Skip to main content

Posts

મતદાન પહેલા જ ગુજરાતમાં ભાજપનો ડંકો: નવસારી, ખેડા, કચ્છ, તાપી અને પાટણમાં અનેક બેઠકો પર બિનહરીફ જીત!

<p><strong>BJP Unopposed Win Gujarat: </strong>સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હજુ મતદાનની પ્રક્રિયા બાકી છે, પરંતુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ અત્યારથી જ પોતાની જીતના શ્રીગણેશ કરી દીધા છે. રાજ્યના નવસારી, ખેડા, કચ્છ, તાપી અને પાટણ એમ અલગ-અલગ વિસ્તારોમાં મતદાન પહેલા જ ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સામે અન્ય કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ ન ભરતા આ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોને સીધી જ લોટરી લાગી ગઈ છે. ચૂંટણી પહેલા જ આ પરિણામો આવી જતા કાર્યકરો અને ઉમેદવારોમાં અગાઉથી જ જશ્નનો માહોલ છવાઈ ગયો છે.</p> <p><strong>નવસારીમાં ભાજપને મળી સૌથી મોટી બિનહરીફ જીત</strong></p> <p>દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ભાજપે કમાલ જ કરી દીધી છે. અહીં મતદાન પહેલા જ પાર્ટીએ કુલ 9 બેઠકો પોતાના નામે કરી લીધી છે, જેમાં જિલ્લા પંચાયતની 3 અને ગણદેવી તાલુકા પંચાયતની 6 બેઠકોનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો, બિગરી બેઠક પરથી ભીખુ પટેલ, ઘેજ બેઠક પરથી અમિતાબેન અને દેવસર બેઠક પરથી રેખા પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ઉપરાંત,...
Recent posts

Gujarat Local Body Election Live :આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ, અમદાવાદમાં ભાજપે 124 સિટિંગ કોર્પોરેટરની કાપી ટિકિટ

<p><strong>Gujarat Local Body Election Live :</strong>સ્થાનિક સ્વરાજની ચૂંટણીની &nbsp;તારીખની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પક્ષે વિજય માટે કવાયત શરૂ કરી દીધી હતી. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં , '15 મહાનગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયત માટે સામાન્ય ચૂંટણી યોજાશે.' &nbsp;રાજ્યમાં &nbsp;26મી એપ્રિલના રોજ &nbsp;સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે તથા 28મી એપ્રિલે પરિણામો જાહેર થશે.ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે, જેથી રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યના એકમો મતદારોને પ્રભાવિત કરે, તેવી જાહેરાતો નહીં કરી શકે.11મી એપ્રિલ સુધીમાં ઉમેદવારો ચૂંટણી ફૉર્મ ભરી શકશે અને બે દિવસ પછી તેની એટલે કે 13મી એપ્રિલના તેની ચકાસણી હાથ ધરવામાં આવશે. 15મી એપ્રિલ સુધીમાં ઉમેદવાર પોતાનું ફૉર્મ પરત ખેંચી શકશે.ગુજરાતના ચૂંટણીપંચના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આગામી ચૂંટણી દરમિયાન ચાર કરોડ 19 લાખ જેટલા મતદારો તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. મતદાન ૨૬ એપ્રિલ, ૨૦૨૬ન...

ભરતી:GSSSBમાં 90 સ્ટાફ નર્સની ભરતી કરવાનો નિર્ણય

https://ift.tt/y19mbSw ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 90 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરાઈ છે. આ માટે 13 એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે. લાયકાત ધરાવતા ઉમેદવારો https;/ojas.gujarat. gov.in પર જઈ અરજી કરી શકાશે. મંડળની વેબસાઈટ www.gsssb.guj.gov.in પર આ પોસ્ટની ભરતીની વિગતો મૂકવામાં આવી છે. જેના માટે નિર્ધારિત કરેલી ડિપ્લોમા ઈન આયુર્વેદિક નર્સીંગની શૈક્ષણિક લાયકાત આવશ્યક છે. આ ઉપરાંત કમ્પ્યુટર નોલેજની જાણકારી પણ આવશ્યક છે. આ ઉપરાંત ગુજરાતી, હિન્દીની ભાષાની જાણકારી પણ જરુરી છે. 18થી 45 વર્ષની વયજૂથના ઉમેદવારો અરજી કરી શકશે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા એપ્લિકેશન ફી રાખવામાં આવી છે, જ્યારે રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને માટે 400 રૂપિયા એપ્લિકેશન ફી નિર્ધારિત કરાઈ છે. સ્ટાફ નર્સ (આયુર્વેદ)ની પોસ્ટ માટે પાંચ વર્ષ માટે 40,800નો ફિક્સ પગાર નક્કી કરાયો છે. 90 સ્ટાફ નર્સની ભરતી માટે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે .

Gujarat Weather Update: કાળઝાળ ગરમીનો શરૂ થશે રાઉન્ડ: હવામાન વિભાગની આગાહી

<p>રાજ્યમાં આજથી આકરા તાપ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.. આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે..</p> <p>રાજ્યમાં આજથી આકરા તાપ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે.. તાપમાન વધવા પાછળ હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણભૂત ગણાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ગરમી અને અકળામણ અનુભવાશે. આજના તાપમાનની વાત કરીએ તો ભૂજમાં સૌથી ઉંચુ 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટ અને ડિસામાં તાપમાનનો પારો 37.1 ડિગ્રી પર પહોંચી ગયો છે.. તો સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી, અમરેલીમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું.. કેશોદમાં 35.8 ડિગ્રી, અમદાવાદમાં 35.7 ડિગ્રી, તો ગાંધીનગરમાં 35.4 ડિગ્રી અને વડોદરામાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું.&nbsp;</p>

Gujarat Weather: રાજ્યમાં ગરમીનો રાઉન્ડ થશે શરૂ, આગામી 5 દિવસ માટે અપાયું યલો એલર્ટ

<p><strong>Gujarat Weather:</strong>છેલ્લા કેટલાક દિવસથી વેઘરની પેર્ટન ચેન્જ થતાં આ વર્ષે માર્ચમાં ઉનાળામાં જે ગરમી પડે, તેવી ગરમીનો અનુભવ ન થઇ શક્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવતાં &nbsp;ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ માવઠું થયું છે. જો કે હવે માવઠાનું સંકટ ટળ્યું છે. &nbsp;હવામાન વિભાગે હવે તાપમાનમાં વધારો થવાના સંકેત આપ્યાં છે. આગામી દિવસોમાં &nbsp;4 ડિગ્રી તાપમાનમાં વધારો થઇ શકે છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે.</p> <p>ઉલ્લેખનિય છે કે, 11 એપ્રિલે વધુ એક સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે આ સિસ્ટમ ભારતના દક્ષિણ અને પૂર્વ વિસ્તારને અસર કરશે અને આ વિસ્તારમાં તેના કારણે કમોસમી વરસાદ થશે. પરંતુ આ સિસ્ટમથી ગુજરાતના વાતાવરણમાં કોઇ અસર નહિ થાય. આકશ સ્વસ્છ રહેશે અને તાપમાનો પારો ઉંચે જતાં અકળાવતી ગરમીનો અનુભવ થશે</p> <p>&nbsp;11થી 14 એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. કોસ્ટલ ક્ષેત્રમાં ગરમ અને ભેજવ...

ભાસ્કર એક્સક્લુસિવ:પરિવારને 5, સંસ્થાને 25 લિ. કેરોસીન મળશે

https://ift.tt/DcQd26F ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં રાંધણ ગેસ ઉપરાંત કેરોસીનની જરૂરિયાતને પહોંચી વળવા માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. જેના અનુસંધાને કચ્છમાં કેરોસીન ડીલર એસોસિયેશન અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સહયોગથી જિલ્લામાં કેરોસીન વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાવાર 36 KL (કિલો લિટર) કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. આ જથ્થાનો ઉપયોગ મુખ્યત્વે રાંધવા અને પ્રકાશની વ્યવસ્થા (લાઇટ) માટે જ કરી શકાશે. જેમાં પરિવાર દીઠ 5 લિટર કેરોસીન અને સંસ્થા દીઠ 25 લિટર કેરોસીન એક જ વખત મેળવી શકશે. જો કે કેરોસીન મેળવવા ઈચ્છતા લોકો માટે NIC દ્વારા ઓનલાઈન URL: https://ift.tt/HGNgunw પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જે-તે તાલુકા સ્તરેથી જ્યારે ઓછામાં ઓછા 12,000 લિટર (1 ટેન્કર લોડ) કેરોસીનની ઓનલાઈન માંગણી નોંધાશે, ત્યારે તાત્કાલિક અસરથી તે તાલુકાના નિયત કરેલા પેટ્રોલ પંપ પરથી વિતરણ શરૂ કરી દેવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશન અને અન્ય આનુષંગિક ખર્ચાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં કેરોસીન...

Local Body Election : BJP એ વાવ-થરાદમાં જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 

<p><strong>ગાંધીનગર:</strong> &nbsp;સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તબક્કાવાર ઉમેદવારો જાહેર &nbsp;કરવામાં આવી રહ્યા છે. ભાજપે અરવલ્લી જિલ્લાની યાદી જાહેર કરી અને સુરેન્દ્રનગર મનપાના ઉમેદવારો જાહેર કર્યા હવે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં વાવ-થરાદ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી <a href="https://twitter.com/iJagdishBJP?ref_src=twsrc%5Etfw">@iJagdishBJP</a> ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં વાવ-થરાદ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. <a href="https://twitter.com/hashtag/%E0%AA%95%E0%AA%AE%E0%AA%B3_%E0%AA%96%E0%AB%80%E0%AA%B2%E0%AA%B6%E0%AB%87_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8_%E0%A...