Skip to main content

Ambani In Gujarat: સાળંગપુર હનુમાનજી દાદાના મંદિરે પહોંચ્યુ અંબાણી ફેમિલી, કોકીલાબેને પરિવાર સાથે કરી પૂજા-અર્ચના


<p><strong>Ambani Family In Gujarat:</strong> અંબાણી પરિવાર અત્યારે ફરી એકવાર ગુજરાતના પ્રવાસે છે, અનિલ અંબાણી અને સમગ્ર ફેમિલીએ આજે સવારે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કર્યા હતા. તેની તસવીરો સામે આવી છે, આ દરમિયાન તેમને પૂજા કરીને ધજા પણ ચઢાવી હતી.</p> <p><br /><img src="https://ift.tt/D7KhEo5" width="917" height="550" /></p> <p>રિલાયન્સ બિઝનેસ ગૃપના બિઝનેસમેન અનિલ અંબાણી હાલમાં જ ગુજરાત પહોંચ્યા છે. અનિલ અંબાણી પોતાના પરિવાર સાથે ગુજરાતમાં બોટાદ જિલ્લામાં સાળંગપુર હનુમાન દાદાના દર્શને પહોંચ્યા હતા, અહીં અંબાણી પરિવારે સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદાના દરબારમાં શીશ ઝૂકાવ્યુ અને પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે કોકિલાબેન અંબાણી સાથે પુરેપુરો અનિલ અંબાણી પરિવાર જોવા મળ્યો હતો. અંબાણી પરિવાર દ્વારા અહીં પૂજા કરવામાં આવી હતી અને બાદમાં દાદાને ધજા ચડાવાઇ હતી. સાળંગપુર હનુમાનજી મંદિર વિભાગે દ્વારા અનિલ અંબાણીને દાદાની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી, અંબાણી પરિવારે દાદાના આશીર્વાદ લઇને ધન્યતા અનુભવી હતી.</p> <h4 class="abp-article-title">રિહાનાને 74 કરોડ તો અરજીત,Akon, દિલજીત અને શ્રેયા ઘોષાલને પરફોર્મ કરવા માટે કેટલી મળી ફી?</h4> <p>દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ માટે, 1 થી 3 માર્ચ 2024 ના રોજ ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સ યોજાયા હતા, જેમાં વિશ્વભરની પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો. બીલ ગેટ્સ હોય, માર્ક ઝુકરબર્ગ, લક્ષ્મી મિત્તલ, આનંદ મહિન્દ્રા હોય કે પછી રાજનીતિ જગત હોય, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ હોય, દરેકે લગ્ન પહેલાની આ ઇવેન્ટનો આનંદ માણ્યો હતો.</p> <p><strong>મનોરંજન જગતની અનેક હસ્તીઓ હાજર રહી હતી</strong><br />આ કાર્યક્રમમાં ગ્લોબલ પોપ સ્ટાર રિહાન્નાથી લઈને શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન જેવા દેશના સૌથી લોકપ્રિય સ્ટાર્સે ભાગ લીધો હતો. દીપિકા પાદુકોણ, તેના પતિ રણવીર સિંહ, કરીના-સૈફ, કિયારા-સિદ્ધાર્થ સહિતની ઘણી હસ્તીઓએ પણ મનોરંજન જગતનું પ્રતિનિધિત્વ કરીને આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.</p> <p><strong>રીહાન્ના મુખ્ય આકર્ષણ રહી</strong><br />ગ્લોબલ પોપ સેન્સેશન રીહાન્નાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સમારોહમાં તેના ધમાકેદાર પરફોર્મથી સ્ટેજને હચમચાવી નાખ્યું હતું. રિહાન્ના વૈશ્વિક સ્તરે સૌથી વધુ કમાણી કરનાર સંગીતકારોમાંની એક છે, તેથી દેખીતી રીતે તેની ફી પણ ઘણી વધારે છે. સામાન્ય રીતે તે પ્રાઈવેટ ઈવેન્ટ્સ માટે રૂ. 1.5 મિલિયનથી રૂ. 80 લાખ ચાર્જ કરે છે પરંતુ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હાઇ પ્રોફાઇલ પ્રી-વેડિંગ ફંક્શન માટે, તેણીએ રૂ. 8-9 મિલિયન ચાર્જ કર્યા હોવાનું કહેવાય છે. જો આપણે તેને ભારતીય રૂપિયામાં જોઈએ તો તે લગભગ 74 કરોડ રૂપિયા થાય છે.</p> <p><strong>દિલજીત દોસાંઝ</strong><br />ભારતીય કલાકારોની વાત કરીએ તો પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન માટે લગભગ 4 કરોડ રૂપિયાની ફી લીધી છે. દિલજીત દોસાંઝ પંજાબી યુવાનો તેમજ &nbsp;દરેક વર્ગમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેમની ગાયકીથી તેમના દિલો પર રાજ કરે છે.</p> <p><strong>એકોન (Akon)</strong><br />પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગાયક એકોને પણ ભારત માટે એક ગીત ગાયું છે જેને યુવાનોમાં ઘણું પસંદ કરવામાં આવ્યું છે અને તે શાહરૂખ ખાનની ફિલ્મ રા-વનમાં સામેલ છે. એકોને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે 499,000 ડોલર ચાર્જ કર્યા, જે તે સામાન્ય રીતે કરે છે. અહેવાલો અનુસાર, આ માહિતી પ્રાપ્ત થઈ છે. તેણે આ રા-વનના ગીત 'છમક ચલો' પર પરફોર્મ કર્યું અને અંબાણી પરિવારની સાથે ત્યાં હાજર લોકોએ તેને ખૂબ જ ઉત્સાહિત કર્યો.</p> <p><strong>અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલ</strong><br />શ્રેયા ઘોષાલે દેશના ફેવરિટ સિંગર અરિજિત સિંહ સાથે શાનદાર ગીતો ગાયા. જ્યારે અરિજિત સિંહ એક ખાનગી કાર્યક્રમ માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, જ્યારે એવોર્ડ વિજેતા ગાયિકા શ્રેયા ઘોષાલ એક ગીત માટે 25 લાખ રૂપિયા ચાર્જ કરે છે. એવી માહિતી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં અરિજિત સિંહે તેમના રોમેન્ટિક ગીતોથી વાતાવરણને વધુ રોમેન્ટિક બનાવી દીધું હતું અને સાંજ ઇવેન્ટમાં હાજર તેમના ચાહકો માટે યાદગાર ક્ષણ બની ગઈ હતી.</p> <p><strong>બી પ્રાક</strong><br />બોલિવૂડ સિંગર અને પાવરફુલ વોઈસ બી પ્રાકે આ ઈવેન્ટમાં રણવીર સિંહ સાથે જુગલબંધી કરી અને પોતાના ગીતોથી ત્યાં હાજર લોકોનો ઉત્સાહ ભરી દીધો. એવા અહેવાલો છે કે બી પ્રાક સામાન્ય રીતે ઇવેન્ટ્સમાં ગાવા માટે 10-15 લાખ રૂપિયા ફી લે છે.</p> <p><strong>લકી અલી</strong><br />બોલિવૂડના પ્રખ્યાત ગાયક અને આલ્બમ સિંગર લકી અલીએ પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં ઉત્સાહપૂર્ણ પરફોર્મન્સ આપ્યું હતું અને તેમનું ઓલ ટાઈમ હિટ ક્લાસિક ગીત 'ઓ સનમ' ગાઈને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. લકી અલીએ આ પ્રાઈવેટ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે લાખોની ફી પણ લીધી હશે - રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે.&nbsp;</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...