Skip to main content

Heat Wave: ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 5 દિવસ પડશે કાળઝાળ ગરમી, પારો 40 ડિગ્રીને પાર પહોંચશે


<p><strong>Gujarat Heat Wave News:</strong> ગુજરાતમાં હજુ પણ કાળઝાળ ગરમી યથાવત રહેશે, હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહી પ્રમાણે, ગુજરાતમાં હજુ પણ ગરમી યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનાના શરૂઆતથી જ ગુજરાતભરમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, હવે આ પારો આગામી સમયમાં 40 ડિગ્રીને પાર થવાની આગાહી કરવામાં આવી છે.&nbsp;</p> <p>હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે. આ પાંચ દિવસ સુધી રાજ્યમાં તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થતાં અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઇ શકે છે. તાજા રિપોર્ટ પ્રમાણે, આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમી પડવાની શક્યતાઓ છે. રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં લૂ ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આઠ શહેરોનું મહત્તમ તાપમાન 37 થી 40 ડિગ્રીને પાર રહેવાનું પણ અનુમાન છે. આ ઉપરાંત અમદાવાદ, અમરેલીમાં 38.8 ડિગ્રીથી વધુ તાપમાન પહોંચશે. 12 એપ્રિલ સુધીમાં અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે. પૂર્વ અને ઉત્તર-પૂર્વના કેટલાક ભાગો, ઉત્તર-પશ્ચિમના કેટલાક ભાગો સિવાય મોટાભાગના વિસ્તારોમાં વધુ ગરમી પડશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય તાપમાનથી વધુ રહેવાનો અનુમાન છે.</p> <h4 class="abp-article-title">લૂ થી બચવું હોય તો અજમાવી જુઓ આ 5 કારગર ઉપાય, કાળઝાળ ગરમીમાં પણ રહેશો સ્વસ્થ</h4> <p><strong>તમારી જાતને હાઇડ્રેટેડ રાખો</strong></p> <p>ઉનાળામાં હીટ વેવને કારણે ડિહાઇડ્રેશનનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં સમયાંતરે પાણી પીતા રહો, જેથી શરીર હાઇડ્રેટ રહે. આ સિઝનમાં દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરો. તમારા આહારમાં પુષ્કળ ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.</p> <p><strong>બહાર જવાનું ટાળો</strong></p> <p>જો તમે હિટવેવથી &nbsp;બચવા માંગતા હોવ તો જરૂર સિવાય ઘરની બહાર જવાનું ટાળો. પંખા, કુલર, એસી સાથે ઘરની અંદર જ રહો. જો આ વસ્તુઓ ઘરમાં ન હોય તો પડદા કે શેડ્સ રાખો. આનાથી તમે હીટ વેવના ગંભીર જોખમોથી બચી શકો છો.</p> <p><strong>સૂર્યના કિરણોથી બચવાનો પ્રયાસ કરો</strong></p> <p>જ્યારે પણ હિટ વેવ &nbsp;હોય ત્યારે સીધા સૂર્યપ્રકાશમાં ન આવવું. જો તમે કોઈ કારણસર બહાર જતા હોવ તો પણ કેપ, ટુવાલ અને ચશ્માનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. માત્ર હળવા રંગના અથવા વ્હાઇટ &nbsp;કપડા પહેરો, જેથી ત્વચાને સુરક્ષિત રાખી શકાય અને હિટ વેવથી બચી શકાય.</p> <p><strong>&nbsp;વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ ટાળો</strong></p> <p>ઉનાળા હિટ વેવ દરમિયાન વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ ટાળવાનો પ્રયાસ કરો. કારણ કે ઉનાળાની ઋતુમાં વધારે વર્કઆઉટ કરવાથી શરીરનું તાપમાન વધી શકે છે. તેનાથી હીટ સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.</p> <p><strong>&nbsp;ખાલી પેટ બહાર જવાનું ટાળો</strong></p> <p>જો બહાર હિટ વેવ પ્રબળ હોય તો ભૂલથી પણ ક્યારેય ખાલી પેટે ઘરની બહાર ન નીકળો. આમ કરવાથી ગરમી અને &nbsp;તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ચક્કર આવી શકે છે. તેથી, જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો, ત્યારે કંઈક ખાધા પછી જ બહાર જાવ,જેથી સમસ્યાઓથી બચી શકાય.</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...