Skip to main content

જીએસટીનું નેટવર્ક બનાવતી ઇન્ફોસિસ પણ હવે વેપારીઓને ઓર્ડર આપવા માંડી



લ્યો કરો વાત, સરકાર કે નાણા મંત્રીનો પરિપત્ર નથી છતાં

માસિક થ્રી બી રિટર્ન સાથે મિસમેચ ન થાય તે રીતે એન્યુઅલ એગ્રીગેટ ટર્નઓવરની વિગતો આપતા આંકડા મૂકવા જણાવ્યું

અમદાવાદ : છેલ્લા નાણાંકીય વર્ષ દરમિયાન વેપારીઓએ ફાઈલ કરેલા માસિક થ્રી બી રિટર્ન સાથે મિસમેચ ન થાય તેવું એટલે કે એન્યુઅલ એગ્રીગેટ ટર્નઓવર (એએટીઓ) અંગેની વિગતો પૂરી પાડવાનો આદેશ જીએસટીનું વેબ પોર્ટલ બનાવતી કંપની ઇન્ફોસીસે વેપારીઓને કર્યો છે.

31મી ઓગસ્ટ પહેલા વેપારીઓએ તેમના ટર્નઓવર અંગેના આંકડાઓનું ડિસ્ક્લોઝર આપી દેવું તેમ ડેશબોર્ડ પર જણાવવામાં આવ્યું છે. ઇન્ફોસિસે ટ્વિટ કરીને  વિગતો અપલોડ કરી દેવા વેપારીઓને જણાવ્યું છે.

વાસ્તવમાં કેન્દ્ર સરકાર કે કેન્દ્રના નાણાં મંત્રાલયે આ જાહેરાત કરવી જોઈએ અથવા તો તેને લગતો પરિપત્ર કરવો જોઈએ. પરંતુ તેવું થયું નથી. માત્ર જીએસટીએન પોર્ટલના ડેશબોર્ડ પર આ વિગતો મૂકવામાં આવી છે અને વેબપોર્ટલ બનાવનાર ઇન્ફોસિસે ટ્વિટ કરીને વેપારી આલમને તેની જાણ કરી છે.

જીએસટીના રિટર્નમાં 30મી સપ્ટેમ્બર સુધી કરેક્શન કરી શકાય છે. પરંતુ આવકવેરાના ઓડિટ રિપોર્ટ આ વર્ષે 31 ડિસેમ્બર પહેલા પહેલા રજૂ કરી દેવાનો છે. જ્યારે આવકવેરાના ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર છે. તેના એક મહિના જ પહેલા જ ટર્નઓવરની પૂરી વિગતો જીએસટી પોર્ટલ પર માગવામાં આવી છે.

વાસ્તવમાં રિટર્નમાં કંઈક ભૂલ રહી ગઈ હોય તો તેની જાણકારી આ વર્ષે ત્યારબાદ થનારા ઓડિટ રિપોર્ટની વિગતો પરથી મળી શકે છે. પરંતુ જીએસટી પોર્ટલે આ વિગતો 31મી ઓગસ્ટ પહેલા રજૂ કરી દેવાનો આગ્રહ રાખ્યો છે.  સામાન્ય રીતે જીએસટીનું વાર્ષિક રિટર્ન અને ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર છે.

જીએસટીના પોર્ટલ પર પહેલા માત્ર રૂ. 5 કરોડથી વધુ કે પાંચ કરોડથી ઓછું ટર્નઓવર છે તેની જ વિગતો આપવાની થતી હતી. હવે તેને બદલે તેમના જીએસટીઆર-3બી અને તેમના વાર્ષિક રિટર્નના આંકડાઓ મિસમેચ ન થાય તે રીતે રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. કેટલીકવાર વેપારીઓથી 10 લાખને બદલે 10 કરોડ પણ લખાઈ જતું હોવાના કિસ્સાઓ બને છે.

જીએસટીઆર-1 અને જીએસટીઆર 3-બીને આધારે જ જીએસટીએનના પોર્ટલ પર જ વેપારીઓના ટર્નઓવરના આંકડા તૈયાર થઈ જાય છે. જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બીના આંકડાઓને આધારે આ વિગતો તૈયાર થાય છે અને તેમાં કોઈ તફાવત હોય તો તેની વિગતો કારણો સાથે વેપારીઓને આપવાની રહેશે.

તેમાં પોર્ટલની પણ ભૂલ થયેલી હોઈ શકે છે. આંકડાં પ્રમાણે રૂ. 100 કરોડનું ટર્નઓવર દેખાતું હોય પણ વાસ્તવમાં થતું ટર્નઓવર 95 કરોડ હોય તો તેના પણ વિવાદ જીએસટી કચેરીના અધિકારીઓ ઊભા કરી શકે છે. અધિકારી રૂા. 100 કરોડના ટર્નઓવરને પકડી રાખે તો તેના પણ વિવાદ થઈ શકે છે.

જીએસટીના કાયદા મુજબ આગળના વર્ષના આંકડામાં કોઈ ભૂલ થયેલી હોય તો વેપારી સપ્ટેમ્બર 30મી સુધી તેમાં કરેક્શન કરી શકે છે. આ પહેલા 31મી ઓગસ્ટે જ વિગતો આપી દેવાની વાત ઉચિત નથી. સરકાર પણ આ વિગતો પહેલાથી કેવી રીતે દર્શાવી શકે તેવો સવાલ પણ વેપારી આલમ કરી રહી છે.

આ ડેટાઓ વેપારીઓ દ્વારા ચેક કરવામાં આવતા ધ્યાનમાં આવ્યું છે કે ઓગસ્ટ 2020નું ટર્નઓવર તે આ એગ્રીગેટ ટર્નઓવરમાં ગણવામાં જ આવ્યું નથી. સરકારની વેબસાઈટના આંકડાઓમાં જ ભૂલ દેખાય છે, તો વેપારીઓની ભૂલ થઈ જાય તો સરકાર તેને ચોર ગણીને દંડ કરે છે તે ઉચિત છે ખરૂં તેવો સવાલ વેપારી આલમ કરી રહી છે.

https://ift.tt/3iZKwKR

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...