Skip to main content

Posts

ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ

<p>&nbsp;</p> <p><strong>local body elections Gujarat:</strong> ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત મુજબ, 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 9992 બેઠકો માટે આગામી 26 એપ્રિલના રોજ EVM થી મતદાન યોજાશે અને 28 એપ્રિલે મતગણતરી થશે. આ જાહેરાતની સાથે જ રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. નવી OBC અનામત લાગુ થયા બાદ આ પહેલી મોટી ચૂંટણી છે, જેમાં અંદાજિત 4 કરોડ 18 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.</p> <p><strong>ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ</strong></p> <p>ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સમગ્ર પ્રક્રિયા 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.</p> <p>6 એપ્રિલ: ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે</p> <p>11 એપ્રિલ: ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ</p> <p>13 એપ્રિલ: ઉમેદવારોના ફ...
Recent posts

Gujarat Rain: આગામી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

<p><strong>Rain Alert:</strong> એપ્રિલ મહિનાની શરુઆત સાથે જ રાજ્યના હવામાન વિભાગ દ્વારા હવામાનને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp; હવામાન વિભાગે ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. 2 એપ્રિલથી 4 એપ્રિલ વચ્ચે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.&nbsp;</p> <p>આજે પણ ગુજરાતના અનેક જિલ્લાના છુટાછવાયા સ્થળો પર કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ આજે વરસાદનું અનુમાન છે.&nbsp;</p> <p><strong>કાલે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા</strong></p> <p>2 એપ્રિલ ગુરુવારે કચ્છની સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ માવઠાની આગાહી કરવામાં...

Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 

<p><strong>અમદાવાદ:</strong> રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. &nbsp;હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ નાઉ કાસ્ટ જાહેર કર્યું છે. &nbsp;આગામી ત્રણ કલાક રાજ્યમાં &nbsp;છુટા છવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;ગુજરાતમાં હાલ 4 એપ્રિલ સુધી તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગુજરાતમાં આગામી ચાર દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે.&nbsp;</p> <p><strong>આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં વરસાદની આગાહી</strong></p> <p>હવામાન વિભાગની આગાહી અનુસાર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં છુટા છવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;આ સમય દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.&nbsp;</p> <p>હવામાન વિભાગની નવી આગાહીમાં એપ્રિલથી ફરી એકવાર રાજ્યમાં માવઠુ થવાની શક્યતા છે. રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ...

Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ

<p><strong>Gujarat Rain:</strong> ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, માર્ચમાં ગુજરાતમાં અનેક સ્થળે કમોસમી વરસાદ ખાબક્યો જેનાથી મોટુ નુકસાન પહોંચ્યુ છે. હવે એપ્રિલ મહિનાની શરૂઆત પણ માવઠાથી થઇ શકે છે. હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યુ છે કે, આગામી 2 થી 3 એપ્રિલે ગુજરાતમાં કેટલાક સ્થળોએ માવઠુ થશે. ભર ઉનાળે એપ્રિલમાં વાતાવરણ બદલાશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિયા થતાં આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદ ખાબકશે.&nbsp;</p> <p>હવામાન વિભાગની નવી આગાહીમાં એપ્રિલથી ફરી એકવાર રાજ્યમાં માવઠુ થવાની શક્યતા છે. રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 5 એપ્રિલ સુધી રાજ્યમાં વાતાવરણ બદલાયેલુ રહેશે. તેમજ આંધી તોફાન, વંટોળ અને ગાજવીજ સાથે 2 થી 3 એપ્રિલે માવઠુ થશે. ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.&nbsp;</p> <p>બીજી અને ત્રીજી એપ્રિલે માવઠાની શક્યતાઓ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે. બીજી તરફ નાઉકાસ્ટ દ્વારા ...

PM Modi Gujarat Visit: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, 19 હજાર 806 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ

<p>PM Modi Gujarat Visit:&nbsp;વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ ગુજરાતને 19 હજાર 806 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. વાવ-થરાદથી પીએમ મોદી કેન્દ્ર સરકારના ઊર્જા,માર્ગ, પરિવહન અને હાઈવે તેમજ રેલવે મંત્રાલયના 10 હજાર 921 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જ્યારે ગુજરાત સરકારના શહેરી વિકાસ, જળ સંશાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના આઠ હજાર 886 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Projects worth Rs. 20,000 crore will be launched, or their foundation stones will be laid at Vav-Tharad. These include:<br /><br />Inauguration of Ahmedabad-Dholera expressway. <br /><br />Inauguration of the Himmatnagar&ndash;Khedbrahma gauge conversion project.<br /><br />Inauguration of key projects relating to&hellip;</p> ...

બનાસકાંઠામાં બાગાયત યોજનાઓ માટે i-ખેડૂત પોર્ટલ ખુલ્યું:ખેડૂતો 27 માર્ચથી 26 એપ્રિલ સુધી અરજી કરી શકશે

https://ift.tt/w7IFr1N બનાસકાંઠા જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે ખુશખબર છે. બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે નવીન i-ખેડૂત પોર્ટલ 2.0 (https://ikhedut.gujarat.gov.in) ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખેડૂતો 27 માર્ચ, 2026 થી 26 એપ્રિલ, 2026 સુધી આ પોર્ટલ પર અરજી કરી શકશે. આ યોજનાઓમાં કૃષિ યાંત્રિકરણ (જેમ કે મીની ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટીવેટર, ટ્રેલર, પાણીનું ટેન્કર), કાચા/પાકા શાકભાજી મંડપ, હાયબ્રીડ શાકભાજી પાકોનું વાવેતર, પ્રાકૃતિક કૃષિ, ફળ પાકોમાં ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ (આંબા, જામફળ, કેળ, પપૈયા), ટીશ્યું કલ્ચર ખારેક, કમલમ, દાડમ, સુગંધીત પાકો, ફૂલ અને મસાલા પાકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મધમાખી પાલન માટે સહાય, ખેતર પરના ગ્રેડિંગ-શોર્ટીંગ-પેકિંગ એકમો, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી, નેટ હાઉસ, મલ્ચીંગ, ક્રોપ કવર, વોટર સોલ્યુબલ ખાતર, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા, પેકિંગ મટીરીયલ્સ, મહિલા તાલીમાર્થીઓને વૂતિકા સહાય, કોલ્ડ સ્ટોરેજ, રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ, પ્રોસેસિંગ યુનિટ અને સોલાર ક્રોપ ડ્રાયર જેવા વિવિધ ઘટકો પણ ઉપલબ્ધ છે. અરજી કરવા માટે, ખેડૂતોએ સૌપ્રથમ મોબાઈલ નંબર દ્વારા રજી...

ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત

<p><strong>PM Modi Gujarat Visit:</strong> પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026 ના રોજ ફરી એકવાર ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે. તેમની આ મુલાકાત ગુજરાત માટે વિકાસની એક નવી વણઝાર લઈને આવશે. બનાસકાંઠાના વાવ-થરાદ ખાતે યોજાનારા એક ભવ્ય કાર્યક્રમમાં પીએમ મોદી કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને રેલવે વિભાગના ₹10,921 કરોડના પ્રોજેક્ટ્સ તેમજ ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ₹8,886 કરોડના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ જ કાર્યક્રમમાં વડાપ્રધાન રાજ્યના 34 જિલ્લાઓના 38,949 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેમના નવા ઘરમાં ગૃહપ્રવેશ પણ કરાવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી હર્ષ સંઘવી સહિતના વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ પણ હાજર રહેશે.</p> <p><strong>કેન્દ્ર સરકારના ₹10,921 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ</strong></p> <p>આ મુલાકાત દરમિયાન ભારત સરકારના અલગ-અલગ મંત્રાલયોના કામોને વેગ મળશે.</p> <p>ઊર્જા ક્ષેત્ર: કચ્છના ખાવડા ખાત...