Skip to main content

સૌરાષ્ટ્ર-કચ્છમાં 149 ITI કોલેજ:મરીન એન્જિનિયરિંગ, કાર પેઈન્ટિંગ, 3D પેઈન્ટિંગ, સોલાર ટેકનિશયનની સાથે ઈલેક્ટ્રિશિયન-વાયરમેનનો કોર્ષ ઓન ડિમાન્ડિંગ


https://ift.tt/RrmXAdt રાજકોટમાં સ્થિત નાયબ નિયામક (તાલીમ) રોજગાર અને તાલીમની પ્રદેશિક કચેરી કે જે સૌરાષ્ટ્ર-કચ્છની ITIની રિજિયોનલ ઓફિસ ગણાય છે. તેના નાયબ નિયામક કૌશિક કણઝારિયાએ જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં 99 સરકારી, 20 ગ્રાન્ટેડ અને 30 સેલ્ફ ફાયનાન્સ ITI કોલેજ આવેલી છે. જેમાં સેલ્ફ ફાયનાન્સમાં 30માંથી 25 ITI કોલેજમાં હાલ એડમિશન મળી રહ્યા છે. હાલ મરીન એન્જિનિયરિંગ, કાર પેઈન્ટિંગ, 3D પેઈન્ટિંગ, સોલાર ટેકનિશયનની સાથે ઈલેક્ટ્રિશિયન-વાયરમેનનો કોર્ષ ઓન ડિમાન્ડિંગ છે. તમામ ITIમાં 38,970 સીટ વધુમાં જણાવ્યું હતું કે, તમામ ITIમાં 38,970 સીટ છે. જેની સામે અત્યારસુધીમાં એટ્લે કે, પોણા બે મહિનામાં 8,827 ફોર્મ ભરાયા છે. જો કે, હજુ 13 જૂન સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. જે બાદ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ 14 જૂને બહાર પડશે તો અંતિમ બેઠકો પ્રસિદ્ધ કરવાની તારીખ 15 જૂન છે. જે બાદ પ્રવેશનો પ્રથમ અને બીજો રાઉન્ડ બહાર પડશે. જે તમામ વિગતો itiadmission.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. જે વેબસાઈટ પરથી જ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અલગ અલગ 79 જેટલા કોર્ષ વધુમાં જણાવ્યું હતું કે, ITIમાં થતા અલગ અલગ 79 જેટલા કોર્ષ થાય છે. જેમાં રેફ્રીજરેશન, એર કંડીશનિંગ, મરીન એન્જિનિયરિંગ, મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હિકલ, સોલાર ટેકનિશયન જેવા વિવિધ કોર્ષમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. આ ઉપરાંત ઓન ડિમાન્ડિંગ છે તેવા ઈલેક્ટ્રિશિયન, ટર્નર, ફિટર, વેલ્ડર, કાર્પેન્ટર અને પ્લંબર જેવા કોર્ષમાં ધોરણ 8 અને 10 પાસ પર એડમિશન થઈ રહ્યા છે. હાલ ઘરે ઘરે સોલાર લાગી રહ્યા છે અને સોલાર પાર્કનું પણ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે તે માગને આધારિત સોલાર સંબંધિત કોર્ષ થઈ રહ્યા છે. રાજકોટ ઉપરાંત જામનગર, જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં મહિલાઓ માટે સ્પેશિયલ ITI કોલેજ અપાય છે. આ ઉપરાંત રાજકોટમાં દિવ્યાંગો માટેની પણ સ્પેશિયલ ITI છે. જ્યાં હાલ 82 દિવ્યાંગો છે. જેઓ કોમ્પ્યુટર કોર્ષ સહિતના કોર્ષમાં તાલીમ મેળવી રહ્યા છે. રાજકોટ રિજીયનમાં સરકારી ITIમાં અત્યારે 1,600 વધુમાં જણાવ્યું હતું કે, અહીંથી રોજગારી અને સ્વરોજગારી એમ બે પ્રકારે નોકરી મળી શકે તેમ છે. ઈલેક્ટ્રિશિયન, વાયરમેન, પ્લમ્બર અને કાર્પેન્ટરના કોર્ષમાં જે વિદ્યાર્થીઓ એડમિશન મેળવી રહ્યા છે તેઓ પોતે જ પોતાની રીતે સ્વરોજગારી મેળવી રહ્યા છે. ફેકલ્ટી બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ફેકલ્ટીની ભરતી ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રિયકૃત ધોરણે કરવામાં આવતી હોય છે. રાજકોટ રિજીયનમાં સરકારી ITIમાં અત્યારે 1,600 જેટલા સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ફેબ્રિકેશન, રેફ્રિજરેશન જેવા ગ્રૂપમાં ફરજ બજાવી રહ્યા છે. હાલ 540 જેટલી જગ્યાઓ ખાલી છે. પરંતુ તાલીમાર્થીઓના રેશિયા પ્રમાણે હાલના સ્ટાફથી ચાલી શકે તેમ છે. સૌરાષ્ટ્ર-કચ્છના ક્યાં જિલ્લાની ITIમાં થાય છે વિશેષ કોર્સ ક્યાં જિલ્લામાં ITIમાં કેટલી સીટ સામે અત્યારસુધીમાં કેટલા ફોર્મ ભરાયા? ​​​​​​

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...