Skip to main content

ગુજરાતનું જાહેર દેવું 2019-20માં રૂા. 3.15 લાખ કરોડને આંબી ગયું



મહેસૂલી આવક કરતાં ખર્ચ વધારે થતો હોવાથી રાજકોષીય ખાધમાં પણ વધારો : CAG

જાહેર દેવા પરના વ્યાજ પેટે રૂા. 24,449 કરોડ ચૂકવવામાં આવ્યા

અમદાવાદ : ગુજરાત સરકારનું જાહેર દેવું વધીને રૂા. 3.15,455 કરોડનું થઈ ગયું હોવાનું કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલના 2019-20ના વર્ષના આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

માર્ચ 2020ની અંતની સ્થિતિએ આ આંકડા કેગના રિપોર્ટમાં આપવામાં આવ્યો છે. ગુજરાત સરકારના 2019-20ના બજેટમાં જાહેર દેવું રૂા. 2,67,095 કરોડનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે સરકારે કરેલા આયોજન મુજબ 2023-24 સુધીમા ંગુજરાતનું જાહેર દેવું રૂા. 4,10,989 કરોડની સપાટીએ પહોંચી જવાની ધારણા મૂકવામાં આવી રહી છે. 

સરકારે જાહેર દેવું વધાર્યું હોવાથી વ્યાજ પેટે વધુ રકમ ચૂકવવી પડી રહી છે. 2018-19માં વ્યાજ પેટે રૂા. 20,183.36 કરોડની કરવામાં આવેલી ચૂકવણી સામે 2019-20માં રૂા. 22,448.66 કરોડની વ્યાજ પેટે ચૂકવણી કરી હતી.

બજારમાંથી લેવામાં આવેલી લોન પર 2019-20માં રૂા. 2498 કરોડ વધુ ચૂકવવા પડયા હતા. આમ કુલ વ્યાજની ચૂકવણી રૂા. 22,449 કરોડની થઈ હતી. ગુજરાત સરકારે 2019-20માં કુલ વ્યાજની કરેલી ચૂકવણીમાં 67.96 ટકા વ્યાજ તો બજારમાંથી લેવામાં આવેલા જાહેર દેવા પેટે જ કરવાની ફરજ પડી હતી. 

સરકારની મહેસૂલી આવક કરતાં ખર્ચ વધારે થાય ત્યારે રાજકોષીય ખાધમાં વધારો થાય છે. ગુજરાતની રાજકોષીય ખાધ 2019-20ના વર્ષમાં રૂા. 24,581 કરોડની રહી હતી. કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાજકોષીય ખાધ ઓછી દર્શાવવા ગુજરાત સરકારે આંકડાકીય રમત પણ કરી છે. તેણે મહેસૂલ વિભાગને બદલે મૂડી વિભાગમાં ખર્ચ દર્શાવીને રૂા. 1881.56 કરોડની રાજકોષીય ખાધ ઓછી દર્શાવવાની કોશિશ કરી છે. 

બીજીત રફ મહેસૂલી આવક વધી રહી છે. 2019-20માં મહેસૂલી આવકમાં 5.03 ટકાનો વધારો તયો હતો.તેની સામે મહેસૂલી ખર્ચમાં 6.11 ટકાનો વધારો થયો હતો. પરંતુ રાજ્યની પોતાની વેરાની આવક 1.37 ટકા ઘટી હતી. તેથી સામાજિક સેવાઓ માટે કરવામાં આવતા ખર્ચમાં 19.76 ટકાનો ઘટાડો કરવાની ફરજ પડી હતી. પરંતુ તેની સામે રાજ્યની કુલ ઉપજમાં ઘટાડો થઈ રહ્યો છે.

ઘરેલું ઉત્પાદન 2015-16માં 10.46 ટકા હતું તે 2019-20માં ઘટીને 7.21 ટકા થઈ ગયું છે. 2015 પછીના પાંચ વર્ષ બાદ કુલ ઉપજનો આ નીચામાં નીચો આંકડો છે. સરકારની વેરાની આવક વધી રહી છે. 2018-19માં વેરાની આવક રૂા. 80,102 કરડોની અને 2019-10મા ંરૂા. 99,062ના અંદાજ સામે રૂા. 79.007.50 કરોડની આવક થઈ હતી.

તેની સામે 2018-19માં મહેસૂલી ખર્ચ રૂા. 1,32,789.57 કરોડ અને 2019-20માં મહેસૂલી ખર્ચ રૂા. 1,40,898.91 કરોડનો તયો હતો. જોકે બિનવેરાકીય અને કેન્દ્રિય વેરામાંથી મળતા  હિસ્સા અને સહાયક અનુદાનમાંથી થતી આવકના ઉમેરા સાથે થતી કુલ મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ ઓછો રહ્યો હતો.

https://ift.tt/2XWQoO4

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...