Skip to main content

Gujarat: રાજકોટમાં રૂપાલા સામે ઉતરવાની આ દિગ્ગજ કોંગ્રેસીની ઇચ્છા, કહ્યું- પાર્ટી ટિકીટ આપશે તો લડી લઇશ


<p><strong>Gujarat Congress:</strong> ગુજરાત કોંગ્રેસ લોકસભા ચૂંટણીને લઇને હવે એક્શન મૉડમાં આવ્યુ છે, ગુજરાતમાં કોંગ્રેસે પોતાની બીજી યાદીમાં સાત નામો જાહેર કર્યા છે. ગઇ રાત્રે કોંગ્રેસ પોતાની બીજી યાદી જાહેર કરી જેમાં કુલ 43 ઉમેદવારોના નામે સામેલ હતા. આ યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં બાકી રહેલી બેઠકોમાં રાજકોટ બેઠક માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરા મોટુ નિવેદન આપ્યુ છે, તેમને રાજકોટથી લોકસભા લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.</p> <p><br /><img src="https://ift.tt/YDrb84p" width="922" height="555" /></p> <p>કોંગ્રેસ પાર્ટીની બીજી યાદી જાહેર થયા બાદ રાજકોટ-સૌરાષ્ટ્રના રાજકોય માહોલ ગરમાયો છે. ગુજરાત કોંગ્રેસના મોટા નેતા, પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. લલિત કગથરાએ આ વખતે ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલા સામે રાજકોટ લોકસભામાં ઉતરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આજે લલિત કગથરાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાર્ટી કહેશે તો હું રાજકોટથી લોકસભા લડીશ. મે મારી વાત કોંગ્રેસ મોવડી મંડળને કહી દીધી છે. રાજકોટમાં રૂપાલાએ ભાજપના આયાતી ઉમેદવાર છે. લલિત કગથરાએ અર્જૂન મોઢવાડિયા અને અન્ય કોંગ્રેસ નેતાઓના પક્ષ છોડવા અંગે પણ પ્રતિક્રિયા આપી હતી, તેમને કહ્યું કે, અર્જૂન મોઢવાડિયાના જવાથી કોઇ ફેર ના પડે.</p> <h4 class="abp-article-title">લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કૉંગ્રેસે &nbsp;ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ &nbsp;</h4> <p>લોકસભા ચૂંટણી 2024ને લઈ કૉંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કૉંગ્રેસની આ યાદીમાં ગુજરાતમાંથી 7&nbsp; ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. બનાસકાંઠા બેઠક પરથી &nbsp;ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. વલસાડ બેઠક પરથી અનંત પટેલને ટિકિટ મળી છે. બારડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ મળી છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તા અને અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણાને ટિકિટ મળી છે. પોરબંદર બેઠક પરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે.&nbsp; &nbsp;</p> <p><strong>ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી&nbsp;</strong></p> <ul> <li>બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર</li> <li>અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા</li> <li>અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા</li> <li>બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી</li> <li>વલસાડથી અનંત પટેલ</li> <li>પોરબંદરથી લલિત વસોયા</li> <li>કચ્છથી-નિતેષ લાલણ&nbsp;</li> </ul> <p><br /><img src="https://ift.tt/nvyBHpi" alt="Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કૉંગ્રેસે &nbsp;ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ &nbsp;" /></p> <p>આ સિવાય જોરહાટથી ગૌરવ ગોગોઈ, સિલચરથી સૂર્યા ખાન અને જાલોરથી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને આ યાદીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પહેલા કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.</p> <p>7 માર્ચે યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઘણા મોટા નામો નક્કી કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસે આ પહેલા 8 માર્ચે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.પ્રથમ યાદી મુજબ કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.&nbsp;</p> <p><strong>મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ઉમેદવારો</strong></p> <p>છિંદવાડા- નકુલનાથ<br />ભીંડ- ફૂલસિંહ બરૈયા<br />ટીકમગઢ- પંકજ અહિરવાર<br />સતના- સિદ્ધાર્થ કુશવાહા<br />ડાયરેક્ટ - કમલેશ્વર પટેલ<br />મંડલા - ઓમકાર સિંહ મરકામ<br />દેવાસ - રાજેન્દ્ર માલવિયા<br />એજ - રાધેશ્યામ મુવેલ<br />ખરગોન - પોરલાલ ખરતે<br />બેતુલ - રામુ ટેકમ&nbsp;</p> <p><strong>ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી&nbsp;</strong></p> <ul> <li>બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર</li> <li>અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા</li> <li>અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા</li> <li>બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી</li> <li>વલસાડથી અનંત પટેલ</li> <li>પોરબંદરથી લલિત વસોયા</li> <li>કચ્છથી-નિતેષ લાલણ&nbsp;</li> </ul> <p>&nbsp;</p> <p><strong>પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ હતા</strong></p> <p>અગાઉ કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં રાહુલ ગાંધી, શશિ થરૂર અને કેસી વેણુગોપાલ સહિતના દિગ્ગજ નેતાઓની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી હતી.</p> <p><strong>3 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ</strong></p> <p>બીજી યાદીમાં કોંગ્રેસે 3 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ આપી છે. અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને રાજસ્થાનના ઝાલોર અને કમલનાથના પુત્ર નકુલ નાથને એમપીના છીંદવાડાથી તો આસામના પૂર્વ સીએમ તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગાઈને ટિકિટ આપી છે.&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...