<p style="text-align: justify;"><strong>Teachers Day 2026:</strong> સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, "શિક્ષણ એ માત્ર માહિતી મગજમાં ભરવાનું કામ નથી, પરંતુ તે જીવન ઘડતર, ચારિત્ર્ય નિર્માણ અને વિચારોનું સમન્વય છે." કોઈ બાળક જ્યારે પહેલીવાર શાળાએ જાય ત્યારે તેનો શિક્ષણ સાથે પરિચય થતો હોય છે, પરંતુ અમદાવાદના ડૉ. મહેશ ત્ર્યંબકલાલ ઠક્કર માટે આ વાત સાવ અલગ હતી. એક શિક્ષક દંપતીના આંગણે જન્મેલા મહેશભાઈ માટે શિક્ષણ એ ઘરના શ્વાસ સમાન હતું. બાળપણમાં રમકડાંની સાથે-સાથે તેમણે માતા-પિતાને પાઠની તૈયારી કરતા, વિદ્યાર્થીઓની પ્રગતિની ચિંતા કરતા અને 'કોઈ બાળક પાછળ ન રહી જાય' તેની હૃદયપૂર્વકની કાળજી લેતા જોયા હતા. આ જ સંવેદનાએ તેમના હૃદયમાં એક બીજ વાવ્યું, જેણે આગળ જતાં તેમને માત્ર વ્યવસાયી નહીં, પરંતુ એક સાચા 'શિક્ષક' બનાવ્યા. તેમના મતે શિક્ષણ એ ક્યારેય માત્ર નોકરી રહી જ નથી, પણ જીવન સાથે વિકસતી એક જીવંત પ્રક્રિયા છે.</p> <p style="text-align: justify;">&nbsp;...
<p><strong>Gujarat Weather: &nbsp;</strong>અલનીનોની અસરના કારણે ગુજરાતમાં આ સિઝનમાં સારો વરસાદ નથી વરસ્યો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની વધુ ઘટ છે. આ સ્થિતિમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ 13 સપ્ટેમ્બરે આકાર લે તેવી શક્યતા જોવાઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થાય તેવી એક આશા બંઘાઇ છે. જો કે આ આગાહીને લઇને હવામાનના &nbsp;જુદા જુદા મોડલ &nbsp;એકમત નથી. બંગાળની ખાડીમાં 13 સપ્ટેમ્બરની આસપાસ એક લોપ્રેશર એરિયા સર્જાશે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરે તો 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે. નોંધનિય છે કે, આ વર્ષે બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ ગુજરાત તરફ ન આવતા અને અન્ય દિશામાં ફંટાઇ જતાં ગુજરાતમાં સારો નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. જો આ સિસ્ટમ ગુજરાત ગુજરાત તરફ આવે તો 17 &nbsp;સપ્ટેમ્બરથી ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જામી શકે છે. જો કે આ લાંબા ગાળાનું અનુમાન હોવાથી કંઇ સ્પષ્ટ આગામી કોઇ પણ મોડલ કરી રહ્યાં નથી. કારણ કે, &nbsp;સિસ્ટમ કેવી બને અને કઇ દિશામાં આગળ વધે તેના પર રાજ્ય...