<p><strong>ગાંધીનગર:</strong> રાજ્યના હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે, રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ઉંચો જઈ રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કાળઝાળ ગરમીનું પ્રમાણ વધવાને કારણે લોકો કામ વગર બહાર જવાનું ટાળે છે. હવામાન વિભાગે કહ્યુ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળુ વાતાવરણ રહેશે. </p> <p><strong>ગુજરાતમાં છ દિવસ હીટવેવની આગાહી</strong></p> <p>હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં છ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આવનારા સાત દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની આગાહી કરવામાં નથી આવી. જોકે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાશે.</p> <p><strong>અમરેલી સૌથી ગરમ શહેર </strong></p> <p>છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 37.4 ડિગ્રી, ગાંધીનગરમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં અમરેલીમાં 40.2 ડિગ્રી સૌથી વધુ તાપમાન નોંધાયુ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં 39 ડિગ્રી સુધી તાપમાન જવાનું અનુમાન છે.</p> <p><strong>સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી </strong></p> <p>હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. આગામી ચાર દિવસ એટલે કે, આજથી 25મી તારીખ સુધીમાં કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલીમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. </p> <p>કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને દીવમાં હીટવેવની વોર્નિંગ છે. હવામાન વિભાગે કહ્યુ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળુ વાતાવરણ રહેશે. આ વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, જે જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તેની આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે.</p> <div>Join Our Official Telegram Channel:<br /><a href="https://ift.tt/WtwLMv7" target="_blank" rel="noopener" data-saferedirecturl="https://ift.tt/gvbofHB> <div> </div> <div> </div>
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
Comments
Post a Comment