Skip to main content

Posts

ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો પલટી, ધાનેરાના ૩ આશાસ્પદ યુવાનોના કરુણ મોત

<p><strong>Rajasthan road accident:</strong> બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના લોકો માટે રાજસ્થાનનો પ્રવાસ ગોઝારો સાબિત થયો છે. રણુજા (રામદેવરા) ખાતે દર્શન કરીને પાછા ફરી રહેલા યાત્રાળુઓની કાર રાજસ્થાનના ભારતમાલા રોડ પર અચાનક નીલગાય સામે આવી જતાં પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં થાવર ગામના 3 આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.</p> <p><strong>કેવી રીતે સર્જાયો અકસ્માત?</strong></p> <p>મળતી માહિતી મુજબ, ધાનેરાના થાવર ગામના આ યાત્રાળુઓ પોતાની સ્કોર્પિયો કારમાં રણુજા દર્શન માટે ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે બાલોતરા જિલ્લાના આસોતરા નજીક ભારતમાલા રોડ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. આ સમયે અચાનક જ એક નીલગાય રસ્તા પર દોડી આવી હતી. નીલગાયને બચાવવા જતાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી ...
Recent posts

Rain Forecast: 19 મેથી 23 મે વચ્ચે આ જિલ્લામાં વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની આગાહી

<p>Rain Forecast:હવામાનને લઈને જાણીતા હવામાન નિષ્ણાંત Ambalal Patel દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 મેના રોજ આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ 26 મે આસપાસ કેરળ કાંઠે ચોમાસાનું આગમન થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.તેમણે વધુમાં જણાવ્યું કે, અરબ સાગર આગામી દિવસોમાં વધુ સક્રિય રહેશે અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા પણ છે. 19 મેથી 23 મે દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ ઉપરાંત 8 જૂનના રોજ અરબ સાગરમાં પવનની દિશામાં ફેરફાર થવાની શક્યતા હોવાનું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. જ્યારે 23 જૂનથી 28 જૂન વચ્ચે રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે આ આગાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.   </p> <p><iframe title=&...

સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ:સુગમ ગુજરાત ડિજિટલ પોર્ટલથી આવક, જ્ઞાતિના દાખલાથી લઈને રેશનકાર્ડ સહિતની 20 સેવાઓ ઘર બેઠા મળી રહેશે

https://ift.tt/56LW0yM પાલનપુર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ સરકારે 5 મુખ્ય વિભાગોની 20 જેટલી હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, સોગંદનામા સહિતની અનેક સેવાઓ હવે ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ પદ્ધતિથી ઘરે બેઠા મેળવી શકાશે. નાગરિકો મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા અરજી કરી શકે છે તેમજ અરજીની સ્થિતિ પણ ઓનલાઇન જાણી શકે છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ડિજિટલ વ્યવસ્થાના અમલથી લાંબી લાઈનો, વારંવાર કચેરીએ ધક્કા અને દસ્તાવેજોની હાર્ડકોપીની ઝંઝટમાં ઘટાડો થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને સમયસર દાખલા મળી રહે તે માટે વહીવટી તંત્ર સતત કાર્યરત છે. નાગરિકોને આ પોર્ટલનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. ટેકનોલોજીના ઉપયોગથી શાસન વ્યવસ્થા વધુ પારદર્શક અને સરળ બની રહી છે. પોર્ટલ પર 20 સેવાઓ 1.આવકનો દાખલો 2.જાતિનો દાખલો (SC/ST) 3.SEBC દાખલો 4.નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર 5.EWS પ્રમાણપત્ર 6.અધિવાસ પ્રમાણપત્ર 7.ખેડૂત પ્રમાણપત્ર 8.વારસાઈ પ્રમાણપત્ર અરજી...

વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો

<p><strong>census 2027 online registration:</strong> ભારત સરકારે આગામી 2027 ની વસ્તી ગણતરીને એકદમ સરળ, સચોટ અને ડિજિટલ બનાવવા માટે દેશમાં 'સ્વ ગણના' (Self-Enumeration) પ્રક્રિયાની વિધિવત શરૂઆત કરી દીધી છે. આનો સીધો અર્થ એ છે કે હવે તમારે માહિતી આપવા માટે સરકારી કર્મચારીના ઘરે આવવાની રાહ જોવી નહીં પડે. તમે જાતે જ ઘરે બેઠા તમારા અને તમારા પરિવારની વિગતો ઓનલાઈન જમા કરી શકશો. ગુજરાત રાજ્યમાં આ પ્રક્રિયા આવતીકાલ એટલે કે 17 મે, 2026 થી શરૂ થવા જઈ રહી છે અને તમે 31 મે, 2026 સુધી તમારી વિગતો નોંધાવી શકશો.</p> <p>'જનગણના સે જન કલ્યાણ' ના નારા સાથે શરૂ થયેલા આ નવા અને મહત્વપૂર્ણ પ્રયોગ હેઠળ, ગુજરાતના નાગરિકો 17 મે ની રાત્રે 12:00 વાગ્યાથી સત્તાવાર વેબસાઈટ https://ift.tt/QgVCSNA પર જઈને એકદમ સુરક્ષિત રીતે પોતાનો ડેટા સબમિટ કરી શકશે. સરકારની આ નવી ડિજિટલ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ડેટાને વધુ સચોટ બનાવવાનો છે. વસ્તી ગણતરી વિભાગ (Census of India 2027) દ્વારા દેશના તમામ નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ પોર્ટલની...

Weather Update: રાજ્યમાં આ તારીખથી શરૂ થશે પ્રિમોનસૂન એક્ટિવિટી, હળવા વરસાદની આગાહી

<p><strong>Ambalala Forecast:</strong> વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 18 મેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ 18 મેથી <a title="પ્રિ-મોન્સૂન " href="https://ift.tt/wduO9xp" target="_self">પ્રિ-મોન્સૂન </a>એક્ટિવિટીના કારણે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે અને વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ આગામી દિવસોમાં ગરમીથી લોકોને થોડી રાહત મળી શકે છે. બીજી તરફ મુંબઈમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 21થી 23 જૂન દરમિયાન મુંબઈના કેટલાક વિસ્તારોમાં ચાર ઇંચ સુધી વરસાદ વરસી શકે છે.</p> <p>...

Amit Shah Gujarat Visit: અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, જુઓ પળેપળની અપડેટ

<p>કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, જ્યાં તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ સભાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે સવારે 10:00 વાગ્યે, તેઓ એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબ પાસે સ્થિત દક્ષિણ-પશ્ચિમ ઝોન કાર્યાલયમાં મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી. આ બેઠકમાં 'ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા' હેઠળ વૃક્ષારોપણ, વિકાસ કાર્યો, તળાવોને ઇન્ટરલિંક કરવા અને તેમના નવીનીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.</p> <p>કેન્દ્રીય ગૃહમંત્રી બપોરે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરશે, જેમાં ખાસ કરીને એસજી હાઇવેના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, અધિકારીઓ ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા માણસા નગરપાલિકામાં તળાવો, હોસ્પિટલો અને અન્ય જન કલ્યાણકારી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે. આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહે તેવી અપેક્ષા છે.</p>

અમિત શાહનો 2 દિવસ ગુજરાત પ્રવાસ, ગાંધીનગર, અમદાવાદને મળશે નવા પ્રોજેક્ટસ

<p>કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, જ્યાં તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ સભાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે સવારે 10:00 વાગ્યે, તેઓ એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબ પાસે સ્થિત દક્ષિણ-પશ્ચિમ ઝોન કાર્યાલયમાં મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી. આ બેઠકમાં 'ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા' હેઠળ વૃક્ષારોપણ, વિકાસ કાર્યો, તળાવોને ઇન્ટરલિંક કરવા અને તેમના નવીનીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>એસજી હાઇવે અને માણસા નગરપાલિકા વિકાસ પ્રોજેક્ટ્સ પર ચર્ચા<br />કેન્દ્રીય ગૃહમંત્રી બપોરે ગ...