Skip to main content

ઝાકમઝોળભર્યા માહોલ વચ્ચે યોજાતા લગ્ન સમારંભો કોરોના કાળમાં ફીક્કા પડયાં



આણંદ : કોરોના મહામારી પૂર્વે ઝાકમઝોળભર્યા માહોલ વચ્ચે યોજાતા લગ્ન સમારંભો કોરોના કાળમાં ફીક્કા પડયા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી કોરોનાનું સંક્રમણ મંદ પડતા હવે લગ્ન પ્રસંગોમાં ૧૦૦ જેટલા મહેમાનોની ઉપસ્થિતની છુટ મળતા હાલ લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે. બીજી તરફ લગ્નસરાની સિઝનમાં જુલાઈ માસ દરમિયાન ૪ મહુર્ત જ બાકી રહ્યા હોઈ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. તા.૨૦મી જુલાઈને દેવપોઢી એકાદશી બાદ ચાર માસના વિરામ પછી તા.૧૪મી નવેમ્બરથી લગ્નસરાની સિઝન શરૂ થશે.

કોરોના મહામારીને પગલે કેટરીંગ, ઈવેન્ટ મેનેજમેન્ટ, સહિત બગી, બેન્ડવાજા, ફુલહાર સહિતના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો છેલ્લા સવા વર્ષ ઉપરાંતથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. ગત નવેમ્બર માસમાં લગ્નના ૨ અને ડિસેમ્બર માસમાં લગ્નના ૩ મુહુર્ત હતા જ્યારે કમુરતા બાદ ફેબુ્રઆરી માસ દરમ્યાન લગ્નના બે મુહુર્ત હતા. ત્યારબાદ હોળાષ્ટક અને ગુરૂ-શુક્રનો અસ્ત  હોઈ દોઢ મહિના જેટલો સમયના વિરામ બાદ એપ્રિલ માસ દરમ્યાન પુનઃ મુહુર્તની શરૂઆત થઈ હતી. જો કે આ સમયગાળા દરમિયાન કોરોનાના સંક્રમણની ગતિ વધતા નિયંત્રણોના કારણે લગ્ન પ્રસંગો કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે કરવામાં આવ્યા હતા. જેથી કોરોના નિયંત્રણો વચ્ચે યોજાતા લગ્નમાં માહોલ ફિક્કો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન કોરોનાની બીજી લહેર ઘાતક બનતા ગણતરીના મહેમાનોની ઉપસ્થિતિમાં સાદગીપૂર્ણ રીતે લગ્ન પ્રસંગો યોજાયા હતા.

છેલ્લા સવા વર્ષ ઉપરાંતથી કોરોના મહામારીને પગલે કેટરીંગ, બેન્ડવાજા, બગી, ફુલહાર સહિત ઈવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ધંધામાં આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. કોરોનાને પગલે લોકડાઉન તેમજ બાદમાં અમલી બનાવાયેલ મીની લોકડાઉનને કારણે મર્યાદિત મહેમાનોની ઉપસ્થિતિ વચ્ચે જ લગ્ન પ્રસંગો યોજાતા તેઓની સિઝન ફેઈલ થઈ હોવાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે આગામી જુલાઈ માસના ચાર લગ્ન મુહુર્ત બાદ તા.૨૦મી જુલાઈને દેવપોઢી એકાદશી સાથે લગ્નસરાની સિઝન પુરી થશે અને ચાર મહિના પછી એટલે કે તા.૧૪મી નવેમ્બરથી લગ્નસરાની સિઝનની શરૂઆત થશે.

જુલાઈ માસ દરમિયાન લગ્નના ફક્ત ચાર જ મુહુર્ત જ બાકી

આગામી જુલાઈ માસ દરમ્યાનના ફક્ત ચાર લગ્ન મુહુર્તો એટલે કે તા.૧, ૨, ૩ અને ૧૩ના મુહુર્તો જ બાકી છે. અને તા.૨૦મી જુલાઈના રોજ દેવપોઢી એકાદશી બાદ ચાર મહિના સુધી હિન્દુ સમુદાયમાં લગ્ન પ્રસંગો યોજાતા ન હોઈ વેપારીઓની ચિંતા વધવા પામી છે. એક તરફ કોરોના સંક્રમણ ઘટતા સરકાર દ્વારા છુટછાટો આપવામાં આવી છે ત્યારે લગ્નના જુલાઈ માસના ચાર મુહુર્તો બાદ ચાર મહિના સુધી વિરામ હોઈ વેપારીઓને આગામી નવેમ્બર માસ સુધી આર્થિક સંકળામણનો સમાનો કરવો પડશે તેવો મત જાગૃત વેપારીઓએ વ્યક્ત કર્યો છે.

https://ift.tt/3AfUU9o

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...