Skip to main content

વડોદરા સહિત પાંચ જિલ્લાની નર્સરીઓમાં જૈવિક ખાતરથી રોપા ઉછેર કરાશે


વડોદરા: એમ.એસ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના એન્વાયર્મેન્ટલ સાયન્સ વિભાગ દ્વારા વડોદરા સહિતના પાંચ જિલ્લા છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાની કપડવંજ, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુરની નર્સરીઓમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરી રોપાના મૂળિયા મજબૂત કરવાની સાથે તેને જમીનમાં ઉગાડયા પછી વિકાસ જલદી થાય તે માટેનો પ્રોજેક્ટ માસ્ટરનો અભ્યાસ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓ સાથે તા.૨ ઓગસ્ટથી શરુ કરાશે જે એક વર્ષ ચાલશે, તેમ પ્રો.તારિકા કુમારે કહ્યું છે.

એન્વાયર્મેન્ટલ સાયન્સ વિભાગના પ્રો.મંથન ટેલરે કહ્યું કે શહેરમાં ગ્રીન કવર વધ્યું છે પણ તેમાં રસ્તાની બંને તરફના, ડિવાઈડર અને બગીચાઓના વૃક્ષોનો સમાવેશ થાય છે, પરંતુ મોટા વૃક્ષોના વિસ્તારમાં કોઈ ફેરફાર થયો નથી. જેથી અમે સેટેલાઈટ ઈમેજની મદદથી છેલ્લા ૨૦ વર્ષમાં કેટલી જમીનનો ઉપયોગ રહેણાંકમાં પરિવર્તિત થયો છે અને શું બદલાવ આવ્યા છે તેની માહિતી મેળવવાની સાથે ક્યાં વિસ્તારોમાં વૃક્ષો વધારી શકાય તે પ્રોજેક્ટ અંતર્ગત છ મહિના દરમિયાન રિસર્ચ કરાશે આ પ્રોજેક્ટ અંતર્ગત ૯ વિદ્યાર્થીઓ કામ કરશે.

ડો.બબલુ પ્રસાદે કહ્યું કે, છેલ્લા ૩૦ વર્ષમાં છોટાઉદેપુરમાં વનીકરણ પ્રોગ્રામ અંતર્ગત વૃક્ષારોપણ થયેલું છે. તેના કારણે ત્યાંના વાતાવરણમાં તેમજ ભૂગર્ભ જળની ગુણવત્તામાં શું ફેરફાર થયો છે તેની ચકાસણી કરાશે. જો અહીંથી સ્થિતિ સુધરેલી જોવા મળશે તો ભવિષ્યની યોજનામાં આ પ્રોજેક્ટ લાભદાયી નીવડી શકશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા એમ.એસ.યુનિ.ના એન્વાયર્મેન્ટલ વિભાગ અને પાદરા કોલેજને ચાર પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ મળી છે. જે લગભગ એક વર્ષ ચાલશે, સંશોધનના અંતે જે પરિણામ મળશે તેનો તુરંત ઉપયોગ કરાશે અને તેના આધારે સરકાર પર્યાવરણને લઈ નવી પોલિસી તૈયાર કરી શકશે.

શાકભાજીનો ટોપલો ગણાતા પાદરા વિસ્તારમાં ભૂગર્ભ જળનું પ્રદૂષણ વધ્યું

પાદરા કોલેજના અધ્યાપિકા ડો.ખુશાલી પંડયાએ કહ્યું કે પાદરાનો મોટાભાગનો વિસ્તાર શાકભાજીના ટોપલા તરીકે ઓળખાય છે. પાદરા અને મહીના કાંઠે પુષ્કળ પ્રમાણમાં સરગવો ઉગતો હતો પરંતુ છેલ્લા ૧૫ વર્ષમાં તેનું પ્રમાણ ઘટી ગયું છે જેનું મુખ્ય કારણ ભૂગર્ભ જળનું પ્રદૂષણ છે. પાદરાની આસપાસ ફેક્ટરીઓનું પ્રમાણ વધતા તેનું કેમિકલયુક્ત પાણી અહીંની જમીનમાં ભળતા ભૂગર્ભ જળ ખરાબ થયું છે. લુણા નજીક તો જમીન ખોદતા રંગીન પાણી જ બહાર આવે છે એટલે અમારા રિસર્ચ પ્રોજેક્ટ હેઠળ ભૂગર્ભ જળની વનસ્પતિ પર શું અસર થાય છે તેમજ પ્રદૂષણ ઘટાડવા શું કરી શકાય તે સંશોધન કરાશે.

https://ift.tt/3zUiG9W

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...