<p><strong>Assembly By election: </strong>બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ સહિતના રાજ્યોની ખાલી પડેલી 26 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. ગુજરાતની ખાલી પડેલી બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો 7 મેના રોજ મતદાન યોજાશે. આ તમામ બેઠકોના પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. </p> <p>ગુજરાત વિધાનસભાની 5 ખાલી પડેલી બેઠકોને લઈ ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. વિસાવદર બેઠક પણ ખાલી છે પરંતુ આ બેઠકનો પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. </p> <p><img src="https://ift.tt/qTthZRB" alt="26 विधानसभा सीटों पर उपचुनाव होंगे" width="658" height="370" /></p> <p>વિજાપુર બેઠક સીજે ચાવડાએ રાજીનામું આપતા ખાલી પડી હતી. ખંભાત બેઠક ચિરાગ કુમાર પટેલે રાજીનામું આપતા ખાલી પડી હતી. વાઘોડિયા બેઠક ઘર્મેન્દ્ર વાધેલાએ રાજીનામું આપતા ખાલી પડી હતી. માણાવદર બેઠક અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી. પોરબંદર બેઠક અર્જૂનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપતા ખાલી પડી હતી. </p> <table dir="ltr" border="1" cellspacing="0" cellpadding="0" data-sheets-root="1"> <tbody> <tr> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"બેઠક"}">બેઠક</td> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"નામ"}">નામ</td> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"કયાં પક્ષમાંથી રાજીનામું આપ્યું"}">કયાં પક્ષમાંથી આપ્યું રાજીનામું</td> </tr> <tr> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"વાઘોડિયા"}">વાઘોડિયા</td> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"ધર્મેન્દ્રસિંહ વાઘેલા"}">ધર્મેન્દ્રસિંહ વાઘેલા</td> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"અપક્ષ"}">અપક્ષ</td> </tr> <tr> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"માણાવદર"}">માણાવદર</td> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"અરવિંદ લાડાણી"}">અરવિંદ લાડાણી</td> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"કોંગ્રેસ"}">કોંગ્રેસ</td> </tr> <tr> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"ખંભાત"}">ખંભાત</td> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"ચિરાગ પટેલ"}">ચિરાગ પટેલ</td> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"કોંગ્રેસ"}">કોંગ્રેસ</td> </tr> <tr> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"વિજાપુર"}">વિજાપુર</td> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"સી.જે.ચાવડા"}">સી.જે.ચાવડા</td> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"કોંગ્રેસ"}">કોંગ્રેસ</td> </tr> <tr> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"પોરબંદર"}">પોરબંદર</td> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"અર્જુન મોઢવાડિયા"}">અર્જુન મોઢવાડિયા</td> <td class="rtecenter" data-sheets-value="{"1":2,"2":"કોંગ્રેસ"}">કોંગ્રેસ</td> </tr> </tbody> </table> <p> </p> <p>2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 182 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 17 બેઠકો પર જીત મેળવી હતી. આમ આદમી પાર્ટીએ 5 બેઠકો પર જીત મેળવી હતી. અપક્ષ 3 અને સમાજવાદી પાર્ટીએ 1 બેઠક મેળવી હતી.</p> <p>બાદમાં અત્યાર સુધીમાં 6 ધારાસભ્યોએ પદ પરથી અને પક્ષમાંથી રાજીનામુ આપી દેતા ગુજરાતની 6 બેઠકો ખાલી પડી છે. જેમાં 6માં 4 કોંગ્રેસ તેમજ 1 AAP અને એક અપક્ષના ધારાસભ્યએ રાજીનામુ આપતા અત્યારની સ્થિતિએ ભાજપ પાસે 156 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 13 અને આમ આદમી પાર્ટી પાસે 4 અને અપક્ષ પાસે 2 અને સપા પાસે 1 બેઠક છે. ગુજરાતાં હાલ 6 બેઠકો ખાલી પડી છે. જેમાંથી પાંચ બેઠકોને ચૂંટણીની જાહેરાત છે. વિસાવદર બેઠક પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. હાલ આ બેઠક પર પેટા ચૂટંણીની જાહેરાત કરવામાં આવી નથી. </p> <p> </p>
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
Comments
Post a Comment