Skip to main content

Posts

Gujarat Rain: રાજ્યમાં માવઠાનું અનુમાન, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી વરસાદની આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની શક્યતા છે. &nbsp;આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ માવઠું પડી શકે છે. હવામાન વિભાગ મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી વિસ્તારમાં કમોસમી વરસાદનું અનુમાન છે. &nbsp;</p> <p><strong>વાવાઝોડા જેવી સ્થિતિ સાથે માવઠાની શક્યતા</strong></p> <p>હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. અહી ભરૂચ, તાપી, સુરત, નર્મદા, છોટાઉદેપુર વગેરે જિલ્લાઓમાં હળવો વરસાદ અને પવન સાથે ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. &nbsp;આજે વાવાઝોડા જેવી સ્થિતિ સાથે માવઠાની શક્યતા વધુ છે. &nbsp;</p> <p><strong>લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી વચ્ચે રહેશે</strong></p> <p>અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા છે. &nbsp;24 ફેબ્રુઆરીથી મિશ્ર ઋતુની અસર રહેશે. રાજ્યના હવામાનમાં પલટો આવશે, પરંતુ મોટા ભાગે શુ...
Recent posts

Gujarat Unseasonal Rain : ગુજરાતમાં આગાહી પ્રમાણે પડ્યું માવઠું, ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ?

<p data-path-to-node="0">ગુજરાતમાં વહેલી સવારથી જ હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડતાં શિયાળુ પાક અને કેરીના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે. આ આકાશી આફતે ખાસ કરીને ખેડૂતો અને સવારના સમયે ઓફિસ જતાં નોકરીયાત વર્ગની મુશ્કેલીમાં વધારો કર્યો છે.</p> <p data-path-to-node="0">ગુજરાતમાં વહેલી સવારથી બદલાયેલા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાની ગંભીર આગાહી કરવામાં આવી છે. આ આકાશી આફત અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી અને સુરતમાં પણ આગામી 3 કલાકમાં માવઠું પડવાની વકી છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.</p>

સાહેબ મિટિંગમાં છે:IAS અધિકારીનું ઓફિસની જ મહિલા કર્મચારી સાથે ઈલુ-ઈલુ!, કેબિનેટ મંત્રીએ બેસાડી રાખતા પૂર્વ મંત્રીનો બાટલો ફાટ્યો

https://ift.tt/18RyUMA દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ગાંધીનગરમાં IAS અધિકારીનું ઓફિસની મહિલા કર્મચારી સાથે ઈલુ ઈલુ! ગાંધીનગરમાં ફરજ બજાવતા એક IAS અધિકારીને તેની ઓફિસમાં ફરજ બજવતી એક મહિલા અધિકારી સાથે ઈલુ ઈલુ કરી રહ્યા છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ, આ અધિકારી પોતાના પરિવારથી ત્રસ્ત છે. પત્ની સાથે અણબનાવ છે. દંપતી વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી એક ઘરમાં રહેવા છત્તા બોલવાના પણ સંબંધો નથી. પરિવારથી દુઃખી એવા આ સનદી અધિકારી ઓફિસના કામમા પણ પુરતું ધ્યાન આપી શકતા નથી. ટેન્ડરો સહિતની અનેક મહત્વની ફાઈલોમાં લોચા મારી રહ્યા છે. થોડો સમય પહેલા ફાઈલ ઉપર તેઓએ એવુ લખ્યું કે, ટેન્ડરની પ્રાઈઝ ઓપન કરવાની જરુર નથી. તેમજ ચોક્કસ કંપનીને ટેન્ડર એલોટ પણ કરી દીધુ હતુ. આ સંદર્ભમાં એક સિનિયર IAS અધિકારીએ એવુ કહ્યું કે, આમાં તેમણે કૌભાંડ કર્યુ હોય એવુ લાગતું નથી પણ તે માનસિક રીતે સ્વસ્થ નથી. આ સ્થિતિમાં તેમની સાથે ઓફિસની એક મહિલા અધિકારી નજીક આવી ગઈ છે. બન્...

લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારા કરવા ગેઝેટમાં ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર:વાંધા-સૂચનો મંગાયા, અરજી કર્યાના 40માં દિવસે મેરેજ સર્ટિફિકેટ મળશે

https://ift.tt/gN6aH7f ગુજરાત સરકારે Gujarat Registration of Marriages Act, 2006 હેઠળ લગ્ન નોંધણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારા કરવા માટે ગેઝેટમાં ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ પ્રસ્તાવ મુજબ હવે લગ્ન નોંધણી વધુ કડક અને પારદર્શક બનાવાશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ સૂચનાના આધારે 30 દિવસ સુધી જનતા તરફથી વાંધા-સૂચનો માંગવામાં આવ્યા છે. સુધારાઓ મુજબ હવે લગ્ન નોંધણી માટેનો મેમોરેન્ડમ સંબંધિત આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને જમા કરાવવો પડશે અને તેની સાથે નક્કી કરાયેલ ફોર્મ તથા ફી ફરજિયાત રહેશે. વર-વધુની સહી સાથે બે સાક્ષીઓની સહી જરૂરી રહેશે. જરૂરી દસ્તાવેજોમાં વધારો માતા-પિતાની વિગતો ફરજિયાત સુધારા મુજબ હવે વર અને વધુ બંનેએ તેમના માતા-પિતાની સંપૂર્ણ માહિતી આપવી પડશે, જેમાં આધાર કાર્ડ (હોય તો), પૂરું નામ, રહેઠાણનું સરનામું અને મોબાઇલ નંબર સામેલ રહેશે. 10 દિવસમાં માતા-પિતાને જાણ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા મેમોરેન્ડમ પૂર્ણ હોવાની ખાતરી થયા બાદ 10 દિવસની અંદર વર-વધુના માતા-પિતાને સ્પીડ પોસ્ટ અથવા અન્...

Gujarat Weather : રાજયમાં ગરમીનું વધશે પ્રમાણ કે વાતાવરણમાં પલટા સાથે હજુ વરસશે કમોસમી વરસાદ?

<p><strong>Weather Forecast:</strong> રાજયમાં 20 ફેબ્રુઆરીથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો, વાદળછાયા વાતાવરણ અને ભારે પવન વચ્ચે અનેક જગ્યાએ છૂટછવાયો વરસાદ વરસ્યો. હવામાન વિભાગે આજે પણ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાય વાતાવરણ વચ્ચે છૂટછવાયા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. ગઇ કાલે પંચમહાલ, મહિસાગર, દાહોદ, વડોદરા સહિતના આસપાસના વિસ્તારમાં છૂટછવાયો હળવો વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનિય છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર એરિયાના કારણે રાજ્યના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. &nbsp;ગરમ અને ઠંડી હવા ભેગી થતાં વાદળા બંઘાતા કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં હવે તાપમાનનો પારો ધીરે ધીરે ઉંચકાશે અને ઉનાળાની શરૂઆત થઇ જશે, ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે.&nbsp;</p> <p>હવામાન વિભાગે શુક્રવારથી કેટલાક રાજ્યોમાં હવામાનની સ્થિતિ વધુ ખરાબ થવાની આગાહી કરી હતી. વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં આ જ ક્ષેત્રમાં બીજો નીચું દબાણ ક્ષેત્...

શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સુધારો: હવે ફિક્સ પગારનો અનુભવ ગણાશે માન્ય, પ્રોફેસરોને મળશે ઝડપી બઢતી

<p><span style="font-weight: 400;"><strong>Gujarat Education Department circular 2026:</strong> ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આજે 20 February 2026 ના રોજ રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતા હજારો અધ્યાપકોના હિતમાં એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. લાંબા સમયથી ચાલી આવતી વિસંગતતાઓને દૂર કરવા માટે વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે, હવેથી અધ્યાપક સહાયક તરીકેના </span><strong>5</strong><span style="font-weight: 400;"> વર્ષના ફિક્સ પગારના સમયગાળાને શૈક્ષણિક અનુભવ તરીકે સ્વીકારવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણમાં વર્ષોથી સેવા આપતા વિદ્વાન અધ્યાપકોને અન્યાય થતો અટકાવવાનો અને તેમને વહેલી તકે બઢતીની તકો પૂરી પાડવાનો છે. આ સુધારાથી રાજ્યભરની </span><strong>14</strong><span style="font-weight: 400;"> મુખ્ય સરકારી યુનિવર્સિટીઓના આશરે </span><strong>650</strong><span style="font-weight: 400;"> જેટલા સહાયક અધ્ય...

જોષીપુરા-ખામધ્રોળમાં અશાંતધારો લાગુ થતાં સ્થાનિકોમા ભારે ખુશી.:જૂનાગઢના સંવેદનશીલ વિસ્તારોમાં અશાંતધારો લાગુ: રાજ્ય સરકારના ઐતિહાસિક જાહેરનામાથી હિન્દુ સંગઠનોમાં ઉત્સાહ; મિલકતની લે-વેચ પર હવે વહીવટી તંત્રની સીધી નજર રહેશે.

https://ift.tt/5KV6JkD જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી સ્થાનિક રહીશોની ઉગ્ર રજૂઆતો અને વિવિધ હિન્દુ સંગઠનોના આંદોલનોનો આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને દૂરગામી અસરો ધરાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરીને જૂનાગઢ શહેરના કેટલાક અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં 'અશાંત ધારો' એટલે કે 'The Gujarat Prohibition of Transfer of Immovable Property Act, 1991' અમલી બનાવી દેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને પગલે ખાસ કરીને જોષીપુરા અને ખામધ્રોળ વિસ્તારના રહીશોમાં ભારે ખુશી અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ​રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ અને જોષીપુરા વિસ્તારની કેટલીક નિયત થયેલી સોસાયટીઓને તારીખ 18 ફેબ્રુઆરી 2026 થી 17 ફેબ્રુઆરી 2031 સુધી, એટલે કે આગામી પાંચ વર્ષના સમયગાળા માટે 'અશાંત વિસ્તાર' તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયની જાહેરાત થતાની સાથે જ વિવિધ સનાતન હિન્દુ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા રાજ્ય સરકાર, સ્થાનિક વહીવટી તંત્ર, લોકપ્રતિનિધિઓ અને આ મુદ્દાને સતત ...