<p><strong>ગાંધીનગર:</strong> રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની સાથે યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગમી 5 દિવસ વાતાવરણ સૂકુ રહશે. કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં ગરમ પવન ફૂંકાશે. અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પશ્ચિમ ઉત્તર દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે. દરિયાઈ વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ગીર સોમનાથ અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા લોકોને બપોર બાદ ઘરની બહાર ન નિકળવા અપીલ કરાઈ છે અને શક્ય હોય ત્યાં સુધી વધારે પાણી પીવાનું જણાવાયું છે. </p> <p>હવામાન વિભાગ અનુસાર જૂનાગઢ, કચ્છમાં પણ આગ ઝરતી ગરમી પડશે. અમદાવાદમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. 11 શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પારને પહોંચ્યો છે. હીટવેવની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ આપ્યું છે. કામ વગર બપોરના સમયે બહાર ન જવા અપીલ કરી છે.</p> <p>રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હીટવેવની શક્યતાના કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવાનું સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ જરૂર જણાય તો શાળાઓના સમયમાં ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે. </p> <p>હવામાન વિભાગે ગુજરાતના અનેક શહેરોમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. અહીં પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં ભીષણ ગરમી પડશે. ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 24 માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં હીટવેવની આગાહી છે. તો 25 થી 26 માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને, અમરેલીમાં હિટવેવની આગાહી છે.</p> <p>રાજકોટમાં 40 ડિગ્રી કરતા વધુ તાપમાન થતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગરમીને લઈને લોકોને બપોરે સાવચેત રહેવા અપીલ કરી છે. બપોરે 1 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ડી હાઇડ્રેશનનું પ્રમાણ રોકવા લોકોએ લીંબુ પાણી, છાસનો ઉપયોગ કરવા જણાવાયું છે. </p>
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
Comments
Post a Comment