Skip to main content

Gujarat Crime News: ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં પોક્સો હેઠળ 14,522 ગુના નોંધાયા, બાળકીઓ પર થયેલા દુષ્કર્મમાં સજાનો દર માત્ર 1.59 ટકા


<p style="text-align: justify;"><strong>અમદાવાદ:</strong> આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકારની નીતિ ઉપર સવાલ ઉઠાવતા, લોકસભાના ચોંકાવનારા આંકડા સાથે સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. લોકસભામાં પ્રસ્તુત આંકડા પ્રમાણે પોકસો કાયદા હેઠળ ગુજરાતમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ દરમિયાન ૧૪,૫૨૨ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ સુધીમાં પોકસો કેસમાં ૩૯૮.૫% નો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪માં પોકસો હેઠળ ૬૧૩ ગુના નોંધાયા હતા. જેમાં ૫ કેસોમાં સજા પડેલ હતી.&nbsp;</p> <p style="text-align: justify;">* છેલ્લા આઠ વર્ષ માં ગુજરાત પોકસો (POCSO) કાયદા હેઠળ ગુના નોંધાવાના દરમાં ૩૯૮.૫% નો વધારો.<br />* છેલ્લા આઠ વર્ષ માં ગુજરાત રાજ્ય માં પોક્સો હેઠળ ૧૪,૫૨૨ ગુના નોંધાયા.<br />* છેલ્લા આઠ વર્ષ માં નાની બાળકીઓ ઉપર થયેલા દુષ્કર્મો ના ગુનાઓમાં સજા અપાવવાનો દર (conviction rate) માત્ર ૧.૫૯%<br />* ૧૪,૫૨૨ પોકસો કેસમાં ૨૩૧ કેસ માં જ ગુના પુરવાર થઈ શક્યા.<br />* ગુજરાત રાજ્ય માં આઠ વર્ષ માં ૧૨,૬૪૭ કેસ પેન્ડિંગ.</p> <p style="text-align: justify;">વર્ષ &nbsp;૨૦૧૫મા પોક્સો હેઠળ ૧૬૦૯ ગુના નોંધાયા હતા, જેમાં ૮ કેસમાં સજા પડેલ હતી. વર્ષ ૨૦૧૬મા પોકસો હેઠળ ૧૪૦૮ ગુના નોંધાયા હતા, જેમાં ૫ કેસમાં સજા પડેલ હતી. વર્ષ ૨૦૧૭મા પોકસો હેઠળ ૧૬૯૭ ગુના નોંધાયા હતા , જેમાં ૧૨ કેસમાં સજા પડેલ હતી. વર્ષ ૨૦૧૮મા ૨૧૫૪ કેસ નોંધાયા, જેમાં ૩૩ કેસમા સજા થયેલ હતી. વર્ષ ૨૦૧૯મા ૨૨૫૩ પોકસો કેસમા ૭૪ કેસ, વર્ષ ૨૦૨૦મા ૨૩૪૫ પોકસો કેસમા ૨૩ કેસમાં અને વર્ષ ૨૦૨૧મા પોકસો કેસમા ૭૧ કેસમાં સજા થયેલ હતી. ગુજરાત રાજ્યમાં પોકસો હેઠળ ૧૪,૫૨૨ ગુનામાં ૨૩૧ કેસમાં (conviction) ગુનો પુરવાર થઈ શક્યા હતા. ગુજરાત રાજ્યમાં પોકસો કેસમાં સજા દર માત્ર ૧.૫૯% છે તે આંકડાકીય માહિતીથી જાણવા મળે છે.</p> <p style="text-align: justify;"><strong>બેન દીકરીની સુરક્ષામાં સરકાર નિષ્ફળ: પાર્થિવરાજસિંહ</strong></p> <p style="text-align: justify;">વર્ષ ૨૦૨૧ના અંત સુધીમાં ૧૨,૬૪૭ કેસ પેન્ડિંગ છે નો આંકડો જાણવા મળે છે. "બેટી બચાઓ બેટી પઢાઓ" ની જાહેરાતો પાછળ કરોડોના ખર્ચ થઈ પણ આ દીકરીઓને ન્યાય અપાવવામાં સરકાર નિષ્ફળ ગયી છે તે આંકડા પુરવાર કરે છે. ગૃહ મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરી વાહવાહી લૂંટી શકે છે તો કથળતી કાયદો વ્યવસ્થાની જવાબદારી પણ તેમની છે. નાની બાળકીઓ ઉપર વધતી દુષ્કર્મ શારીરિક છેડછાડના ગુનાઓમાં બેફામ વધારો ગુજરાતની અસ્મિતાને શરમાવે તેમ છે. ગૃહમંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને માનવું જોઈએ કે વધતા પોકસો કેસએ ગુજરાતની કથળતી કાયદો વ્યવસ્થા દર્શાવે છે. લોકસભાના આંકડાઓ દર્શાવે છે કે બેન દીકરીની સુરક્ષામાં સરકાર નિષ્ફળ ગયી છે. &nbsp;</p> <p style="text-align: justify;">ગુજરાત રાજ્ય માં કુલ POCSO કેસ- 14,522 કેસ&nbsp;</p> <p style="text-align: justify;">ગુજરાત રાજ્ય માં કુલ કેસ conviction -231કેસ&nbsp;</p> <p style="text-align: justify;">2014 -613 કેસ<br />2015-1609 કેસ<br />2016- 1408 કેસ<br />2017- 1697 કેસ<br />2018- 2154 કેસ<br />2019- 2253 કેસ<br />2020- 2345 કેસ<br />2021- 2443 કેસ</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...