<p><strong>Rani Ki Vav 3D projection mapping:</strong> ગુજરાતના ઐતિહાસિક વારસા અને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે એક નવું છોગું ઉમેરાયું છે. પાટણમાં આવેલી યુનેસ્કો (UNESCO) ની વર્લ્ડ હેરિટેજ સાઇટ &lsquo;રાણી કી વાવ&rsquo; ખાતે શરૂ કરાયેલા અદભુત 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટને 17મા &lsquo;WOW એવોર્ડ્સ એશિયા 2026&rsquo; માં પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ ભવ્ય એવોર્ડ "એક્સપિરિયન્શિયલ ટેક એવોર્ડ્સ &ndash; અચીવમેન્ટ ઇન ઓડિયો-વિઝ્યુઅલ ફોર એન ઇવેન્ટ" કેટેગરીમાં ગુજરાતના નામે થયો છે. આ આંતરરાષ્ટ્રીય સન્માન દર્શાવે છે કે આપણી પ્રાચીન વિરાસતને દુનિયા સમક્ષ રજૂ કરવા માટે ઓડિયો-વિઝ્યુઅલ ટેક્નોલોજીનો કેટલો આધુનિક અને શાનદાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જે અહીં આવતા મુલાકાતીઓને એક ક્ષણ માટે ઇતિહાસના સુવર્ણકાળમાં લઈ જાય છે.</p> <p>ભારતના સૌથી લોકપ્રિય સ્મારકોમાં સ્થાન ધરાવતી આ ઐતિહાસિક વાવને જોવા માટે દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો પ્...
<p><strong>ગાંધીનગર:</strong> &nbsp;રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે. ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી પ્રફુલભાઈએ રાજ્યમાં આ વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=ZLkWS1iqwPrJuttf" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ચાંદીપુરા વાયરસના સચોટ નિદાન માટે લેબ...