<p>Gujarat Rain : કચ્છ અને પાટણના વાતાવરણમાં પલટો, સવારે પડ્યું વરસાદી ઝાપટું&nbsp;</p> <p>કચ્છમાં વરસાદી ઝાપટા. મુંદ્રાના રતડિયામાં સવારે પડ્યો વરસાદ. નખત્રાણા તાલુકાના અમૂક વિસ્તારોમાં ઝરમર વરસાદ. પાટણમાં વાતાવરણમાં પલટો. પાટણમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ. હારીજ, ચાણસ્મા, સાંતલપુરમાં વાદળછાયું વાતાવરણ. સરસ્વતી, રાધનપુરમાં વાદળછાયું વાતાવરણ. નવસારી શહેરમાં વાતાવરણમાં પલટો. નવસારી શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ. નવસારી ગ્રામ્યમાં પણ વાદળછાયું વાતાવરણ.</p> <p>દેશના એક મોટાભાગની સેટેલાઈટ તસવીરોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના વાદળો ગાયબ થવા લાગ્યા છે. બીજી તરફ દક્ષિણ અને મધ્ય ભારતના ઘણાં ભાગો સુધી ચોમાસાના આગમન છતાં દેશના મોટા ભૂભાગ પર વરસાદમાં ભારે ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ 4થી 15 જૂન વચ્ચે દેશમાં માત્ર 19.2 મીમી વરસાદ થયો. જ્યારે આ સમયગાળા માટે સામાન્ય વરસાદ 53.7 મીમી માનવામાં આવે છે. એટલે કે દેશભરમાં અત્યાર સુધીમાં 64 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 15 જૂને ઈનસેટ- 3ડીએસ ઉપગ્રહ લેવાય...
<p>Ambalal Patel Prediction:&nbsp; ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે આતુરતાથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાના આગમન અને વરસાદી સિસ્ટમને લઈને મહત્વની આગાહી કરી છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=4BuPX4ZsjTnYh_Hl" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>અલનીનોની અસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ</strong></p> <p>હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં અલનીનોની અસરના કારણે ચોમાસું ધાર્યા પ્રમાણે આગળ વધી રહ્યું નથી. આ ઉપરાંત, ગંગા-યમુનાના મેદાનો જોઈએ તેવા તપ્યા ન હોવાથી પણ વરસાદી માહોલ જામતો નથી. ...