<p style="text-align: justify;"><strong>Ahmedabad News</strong>: ભાવનગરમાં સાત લોકોનો ભોગ લેનારા ચર્ચિત ઝેરીલા દારૂકાંડમાં અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધોલેરાના પિંગલેશ્વર નજીક મિંગળપૂર ગામ ખાતે આવેલી શૈલેષ મેરની વાડીમાંથી શંકાસ્પદ દારૂની 24 બોટલો ઝડપાઈ છે, જે શૈલેષે ભાવનગરના બુટલેગર જયદીપ પાસેથી મેળવી હતી. પ્રાથમિક તપાસમાં ધોલેરાથી મળેલી આ બોટલો અને ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જનાર દારૂની બોટલો એક જ બેચની હોવાની આશંકા સેવાઈ રહી છે. આ જ બેચનો ઝેરી દારૂ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘૂસી ગયો હોવાની ગંભીર શંકાને પગલે પોલીસે તમામ બોટલોને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે મોકલી આપી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ અમદાવાદમાં આ નકલી અને ઝેરી દારૂનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.</p> <div class="mid-taboola"> <div id="taboola-mid-article-personalisation" class="trc_related_container tbl-trecs-container trc_spotli...
<p><strong>Sabarkantha Group Clash:</strong> સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામમાં સગીરાની છેડતી બાબતે બે જૂથો વચ્ચે અચાનક ઉગ્ર બોલાચાલી બાદ હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક જૂથે બીજા જૂથ પર ભારે પથ્થરમારો કરતા એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ગાંભોઈ પોલીસે ત્વરિત સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.</p> <p><iframe title="ABP Asmita | Ahmedabad Rath Yatra 2026 LIVE Update | Gujarat Monsoon | Gujarat Politics | LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>બનાવની વિગતવાર માહિતી મુજબ, ગાંભોઈ વિસ્તારમાં એક સગીરાની છેડતી કરવામાં આવી હોવાનો વિવાદ ઊભો થયો હતો. આ બાબતે સ્થાનિક બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં બ...