Skip to main content

કોરોનાથી મૃત્યુના આંકડાને મામલે વિપક્ષનો હંગામો : કાર્યવાહી સ્થગિત



ગુજરાત વિધાનસભામાં સરકાર ભીંસમાં મૂકાઇ

'ભાગેડુ જનતા પાર્ટી-વળતર ચૂકવો'ના સૂત્રોચ્ચારથી ગૃહ ગાજ્યું, વિપક્ષી ધારાસભ્યોએ વેલમાં બેસી રામધૂન બોલાવી

અમદાવાદ : વિધાનસભા સત્રના સતત બીજા દિવસે પણ વિપક્ષે કોરોનાના મુદ્દે ભાજપ સરકારને ભીંસમાં લીધી હતી. કોરોનાના મૃત્યુઆંકમાં વિસંગતતા સર્જાતા કોંગ્રેસી ધારાસભ્યોે ગૃહમાં હોબાળો મચાવી દીધો હતો જેના કારણે અધ્યક્ષે ગૃહની કાર્યવાહી પ્રશ્નોતરી કાળ સુધી સૃથગિત કરવી પડી હતી.

એક તબક્કે કોગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ કરવા  નક્કી કરાયુ હતું પણ બંને પક્ષોની વાતચીતના અંતે સસ્પેન્શન પાછુ ખેચાયુ હતું અને મામલો થાળે પડયો હતો. પ્રશ્નોતરી કાળમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલાં લોકોના આંકડા મુદ્દે વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતાં. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એવો આક્ષેપ કર્યો કે, ખુદ આરોગ્ય વિભાગે જિલ્લાવાર કોરોના મૃત્યુ આંક 3864 દર્શાવ્યો હતો.

ગુજરાત સરકારે સત્તાવાર રીતે 10081નો મૃત્યુઆંક જાહેર કર્યો છે. એટલું જ નહીં. તા.14મી માર્ચે કેન્દ્રીય ગૃહ વિભાગે સ્ટેટ ડિઝાસ્ટર રિસોપન્સ ફંડના પત્ર કોરોનાને મહામારી ગણવામાં આવી છે અને મૃતકોના પરિવારજનોને રૂા.4 લાખ વળતર આપવા જોગવાઇ કરી છે તો રૂા.50 હજાર વળતર કેમ આપવા નક્કી કરાયુ છે તે સમજાતુ નથી.

આ ઉપરાંત કોંગ્રેસે માહિતી અિધકાર હેઠળ મેળવેલી માહીતી થકી એવુ જાણવા મળ્યુ છેકે, કોરોનાથી 37,637ના મોત થયા છે. ખરેખર કોરોનાના સાચા આંકડા માટે ન્યાયિક તપાસ થવી જોઇએ. 

આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ચાર લાખ વળતર આપો,મૃતકના પરિવારજનોને સરકારી નોકરી આપો તેવી માંગ સાથે પોસ્ટર પ્રદર્શન કર્યુ હતું. એટલું જ નહીં. ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતાં. આ જોતાં અધ્યક્ષે ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતાં. વિપક્ષના ધારાસભ્યોએ ભાગેડુ જનતા પાર્ટી, શરમ કરો, ન્યાય આપો-વળતર ચૂકવોના નારાં લગાવી ગૃહનુ વાતાવરણ ગુંજવી મુક્યુ હતું જેથી અધ્યક્ષ ગૃહની કાર્યવાહી સૃથગિત કરી હતી.

આમ છતાંય કોંગ્રેસી ધારાસભ્યોએ વેલમાં બેસીને રામધૂન બોલાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત હોબાળોને લીધે ગૃહ છોડી ગયા હતાં.  આ દરમિયાન,અધ્યક્ષે ભાજપ-કોંગ્રેસના દંડક સહિતના પ્રતિનીધીઓને ચેમ્બરમાં બોલાવી ચર્ચા કરી હતી. અડધા કલાક બાદ ફરી ગૃહ શરૂ થતાં અધ્યક્ષે કોંગ્રેસી ધારાસભ્યોનુ સસ્પેન્શન પાછુ ખેચ્યુ હતું. આમ, મામલો થાળે પડયો હતો. 

સરકાર જ કહે છેકે, 11,249 બાળકો કોરોનાને લીધે નિરાધાર બન્યાં 

કોરોનાના મૃત્યુઆંકને લઇને ભાજપ સરકાર ભેખડે ભરાઇ છે. ખુદ સરકારે જ વિધાનસભા ગૃહમાં કબૂલ્યુ છેકે, કોરોનાના કારણે 211 બાળકો એવા છે જેમણે માતા-પિતા ગુમાવ્યા છે. એટલે 422 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. જયારે માત્ર માતા આૃથવા પિતાને ગુમાવનારાં બાળકોની સંખ્યા 10827 છે. ટૂંકમાં કુલ 11,249 બાળકો કોરોનાના લીધે નિરાધાર બન્યા છે. બીજી તરફ, રાજ્ય સરકારે કોરોનાનો સત્તાવાર મૃત્યુઆંક 10,081 જાહેર  કર્યો છે જેના કારણે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. આમ, કોરોના મૃત્યુઆંકનો સાચો આંક કયો તે અંગે પ્રશ્ન ઉઠયાં છે. 

ગૃહમાં હોબાળો મચ્યો ને, સિનિયરોએ તમાશો નિહાળ્યો

વિધાનસભાના બે દિવસીય સત્રમાં નવી સરકારની કસોટી થઇ હતી. સત્રમાં વિપક્ષના આક્રમણ સામે નવા મંત્રીઓ રીતસરના ગેંગેફેફે થઇ ગયા હતાં. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રૂપાણી સરકારના સિનિયર મંત્રીઓને દબાણપૂર્વક કહ્યુ હતુંકે, નવા મંત્રીઓને સહકાર આપે.

પણ તેમની શિખામણ જાણે ઝાંપા સુધી જ રહી હતી. વિધાનસભા સત્રના સતત બીજા દિવસે પણ કોંગ્રેસી ધારાસભ્યોએ કોરોનાના મૃત્યુઆંકને લઇને હંગામો મચાવ્યો હતો. આરોગ્ય મંત્રી સહિત સરકારને બરોબરની ભીંસમાં લીધી હતી ત્યારે ગૃહમાં સિનિયર મંત્રીઓએ ચૂપચાપ બેસીને તમાશો નિહાળ્યો હતો.

સરકાર સામે સતત આરોપબાજી ચાલતી રહી તેમ છતાંય સિનિયરોએ એક હરફ સુધૃધાં ઉચ્ચાર્યો ન હતો. નવાઇની વાત તો હતીકે, પ્રશ્નોતરી કાળ દરમિયાન મંત્રી પ્રદિપ પરમાર અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિપક્ષના સવાલોથી ઘેરાયા હતાં તેમ છતાંય સિનિયરોએ કોઇ મદદ કરી  હતી.  રૂપાણી સરકારના પૂર્વ સિનિયર મંત્રીઓના આવા વલણને લીધે ભાજપમાં અસંતોષ ભભૂકી રહ્યો છે તે વાત સ્પષ્ટ થઇ છે.

https://ift.tt/2XYNHvG

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...