Skip to main content

Posts

રાજ્યની 224 APMCના 3000થી વધુ કર્મચારીઓ માટે ખુશખબર: સરકારે બોનસ આપવાની મંજૂરી આપી, જાણો શરતો

<p><strong>gujarat apmc bonus rules:</strong> રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)માં કામ કરતા કર્મચારીઓ માટે રાજ્ય સરકારે એક બહુ મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે હવેથી APMCના કર્મચારીઓને પણ નિયત શરતોને આધીન બોનસ અને રહેમ ભથ્થું ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી ગુજરાતની કુલ 224 APMCના 3000થી પણ વધારે કર્મચારીઓને સીધો ફાયદો થવાનો છે. લાંબા સમયથી બોનસ અને ભથ્થાની રાહ જોતા કર્મચારીઓ માટે આ ખરેખર એક મોટા આનંદના સમાચાર છે.</p> <p>આ બોનસ અને ભથ્થું આપવા માટે સરકારે કેટલીક ચોક્કસ શરતો પણ રાખી છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, જે APMCનો કુલ મહેકમ ખર્ચ 'બજારના નિયમો' પ્રમાણે 40 ટકાની લિમિટમાં રહેતો હશે, માત્ર તે જ APMC પોતાના કર્મચારીઓને બોનસ આપી શકશે. બજાર સમિતિઓમાં નાણાકીય શિસ્ત જળવાઈ રહે તે માટે આ મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ શરત પૂરી કરતી સંસ્થાઓ પોતાના કર્મચારીઓને...
Recent posts

શું સિંહો માનવભક્ષી બન્યા? અમરેલીમાં 8 દિવસમાં 3 લોકોના લીધા જીવ, ખેડૂતો અને માલધારીઓમાં ભારે ફફડાટ

<p><strong>amreli lion attack news:</strong> અમરેલી અને આસપાસના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વન્ય પ્રાણીઓ, ખાસ કરીને સિંહ અને દીપડાઓનો આતંક એટલી હદે વધી ગયો છે કે લોકોમાં ગભરાહટ ફેલાઈ ગયો છે. છેલ્લા માત્ર 8 જ દિવસમાં વન્ય પ્રાણીઓના હુમલામાં 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. બગસરા, રાજુલા અને સાવરકુંડલા પંથકમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાઓએ સાબિત કરી દીધું છે કે હવે ખેડૂતો માટે ખેતરમાં જવું અને માલધારીઓ માટે પોતાના પશુઓને બચાવવા અત્યંત જોખમી બની ગયું છે. વનવિભાગની કામગીરી પર સવાલો ઉઠાવતા લોકો હવે તાત્કાલિક સુરક્ષાની માંગ કરી રહ્યા છે.</p> <p><strong>8 દિવસમાં 3 હુમલા: નિર્દોષ લોકો બન્યા શિકાર</strong></p> <p>અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાની સિલસિલાબંધ ઘટનાઓ સામે આવી રહી છે, જે ખરેખર ચિંતાજનક છે.</p> <p>બગસરાના ઘંટીયાળમાં: એક 7 વર્ષના ખેતમજૂરના બાળકને વન્ય પ્રાણીએ પોતાનો શિકાર બનાવ્યો.</p> <p><ifra...

ગુજરાતમાં આજે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ચોમાસું ક્યારે બેસશે?

<p><strong>gujarat rain news:</strong> ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે અને 30 જૂન સુધીમાં તો આખું રાજ્ય વરસાદથી કવર થઈ જાય છે, પરંતુ આ વર્ષે 15 જૂન વિતી ગઈ હોવા છતાં હજુ સુધી રાજ્યમાં ચોમાસાની ઓફિશિયલ એન્ટ્રી થઈ નથી જેના કારણે ચિંતા વધી છે. હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, ચોમાસું ગત 8 જૂનથી પશ્ચિમી તટ પર એક જ જગ્યાએ સ્થિર છે, જેના કારણે તેને મુંબઈ પહોંચવામાં હજુ બીજા 7થી 8 દિવસ જેટલો સમય લાગી શકે છે. જોકે, આ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના અને અન્ય કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ ચાલુ રહેશે.</p> <p>હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ માટે ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું કોઈ મોટું એલર્ટ નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે 17 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠ...

Monsoon Updates: રાજ્યમાં આ તારીખે ચોમાસાનું થશે આગમન, આ જિલ્લામાં વરસાદની આગાહી

<p><strong>Gujarat Weather update: </strong>હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગરમી પડી રહી છે. જો કે 2 દિવસમાં રાજ્યમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં પલટો આવી શકે છે. જો કે સાર્વત્રિક વરસાદની શકયતા નહિવત છે. છૂટછવાયો અને હળવો વરસાદ વરસી શકે છે. ક્યાં વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે તે વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં  ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસી શકે છે. આ સાથે  કચ્છના કેટલાક વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટછવાયો વરસાદ વરસી શકે છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe>...

Gujarat Rain : કચ્છ અને પાટણના વાતાવરણમાં પલટો, સવારે પડ્યું વરસાદી ઝાપટું

<p>Gujarat Rain : કચ્છ અને પાટણના વાતાવરણમાં પલટો, સવારે પડ્યું વરસાદી ઝાપટું </p> <p>કચ્છમાં વરસાદી ઝાપટા. મુંદ્રાના રતડિયામાં સવારે પડ્યો વરસાદ. નખત્રાણા તાલુકાના અમૂક વિસ્તારોમાં ઝરમર વરસાદ. પાટણમાં વાતાવરણમાં પલટો. પાટણમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ. હારીજ, ચાણસ્મા, સાંતલપુરમાં વાદળછાયું વાતાવરણ. સરસ્વતી, રાધનપુરમાં વાદળછાયું વાતાવરણ. નવસારી શહેરમાં વાતાવરણમાં પલટો. નવસારી શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ. નવસારી ગ્રામ્યમાં પણ વાદળછાયું વાતાવરણ.</p> <p>દેશના એક મોટાભાગની સેટેલાઈટ તસવીરોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના વાદળો ગાયબ થવા લાગ્યા છે. બીજી તરફ દક્ષિણ અને મધ્ય ભારતના ઘણાં ભાગો સુધી ચોમાસાના આગમન છતાં દેશના મોટા ભૂભાગ પર વરસાદમાં ભારે ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ 4થી 15 જૂન વચ્ચે દેશમાં માત્ર 19.2 મીમી વરસાદ થયો. જ્યારે આ સમયગાળા માટે સામાન્ય વરસાદ 53.7 મીમી માનવામાં આવે છે. એટલે કે દેશભરમાં અત્યાર સુધીમાં 64 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 15 જૂને ઈનસેટ- 3ડીએસ ઉપગ્રહ લેવાય...

Ambalal Patel Prediction: રાજ્યમાં ક્યારથી બેસશે ચોમાસુ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

<p>Ambalal Patel Prediction:  ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે આતુરતાથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાના આગમન અને વરસાદી સિસ્ટમને લઈને મહત્વની આગાહી કરી છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=4BuPX4ZsjTnYh_Hl" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>અલનીનોની અસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ</strong></p> <p>હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં અલનીનોની અસરના કારણે ચોમાસું ધાર્યા પ્રમાણે આગળ વધી રહ્યું નથી. આ ઉપરાંત, ગંગા-યમુનાના મેદાનો જોઈએ તેવા તપ્યા ન હોવાથી પણ વરસાદી માહોલ જામતો નથી. ...

અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ

<p><strong>Ambalal Patel weather forecast:</strong> ગુજરાતમાં ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ એક રાહત આપનારી આગાહી કરી છે. હાલમાં અલનીનોની અસર અને એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસું અટકી પડ્યું છે અને આગળ વધી શક્યું નથી. પરંતુ, અંબાલાલ પટેલની આગાહી મુજબ નિરાશ થવાની જરૂર નથી, 22 જૂનથી ચોમાસું ફરીથી સક્રિય થવા જઈ રહ્યું છે અને જુલાઈ મહિનામાં વરસાદનું એક જોરદાર વેવ આવશે, જે આખા ચોમાસાને સદ્ધર કરી દેશે.</p> <p>અંબાલાલ કાકાના જણાવ્યા અનુસાર, અત્યારે ગંગા અને યમુનાના મેદાનો જોઈએ તેટલા તપ્યા નથી, જેના કારણે વરસાદ લાવે તેવી સિસ્ટમ બની શકી નથી. ઉપરથી 18 જૂને હજુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. જોકે, 18 થી 20 જૂન સુધીમાં આકાશમાં વાદળોનો જમાવડો શરૂ થઈ જશે. વાતાવરણમાં પલટો આવતા 22 જૂન સુધીમાં રાજ્યના કોઈ-કોઈ ભાગોમાં અચાનક જ અણધાર્યો વરસાદ વરસી શકે છે.</p> <p><iframe title="ABP Asmita | Headlines Toda...