<p><span style="font-weight: 400;"><strong>Gujarat Budget 2026:</strong> ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા 4 લાખ કરોડથી વધુના ઐતિહાસિક બજેટની ચર્ચા વચ્ચે એક તસ્વીરે સોશિયલ મીડિયા અને રાજકીય ગલીયારાઓમાં ભારે હલચલ મચાવી દીધી છે. બુધવારે (18 February, 2026) બજેટ રજૂ થયા બાદ ગૃહની અંદર નાણા મંત્રી સાથે આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવા હસતા મુખે જોવા મળ્યા હતા. આ તસ્વીર વાયરલ થતા જ વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે 'ડબલ સ્ટાન્ડર્ડ' રાજનીતિની ચર્ચાઓએ જોર પકડ્યું છે.</span></p> <p><strong>તસ્વીર પાછળની હકીકત: શુભેચ્છા કે ફરિયાદ?</strong></p> <p><span style="font-weight: 400;">આ વાયરલ ફોટોમાં કનુભાઈ દેસાઈની આજુબાજુ ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવા ઉભેલા દેખાય છે. પ્રશ્ન એ ઉભો થયો કે જે બજેટની બહાર ટીકા થઈ રહી છે, તેની અંદર શુભેચ્છા કેમ અપાઈ રહી છે? આ અંગે સ્પષ્ટતા કરતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, "અમે પાકિસ્તાનના નાણા મંત્રી સાથે ફોટો નથી...
જૂનાગઢના ખામધ્રોળ અને જોષીપુરા વિસ્તારમાં અશાંતધારો લાગુ:મિલકતની લે વેચ માટે કલેકટરની મંજૂરી લેવી પડશે,જુઓ અશાંતધારો લાગુ થયો તે સોસાયટીઓનું લિસ્ટ
https://ift.tt/sfL4DkH જૂનાગઢ શહેરમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી સ્થાનિકોની રજૂઆતો અને માંગણીઓનો આખરે સરકારે સ્વીકાર કર્યો છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડીને જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ અને જોષીપુરા વિસ્તારની કેટલીક સોસાયટીઓને 'અશાંત ધારો' એટલે કે The Gujarat Prohibition of Transfer of Immovable Property and Provision for Protection of Tenants from Eviction from Premises in Disturbed Areas Act, 1991 હેઠળ આવરી લેવામાં આવી છે.જૂનાગઢના વિસ્તારોને 18 ફેબ્રુઆરી 2026થી 17 ફેબ્રુઆરી 2031 સુધી (5 વર્ષ માટે) અશાંત વિસ્તાર જાહેર કરાયા છે. લોકોની લાંબા સમયની રજૂઆતનો સુખદ અંત અગાઉ જૂનાગઢના આ અલગ-અલગ વિસ્તારના રહીશો દ્વારા એકજૂથ થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સ્થાનિકોની રજૂઆત હતી કે વસ્તીના જનસાંખ્યિક ફેરફારો અને મિલકતોની બિનઅધિકૃત તબદીલીને કારણે સામાજિક તાણાવાણા પર અસર પડી રહી છે. લોકોએ અગાઉ અનેકવાર ઉચ્ચસ્તરે રજૂઆતો કરી 'અશાંત ધારો' લાગુ કરવાની માંગ કરી હતી, જેનો હવે અમલ થતા રહીશોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ...