આ મુલાકાત ગુજરાત માટે વિકાસની એક નવી વણઝાર લઈને આવશે. બનાસકાંઠાના વાવ-થરાદ ખાતે યોજાનારા એક ભવ્ય કાર્યક્રમમાં પીએમ મોદી કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને રેલવે વિભાગના ₹10,921 કરોડના પ્રોજેક્ટ્સ તેમજ ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ₹8,886 કરોડના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ જ કાર્યક્રમમાં વડાપ્રધાન રાજ્યના 34 જિલ્લાઓના 38,949 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેમના નવા ઘરમાં ગૃહપ્રવેશ પણ કરાવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી હર્ષ સંઘવી સહિતના વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ પણ હાજર રહેશે.</p> <p><strong>કેન્દ્ર સરકારના ₹10,921 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ</strong></p> <p>આ મુલાકાત દરમિયાન ભારત સરકારના અલગ-અલગ મંત્રાલયોના કામોને વેગ મળશે.</p> <p>ઊર્જા ક્ષેત્ર: કચ્છના ખાવડા ખાત...