Skip to main content

Posts

Gujarat Weather update: ચોમાસા માટે ગુજરાતે હજુ કેટલી જોવી પડશે રાહ, જાણો હવામાન અપડેટ્સ

<p><strong>Gujarat Weather update: મોનસૂનની ગતિ ધીમી પડી છે. જેના કારણે  </strong>26 જૂન સુધી ચોમાસાના આગમનની શક્યતા નહીવત છે. જેથી અમદાવાદમાં હજુ 40 ડિગ્રીની આસપાસ  તાપમાન રહેશે.  જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં હળવો છૂટછવાયો વરસાદ વરસી શકશે. આજે અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. </p> <p>બીજી તરફ જોઇએ તો હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગરમી પડી રહી છે. જો કે 2 દિવસમાં રાજ્યમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં પલટો આવી શકે છે. જો કે સાર્વત્રિક વરસાદની શકયતા નહિવત છે. છૂટછવાયો અને હળવો વરસાદ વરસી શકે છે. ક્યાં વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે તે વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં  ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસી શકે છે. આ સાથે  કચ્છના કેટલાક વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટછવાયો વરસાદ વરસી...
Recent posts

ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી: રાત્રે 10 તાલુકામાં ધોધમાર વરસાદ, જાણો ક્યાં પડ્યો સૌથી વધુ?

<p><strong>gujarat rain update today:</strong> ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ સહન કર્યા બાદ આખરે લોકોને મોટી રાહત મળી છે. રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાત્રીના 8 થી 10 વાગ્યાના માત્ર 2 કલાકના ગાળામાં જ રાજ્યના 10 જેટલા તાલુકાઓમાં વરસાદી ઝાપટાં અને છાંટા પડ્યા હોવાના અહેવાલ છે. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, જેમાં અરવલ્લીના ભિલોડામાં સૌથી વધુ સવા ઈંચ (1.25 ઈંચ) વરસાદ ખાબક્યો છે. વરસાદના આગમનથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને વાવણીની રાહ જોતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.</p> <p>સૌથી વધુ મેઘમહેર અરવલ્લી જિલ્લામાં જોવા મળી છે. યાત્રાધામ શામળાજી સહિત ભિલોડા અને મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખેરોજકંપા, ખલવાડ, જીવનપુર અને ટીંટોઈમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભલે વરસાદ મોડો આવ્યો, પણ આ વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થયો છે. પાડોશી જિલ્લા સાબરકાંઠાના હિંમતનગર, વડાલી અને ઈડર પંથકમાં પણ મોડી રાત્રે વરસાદી ઝાપટાં પડ્યા છે. ગ...

રાજ્યની 224 APMCના 3000થી વધુ કર્મચારીઓ માટે ખુશખબર: સરકારે બોનસ આપવાની મંજૂરી આપી, જાણો શરતો

<p><strong>gujarat apmc bonus rules:</strong> રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)માં કામ કરતા કર્મચારીઓ માટે રાજ્ય સરકારે એક બહુ મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે હવેથી APMCના કર્મચારીઓને પણ નિયત શરતોને આધીન બોનસ અને રહેમ ભથ્થું ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી ગુજરાતની કુલ 224 APMCના 3000થી પણ વધારે કર્મચારીઓને સીધો ફાયદો થવાનો છે. લાંબા સમયથી બોનસ અને ભથ્થાની રાહ જોતા કર્મચારીઓ માટે આ ખરેખર એક મોટા આનંદના સમાચાર છે.</p> <p>આ બોનસ અને ભથ્થું આપવા માટે સરકારે કેટલીક ચોક્કસ શરતો પણ રાખી છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, જે APMCનો કુલ મહેકમ ખર્ચ 'બજારના નિયમો' પ્રમાણે 40 ટકાની લિમિટમાં રહેતો હશે, માત્ર તે જ APMC પોતાના કર્મચારીઓને બોનસ આપી શકશે. બજાર સમિતિઓમાં નાણાકીય શિસ્ત જળવાઈ રહે તે માટે આ મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ શરત પૂરી કરતી સંસ્થાઓ પોતાના કર્મચારીઓને...

શું સિંહો માનવભક્ષી બન્યા? અમરેલીમાં 8 દિવસમાં 3 લોકોના લીધા જીવ, ખેડૂતો અને માલધારીઓમાં ભારે ફફડાટ

<p><strong>amreli lion attack news:</strong> અમરેલી અને આસપાસના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વન્ય પ્રાણીઓ, ખાસ કરીને સિંહ અને દીપડાઓનો આતંક એટલી હદે વધી ગયો છે કે લોકોમાં ગભરાહટ ફેલાઈ ગયો છે. છેલ્લા માત્ર 8 જ દિવસમાં વન્ય પ્રાણીઓના હુમલામાં 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. બગસરા, રાજુલા અને સાવરકુંડલા પંથકમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાઓએ સાબિત કરી દીધું છે કે હવે ખેડૂતો માટે ખેતરમાં જવું અને માલધારીઓ માટે પોતાના પશુઓને બચાવવા અત્યંત જોખમી બની ગયું છે. વનવિભાગની કામગીરી પર સવાલો ઉઠાવતા લોકો હવે તાત્કાલિક સુરક્ષાની માંગ કરી રહ્યા છે.</p> <p><strong>8 દિવસમાં 3 હુમલા: નિર્દોષ લોકો બન્યા શિકાર</strong></p> <p>અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાની સિલસિલાબંધ ઘટનાઓ સામે આવી રહી છે, જે ખરેખર ચિંતાજનક છે.</p> <p>બગસરાના ઘંટીયાળમાં: એક 7 વર્ષના ખેતમજૂરના બાળકને વન્ય પ્રાણીએ પોતાનો શિકાર બનાવ્યો.</p> <p><ifra...

ગુજરાતમાં આજે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ચોમાસું ક્યારે બેસશે?

<p><strong>gujarat rain news:</strong> ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે અને 30 જૂન સુધીમાં તો આખું રાજ્ય વરસાદથી કવર થઈ જાય છે, પરંતુ આ વર્ષે 15 જૂન વિતી ગઈ હોવા છતાં હજુ સુધી રાજ્યમાં ચોમાસાની ઓફિશિયલ એન્ટ્રી થઈ નથી જેના કારણે ચિંતા વધી છે. હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, ચોમાસું ગત 8 જૂનથી પશ્ચિમી તટ પર એક જ જગ્યાએ સ્થિર છે, જેના કારણે તેને મુંબઈ પહોંચવામાં હજુ બીજા 7થી 8 દિવસ જેટલો સમય લાગી શકે છે. જોકે, આ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના અને અન્ય કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ ચાલુ રહેશે.</p> <p>હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ માટે ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું કોઈ મોટું એલર્ટ નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે 17 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠ...

Monsoon Updates: રાજ્યમાં આ તારીખે ચોમાસાનું થશે આગમન, આ જિલ્લામાં વરસાદની આગાહી

<p><strong>Gujarat Weather update: </strong>હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગરમી પડી રહી છે. જો કે 2 દિવસમાં રાજ્યમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં પલટો આવી શકે છે. જો કે સાર્વત્રિક વરસાદની શકયતા નહિવત છે. છૂટછવાયો અને હળવો વરસાદ વરસી શકે છે. ક્યાં વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે તે વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં  ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસી શકે છે. આ સાથે  કચ્છના કેટલાક વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટછવાયો વરસાદ વરસી શકે છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe>...

Gujarat Rain : કચ્છ અને પાટણના વાતાવરણમાં પલટો, સવારે પડ્યું વરસાદી ઝાપટું

<p>Gujarat Rain : કચ્છ અને પાટણના વાતાવરણમાં પલટો, સવારે પડ્યું વરસાદી ઝાપટું </p> <p>કચ્છમાં વરસાદી ઝાપટા. મુંદ્રાના રતડિયામાં સવારે પડ્યો વરસાદ. નખત્રાણા તાલુકાના અમૂક વિસ્તારોમાં ઝરમર વરસાદ. પાટણમાં વાતાવરણમાં પલટો. પાટણમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ. હારીજ, ચાણસ્મા, સાંતલપુરમાં વાદળછાયું વાતાવરણ. સરસ્વતી, રાધનપુરમાં વાદળછાયું વાતાવરણ. નવસારી શહેરમાં વાતાવરણમાં પલટો. નવસારી શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ. નવસારી ગ્રામ્યમાં પણ વાદળછાયું વાતાવરણ.</p> <p>દેશના એક મોટાભાગની સેટેલાઈટ તસવીરોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના વાદળો ગાયબ થવા લાગ્યા છે. બીજી તરફ દક્ષિણ અને મધ્ય ભારતના ઘણાં ભાગો સુધી ચોમાસાના આગમન છતાં દેશના મોટા ભૂભાગ પર વરસાદમાં ભારે ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ 4થી 15 જૂન વચ્ચે દેશમાં માત્ર 19.2 મીમી વરસાદ થયો. જ્યારે આ સમયગાળા માટે સામાન્ય વરસાદ 53.7 મીમી માનવામાં આવે છે. એટલે કે દેશભરમાં અત્યાર સુધીમાં 64 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 15 જૂને ઈનસેટ- 3ડીએસ ઉપગ્રહ લેવાય...