https://ift.tt/1ciY4e9 ભરૂચની સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, કેમ્પસ ડિરેક્ટર અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યોને અમદાવાદ અને સુરત ખાતે યોજાયેલા શિક્ષણ સમિટ અને લીડરશિપ કાર્યક્રમોમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં “Redefining Education Skilling for a Viksit Gujarat, Viksit Bharat” વિષયક શિક્ષણ સમિટ યોજાઈ હતી. આ સમિટમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસુદન રુંગટા અને કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ ઉપસ્થિત રહ્યા હતા. સમિટ દરમિયાન નવી શિક્ષણ નીતિ 2020, ડિજિટલ લર્નિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, સમાવેશી શિક્ષણ અને ભવિષ્યમુખી શિક્ષણ મોડેલ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોના માર્ગદર્શનથી શિક્ષણ ક્ષેત્રની નવી દિશાઓ અંગે મૂલ્યવાન માહિતી પ્રાપ્ત થઈ. આ પ્રસંગે, કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલને ભવિષ્યમુખી શૈક્ષણિક વિચાર માટે વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સુરત ખાતે આયોજિત “લીડરશિપ રીટ્રીટ” કાર્યક્રમમાં સંસ્કાર વિદ્યાભવનના પ્રિન્સિપાલ શૈલજા સિંહ અને રુંગટા વિદ્યાભવનના પ્રિન્સિપાલ દિવ્યજીતસિંહ ઝાલાને સન્માનિત કરાયા હતા. શૈલજા સિંહ અને એકેડેમિક કો...
<p><strong>Gujarat weather Update</strong>: ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે, હવામાન વિભાગે 19 એપ્રિલથી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. 19થી 21 સુધી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 19 એપ્રિલથી સૌરાષ્ટ્ર. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના છુટછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડશે</p> <p>નોંધિનિય છે કે. ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. 19 અને 20 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. અમરેલી,ભાવનગર, અરવલ્લી, દાહોદમાં માવઠાનું અનુમાન છે. 19 અને 20 એપ્રિલે મહીસાગર જિલ્લા માવઠાની આગાહી છે. ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટતા ગરમીથી રાહત મળશે. </p> <p>રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તાપમાન વધતાં મોટાભાગના વિસ્તારમાં લોકો અકળાવતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. જો કે મહત્વની વાત એ છે કે, રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ વરસશે,. હવામાન વિભાગે 19 એપ્રિલથી 21 એ...