Skip to main content

Posts

Gujarat Weather Update: કાળઝાળ ગરમીનો શરૂ થશે રાઉન્ડ: હવામાન વિભાગની આગાહી

<p>રાજ્યમાં આજથી આકરા તાપ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.. આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે..</p> <p>રાજ્યમાં આજથી આકરા તાપ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે.. તાપમાન વધવા પાછળ હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણભૂત ગણાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ગરમી અને અકળામણ અનુભવાશે. આજના તાપમાનની વાત કરીએ તો ભૂજમાં સૌથી ઉંચુ 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટ અને ડિસામાં તાપમાનનો પારો 37.1 ડિગ્રી પર પહોંચી ગયો છે.. તો સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી, અમરેલીમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું.. કેશોદમાં 35.8 ડિગ્રી, અમદાવાદમાં 35.7 ડિગ્રી, તો ગાંધીનગરમાં 35.4 ડિગ્રી અને વડોદરામાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું.&nbsp;</p>
Recent posts

Gujarat Weather: રાજ્યમાં ગરમીનો રાઉન્ડ થશે શરૂ, આગામી 5 દિવસ માટે અપાયું યલો એલર્ટ

<p><strong>Gujarat Weather:</strong>છેલ્લા કેટલાક દિવસથી વેઘરની પેર્ટન ચેન્જ થતાં આ વર્ષે માર્ચમાં ઉનાળામાં જે ગરમી પડે, તેવી ગરમીનો અનુભવ ન થઇ શક્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવતાં &nbsp;ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ માવઠું થયું છે. જો કે હવે માવઠાનું સંકટ ટળ્યું છે. &nbsp;હવામાન વિભાગે હવે તાપમાનમાં વધારો થવાના સંકેત આપ્યાં છે. આગામી દિવસોમાં &nbsp;4 ડિગ્રી તાપમાનમાં વધારો થઇ શકે છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે.</p> <p>ઉલ્લેખનિય છે કે, 11 એપ્રિલે વધુ એક સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે આ સિસ્ટમ ભારતના દક્ષિણ અને પૂર્વ વિસ્તારને અસર કરશે અને આ વિસ્તારમાં તેના કારણે કમોસમી વરસાદ થશે. પરંતુ આ સિસ્ટમથી ગુજરાતના વાતાવરણમાં કોઇ અસર નહિ થાય. આકશ સ્વસ્છ રહેશે અને તાપમાનો પારો ઉંચે જતાં અકળાવતી ગરમીનો અનુભવ થશે</p> <p>&nbsp;11થી 14 એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. કોસ્ટલ ક્ષેત્રમાં ગરમ અને ભેજવ...

ભાસ્કર એક્સક્લુસિવ:પરિવારને 5, સંસ્થાને 25 લિ. કેરોસીન મળશે

https://ift.tt/DcQd26F ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં રાંધણ ગેસ ઉપરાંત કેરોસીનની જરૂરિયાતને પહોંચી વળવા માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. જેના અનુસંધાને કચ્છમાં કેરોસીન ડીલર એસોસિયેશન અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સહયોગથી જિલ્લામાં કેરોસીન વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાવાર 36 KL (કિલો લિટર) કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. આ જથ્થાનો ઉપયોગ મુખ્યત્વે રાંધવા અને પ્રકાશની વ્યવસ્થા (લાઇટ) માટે જ કરી શકાશે. જેમાં પરિવાર દીઠ 5 લિટર કેરોસીન અને સંસ્થા દીઠ 25 લિટર કેરોસીન એક જ વખત મેળવી શકશે. જો કે કેરોસીન મેળવવા ઈચ્છતા લોકો માટે NIC દ્વારા ઓનલાઈન URL: https://ift.tt/HGNgunw પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જે-તે તાલુકા સ્તરેથી જ્યારે ઓછામાં ઓછા 12,000 લિટર (1 ટેન્કર લોડ) કેરોસીનની ઓનલાઈન માંગણી નોંધાશે, ત્યારે તાત્કાલિક અસરથી તે તાલુકાના નિયત કરેલા પેટ્રોલ પંપ પરથી વિતરણ શરૂ કરી દેવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશન અને અન્ય આનુષંગિક ખર્ચાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં કેરોસીન...

Local Body Election : BJP એ વાવ-થરાદમાં જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 

<p><strong>ગાંધીનગર:</strong> &nbsp;સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તબક્કાવાર ઉમેદવારો જાહેર &nbsp;કરવામાં આવી રહ્યા છે. ભાજપે અરવલ્લી જિલ્લાની યાદી જાહેર કરી અને સુરેન્દ્રનગર મનપાના ઉમેદવારો જાહેર કર્યા હવે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં વાવ-થરાદ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી <a href="https://twitter.com/iJagdishBJP?ref_src=twsrc%5Etfw">@iJagdishBJP</a> ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં વાવ-થરાદ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. <a href="https://twitter.com/hashtag/%E0%AA%95%E0%AA%AE%E0%AA%B3_%E0%AA%96%E0%AB%80%E0%AA%B2%E0%AA%B6%E0%AB%87_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8_%E0%A...

Local Body Election 2026: ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ

<p><strong>ગાંધીનગર:</strong> &nbsp;સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાતમાં તમામ પક્ષો પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી &nbsp;અને કોંગ્રેસ &nbsp;તબક્કાવાર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યું છે. ત્યારે સેન્સ પ્રક્રિયા બાદ હવે ભાજપે &nbsp;પણ પોતાના ઉમેદવારો જાહેર કરવાની શરુઆત કરી છે.&nbsp;</p> <p><strong>સુરેન્દ્રનગર મનપાના ઉમેદવારો કર્યા જાહેર</strong></p> <p>ગાંધીનગરમાં ભાજપની બેઠકનો ધમધમાટ શરૂ થયા બાદ ઉમેદવારો જાહેર કરવાની શરુઆત થઈ છે. ભાજપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અરવલ્લી જિલ્લા અને તાલુકા પંયાયતના ઉમેદવારો યાદી જાહેર કરી છે. &nbsp;મોડાસા, ભિલોડા, બાયડ, ધનસુરા તા.પંની યાદી જાહેર કરી છે. શામળાજી, સાઠંબા તાલુકા પંચાયતની ભાજપની યાદી જાહેર કરવામાં આવી છે. મોડાસા અને બાયડ નગરપાલિકામાં ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr...

Gujarat Weather: કમોસમી વરસાદ અને કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી

<p><strong>Gujarat Weather :</strong> હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને આગામી દિવસોમાં તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.&nbsp; હવે આવનારા દિવસોમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો. &nbsp; હવામાનની આગાહી હવે અનુસાર ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે. આજથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે.</p> <p><strong>આજે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ</strong></p> <p>છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્રણ વરસાદી સિસ્ટમ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાથી હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. &nbsp;હવામાન વિભાગ અનુસાર, આંધી તોફાન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. આજે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.&nbsp;</p> <p><strong>રાજયના તાપમાનમાં થશે વધારો</s...

રાજુ કરપડાએ 'કમલમ્'માં કેસરિયા કર્યા, -'પાર્ટી કહેશે તો ચૂંટણી લડીશ-વફાદાર સૈનિકની ભૂમિકા ભજવીશ'

<p><strong>Gujarat Politics News:</strong> ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ કેસરિયા કરી લીધા છે, આજે બપોરે ગાંધીનગરમાં કમલમ ખાતે રાજુ કરપડાને ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવેએ ખેસ પહેરાવી પાર્ટીમાં વિધિવત સામેલ કર્યા હતા. ભાજપના પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ કેસરિયા કર્યા હતા. આ સાથે જ આપ પર જોરદાર નિશાન તાક્યુ હતુ. મહત્વનું છે કે, રાજુ કરપડાને ભાજપ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપી શકે છે.&nbsp;</p> <p>રાજુ કરપડાએ ભાજપમાં જાડાતની સાથે જ પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ, ભાજપ કહેશે તો ચૂંટણી લડીશ, વફાદાર સૈનિકની ભૂમિકા ભજવીશ, લડવું કે ન લડવું તે પાર્ટી નક્કી કરશે. રાજુ કરપડા AAP ના યુવા લડાયક નેતા હતા, આમ આદમી પાર્ટીમાં કિસાન સેલના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને ચોટીલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. રાજુ કરપડા ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં એક લડાયક યુ...