Skip to main content

વાસણારોડની મિયષ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરના સંચાલકે ડોક્ટર સાથે ૩૨ લાખની છેતરપિંડી કરી


વડોદરા :  હોસ્પિટલમાં ડોક્ટર સાથે ભાગીદારીમાં ચાલતા મેડિકલ સ્ટોરના સંચાલક દ્વારા ખરીદ અને વેચાણ બિલમાં ગોટાળા કરીને ઓછો નફો બતાવી ૩૨ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

વાસણા ભાયલી રોડ પર શ્રી હરિ રેસિડેન્સીમાં રહેતા ડો.હિરેન વિનોદરાય પોપટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી  જણાવ્યું છે  કે,મેં અને મારી પત્ની ડો.સ્વાતિ એ જૂન-૨૦૨૦ માં વાસણારોડ પર આવેલી કાર્તિકેય નગર સોસાયટીમાં મકાન ભાડે લઇ મિયષ હોસ્પિટલ શરૃ કરી હતી.હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર સમનકુમાર પ્રવિણભાઇ પંડયા (રહે.જય જલારામ સોસાયટી,ગોત્રીરોડ)એ શરૃ કર્યો હતો.તેણે પોતાની ઓળખાણ ફાર્મસિસ્ટ તરીકે અને તેની  પત્ની ડો.નમ્રતા ચૌહાણની ઓળખાણ કોર્પોરેશનના હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકેની આપી હતી.

મેડિકલ સ્ટોર માટે સમન  પંડયાએ અમારી સાથે કરાર પણ કરાર કર્યો હતો.જે મુજબ નફાના પચાસ ટકા રકમ અમને આપવાનું નક્કી કર્યુ હતું.કોરોનાના કારણે એપ્રિલ-૨૦૨૧ માં અમારી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલમાં રૃપાંતરિત થઇ હતી.મે-૨૦૨૧ માં દર્દીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે,મેડિકલ સ્ટોરના બિલો મોડા આપવામાં આવે છે. અને બિલમાં ગરબડ થતી હોય તેવું લાગે છે.જેથી,હોસ્પિટલના સોફ્ટવેરમાં મે ંતપાસ કરતા જાણવા મળ્યું હતું કે,સમનકુમાર પંડયાએ નફાની  રકમમાં ચેડાં કર્યા છે.તેમજ હિસાબમાં પણ ગોટાળો કર્યો છે.આ અંગે સમન પંડયાને  પૂછતા તેણે જણાવ્યું હતું કે,સ્ટોરમાં કામ કરતા હર્ષિલ ગોહિલે બિલો બનાવવામાં ભૂલ કરી છે.

મેં હર્ષિલ ગાહિલને બોલાવી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે,સમન  પંડયા અને તેનો ભાઇ રાધેશ્યામ પંડયા મેડિકલ  સ્ટોરમાં ગરબડ કરે છે.આ  અંગે હર્ષિલે ઓડિયો  રેકોર્ડિંગ પુરાવા તરીકે મને સંભળાવ્યા હતા.તેમજ બિલો આપ્યા હતા.સમન પંડયાની  પત્ની ડો.નમ્રતા ચૌહાણે હર્ષિલને કહ્યું હતું કે,તું આ વાત કોઇને  કહીશ નહી.કોઇ પૂછે તો જણાવજે કે હું ૧૯ વર્ષનો છું.મને કંઇ ખબર નથી.

સમન પંડયાએ નફાના ૨૫ લાખ નહી આપી તેમજ સપ્ટેમ્બર-૨૦૨૧ થી મેડિકલ સ્ટોર બંધ કરી દેતા અમને સાત લાખ રૃપિયાનું નુકસાન થયું છે.સમન,તેના ભાઇ રાધેશ્યામ અને સમનની પ ત્ની ડો.નમ્રતા ચૌહાણે અમને ધમકી આપી હતી.ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે  ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

દર્દીઓ પાસેથી એમ.આર.પી.કરતા વધુ ભાવ વસુલાતો હતો

વડોદરા : ડો.હિરેન  પોપટે ફરિયાદમાં જણાવ્યું છે કે,મેં મેડિકલ સ્ટેરમાં નોકરી કરતા હર્ષિલને બોલાવી પૂછતા તેણે જણાવ્યું હતું કે,સમન પંડયા અને તેના ભાઇ રાધેશ્યામ દ્વારા મેડિકલ સ્ટોરમાં ગરબડ  કરવામાં આવે છે.(૧)ડોક્ટર દ્વારા લખવામાં આવેલા પ્રિસ્ક્રિપ્શનમાં વધારાની દવા લખે છે.(૨)સમન  પંડયાના પિતા પ્રવિણ પંડયાની આણંદમાં રાધે એજન્સી નામની દવાની એજન્સી છે.અને દવાના જે ભાવ હોય તેના કરતા વધારે ભાવ ખરીદીના  બિલમાં લખવામાં આવે છે.(૩)સરકાર દ્વારા નિયત કરેલા ભાવ કરતા પણ વધુ ભાવ દર્દીઓ પાસેથી વસુલવામાં આવે છે.

https://ift.tt/3I4nfTG

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...