<p><strong>અમદાવાદ :</strong> રાજુ કરપડાએ બુધવારે આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. આજે રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આમ આદમી પાર્ટી પર ગંભીર પ્રહારો કર્યા હતા. જેના પર પલટવાર કરતા આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અનેક જવાબો આપ્યા છે.</p> <p>ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ રાજુ કરપડાના આરોપો પર જોરદાર પલટવાર કર્યો છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું, કરપડા પર ત્રણ કેસ છે. તે પૈકી આજે બે કેસમાં સુરેન્દ્રગરની કોર્ટમાં મુદત હતી. જેલની સજામાંથી બચવા ભાજપના ઇશારે રાજુ કરપડાએ પાર્ટી છોડી. ભાજપના ઇશારે રાજુ કરપડાએ આરોપ લગાવ્યા છે. </p> <p><strong>ભાજપે રાજુ કરપડા પર દબાણ કર્યું- ગોપાલ ઈટાલિયા</strong></p> <p>રાજુ કરપડાના આરોપો પર ઈટાલિયાએ જવાબ આપતા કહ્યું કે, આજે રાજુ ભાઈના ચહેરા પર જેલમાં જવાનો ડર હતો. રાજુ કરપડાના પર 3 કેસ છે. કરપડા પર બે કેસ જાનથી મારી નાખવાના છે. ટાંટિયા તોડવાના કેસમાં રાજુ કરપડાને 5 વર્ષની સજા થઈ...
Gujarat: 'ગોપાલ ઈટાલિયા અને સોરઠીયા ભાજપની B ટીમ, પાર્ટીને ઉભી થવા નહિ દે', રાજુ કરપડાના ગંભીર આરોપો
<p><strong>Gujarat News:</strong> આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. પત્રકાર પરિષદ દરમિયાન રાજુ કરપડાએ નામ લીધા વગર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યાં હતા. રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ કરી ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે 'આપ' ના ટોચના નેતાઓ પર ગંભીર આરોપો લગાવીને રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. </p> <p><strong>જેલવાસ દરમિયાન પાર્ટીએ સારા વકીલની વ્યવસ્થા કરી નહીં</strong></p> <p>રાજુ કરપડાએ પત્રકાર પરિષદાં પક્ષ સાથેછેડો ફાડવા પાછળ અનેક કારણો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, 'હું રાજકારણમાં નહોતો ત્યારે પણ ખેડૂતો માટે લડતો અને અનેક વાર ન્યાય અપાવવા પ્રયાસો કર્યાં છે. હું આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે લડ્યો હતો અને પક્ષમાં પરિવાર કરતા વધુ વફાદાર રહ્યો. 'હું જેલ બહાર ન આવું તેવી કેટલાક નેતાઓની માનસિકતા હતી. પ્રદેશના કેટલાક નેતાઓએ મને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જેલ...