<p><strong>Rajasthan road accident:</strong> બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના લોકો માટે રાજસ્થાનનો પ્રવાસ ગોઝારો સાબિત થયો છે. રણુજા (રામદેવરા) ખાતે દર્શન કરીને પાછા ફરી રહેલા યાત્રાળુઓની કાર રાજસ્થાનના ભારતમાલા રોડ પર અચાનક નીલગાય સામે આવી જતાં પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં થાવર ગામના 3 આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.</p> <p><strong>કેવી રીતે સર્જાયો અકસ્માત?</strong></p> <p>મળતી માહિતી મુજબ, ધાનેરાના થાવર ગામના આ યાત્રાળુઓ પોતાની સ્કોર્પિયો કારમાં રણુજા દર્શન માટે ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે બાલોતરા જિલ્લાના આસોતરા નજીક ભારતમાલા રોડ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. આ સમયે અચાનક જ એક નીલગાય રસ્તા પર દોડી આવી હતી. નીલગાયને બચાવવા જતાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી ...
<p>Rain Forecast:હવામાનને લઈને જાણીતા હવામાન નિષ્ણાંત Ambalal Patel દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 મેના રોજ આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ 26 મે આસપાસ કેરળ કાંઠે ચોમાસાનું આગમન થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.તેમણે વધુમાં જણાવ્યું કે, અરબ સાગર આગામી દિવસોમાં વધુ સક્રિય રહેશે અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા પણ છે. 19 મેથી 23 મે દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ ઉપરાંત 8 જૂનના રોજ અરબ સાગરમાં પવનની દિશામાં ફેરફાર થવાની શક્યતા હોવાનું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. જ્યારે 23 જૂનથી 28 જૂન વચ્ચે રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે આ આગાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. &nbsp;&nbsp;</p> <p><iframe title=&...