Skip to main content

Posts

PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ

<p>દેશમા ઈંધણની બચત કરવા માટે વડાપ્રધાન મોદીએ કરેલી વિશેષ અપીલને પગલે ગુજરાત યુનિવર્સિટીએ પણ પેટ્રોલ- ડિઝલના ઉપયોગમાં ઘટાડા અંગેનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટીના તમામ વિભાગો અને ભવનોના અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે હવે કાર પુલિંગની વ્યવસ્થા અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવી છે. આ નવી વ્યવસ્થાથી વાહનોની સંખ્યામાં ઘટાડો કરી પર્યાવરણ જાળવણીમાં તેમજ ઈંધણની બચતમાં ફાળો આપવાનો મુખ્ય ઉદ્દેશ છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=ssVU_2e9NWNTdpju" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>યુનિવર્સિટીના પરિપત્ર મુજબ કેમ્પસમાં કાર્યરત તમામ સ્ટાફને ઈંધણ બચાવવા માટે પ્રોત્સાહિત કરાયા છે. પરિપત્રમાં સ્પષ્ટપણે સૂચના અપાઈ છે કે જે કર્મચારીઓ અથવા અધિકારીઓ આસપાસના વિસ્તારોમાં રહે છે તેમણે શક્ય હ...
Recent posts

કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર

<p>દેશની આર્થિક સ્થિતિ અને ઊર્જા બચતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને સાત અપીલ કરી હતી, જેમાં ઇંધણનો બચાવ કરવાનો પણ સામેલ છે. વડાપ્રધાનની આ અપીલની સીધી અને મોટી અસર ગુજરાતમાં જોવા મળી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ પીએમ મોદીની અપીલનો સહર્ષ સ્વીકાર કરી નિર્ણય કર્યો કે હવેથી તેઓ કોઈ પણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં પાયલોટિંગ અથવા એસ્કોર્ટ ગાડીઓના કાફલાનો ઉપયોગ કરશે નહીં. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=ssVU_2e9NWNTdpju" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>કેન્દ્રીયમંત્રી પાટીલે જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પાયોલોટિંગ કે એસ્કોર્ટ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે. પાટીલે કહ્યું કે વિશ્વ...

પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો

<p><strong>PM Modi appeal 2026:</strong> દેશની આર્થિક સ્થિતિ અને ઊર્જા બચતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને સાત અપીલ કરી હતી, જેમાં એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવાની વાત પણ સામેલ હતી. વડાપ્રધાનની આ અપીલની સીધી અને મોટી અસર ગુજરાતમાં જોવા મળી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનની વાતને શિરોમાન્ય ગણીને પોતાનો આગામી અમેરિકાનો પ્રવાસ તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે. આ સાથે જ તેમણે રાજ્યના નાગરિકોને પણ પીએમ મોદીની આ ઝુંબેશમાં પૂરો સહયોગ આપવા વિનંતી કરી છે.</p> <p>વાત જાણે એમ છે કે, આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અમેરિકામાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા બીજા ગુજરાતી કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપવાના હતા. પરંતુ, પીએમ મોદીએ દેશના હિત માટે લોકોને 1 વર્ષ સુધી બિનજરૂરી વિદેશ યાત્રા ન કરવાની સલાહ આપી, જેના બીજા જ દિવસે હર્ષ સંઘવીએ પોતાનો આ પ્રવાસ કેન્સલ કરી દીધો છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે દેશન...

ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?

<p><strong>Gujarat heatwave 2026:</strong> મે મહિનો શરૂ થતાં જ ગુજરાતમાં ગરમીએ જાણે ભુક્કા બોલાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના પાંચ શહેરોમાં પારો 44°Cને પાર પહોંચી ગયો છે, જેમાં સુરેન્દ્રનગર 45.5°C સાથે સિઝનનું સૌથી ગરમ શહેર બની ગયું છે. આકરી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને હીટ સ્ટ્રોકના કેસો વધતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. જોકે, આકાશમાંથી વરસી રહેલી આ આગ વચ્ચે એક રાહતના સમાચાર પણ છે કે દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં 4 દિવસ વહેલું દસ્તક આપી શકે છે.</p> <p>હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ, છેલ્લા પાંચ જ દિવસમાં ગરમીના પારામાં 2થી 4 ડિગ્રીનો ઉછાળો આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, કંડલા એરપોર્ટ, અમરેલી અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં તો તાપમાન 44°Cની ઉપર જતું રહ્યું છે. સુરતની વાત કરીએ તો, 11 મેનો દિવસ ત્યાં સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો, જ્યાં 42.2°C તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 6.8°C વધારે છે. સોમવારે નોંધાયેલા તાપમાને તો આ સિ...

Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?

<p>રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45.5 અને કંડલામાં 45.4 ડિગ્રી સુધી પહોંચતા લોકો તોબા પોકારી ઉઠ્યા. આ ઉપરાંત અમરેલીમાં 44.3 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી, ડીસામાં 43.5 ડિગ્રી, રાજકોટમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું. બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં સુકુ હવામાન પ્રવર્તી રહ્યું છે..જેના કારણે કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના હાલ કોઈ સંકેત નથી. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના 12 જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ, વડોદરા, સુરત અને વડોદરામાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. જ્યારે રાજકોટ, અમરેલી, દ્વારકા, અને બોટાદમાં પણ ગરમી ભૂક્કા બોલાવશે. આગ ઝરતી ગરમીના કારણે લોકો બપોરે કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે ભરચક રહેતા વિસ્તારોમાં પણ ટ્રાફિક નહિવત હતો..</p>

Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર

<p>Heatwave :  રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45.5 અને કંડલામાં 45.4 ડિગ્રી સુધી પહોંચતા લોકો તોબા પોકારી ઉઠ્યા હતા. ઉપરાંત અમરેલીમાં 44.3 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી, ડીસામાં 43.5 ડિગ્રી, રાજકોટમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=4VOt34BlqWTjle9e" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>ગરમીમાંથી રાહત મળવાના હાલ કોઈ સંકેત નથી</strong></p> <p>બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં સુકુ હવામાન પ્રવર્તી રહ્યું છે. જેના કારણે ક...

4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ

<p><strong>Gujarat heatwave alert:</strong> ગુજરાતમાં ગરમી હવે તેનો અસલી મિજાજ બતાવી રહી છે. આગામી 4 દિવસ સુધી રાજ્યમાં માથું ફાડી નાખે તેવી કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હીટવેવના કારણે તાપમાન 44°C ને પાર પહોંચી શકે છે, તેથી બપોરના સમયે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જ હિતાવહ છે. હવામાન વિભાગે ગરમીની ગંભીરતાને જોતા કચ્છ અને સુરેન્દ્રનગર એમ 2 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' અને અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. એવી પણ પૂરી સંભાવના છે કે આગામી એક-બે દિવસમાં ચાલુ સિઝન અને ગયા વર્ષની ગરમીના જૂના રેકોર્ડ તૂટી શકે છે.</p> <p><strong>સાયક્લોનિક સર્ક્યુલેશન વધારશે ગરમી</strong></p> <p>હવામાન વિભાગની માહિતી મુજબ, નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આના કારણે આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3°C નો વધારો થઈ શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. ...