Skip to main content

ટ્રાફિકની સમસ્યાના કોલ:ફતેગંજ સહિત 10 સ્થળો પર કાયમી ચક્કાજામ, ‘અમે ટ્રાફિકમાં ફસાયા છીએ’ તેવા રોજના 12 કોલ


https://ift.tt/jnv82dL રાજ્ય પોલીસે ટ્રાફિકની સમસ્યા નિવારવા હેલ્પલાઇન શરૂ કરી છે. 10 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર સુધી હેલ્પલાઇન પર રાજ્યમાંથી 1176 કોલ મળ્યા છે. જેમાં ફક્ત વડોદરામાંથી જ મહિને 360થી વધુ ટ્રાફિકની સમસ્યાના કોલ કરાયા છે. શહેરમાં ફતેગંજ સહિત 10 વિસ્તારમાં કાયમી ટ્રાફિકની સમસ્યા રહે છે. જ્યારે ‘અમે ટ્રાફિકમાં ફસાયા છીએ’ તેવા રોજના 12 કલાકો સ્ટેટ હેલ્પ લાઇનમાં કરાય છે. ટ્રાફિક પોલીસે શહેરમાં વિવિધ સ્થળે બોર્ડ લગાવ્યાં છે. જેમાં ટ્રાફિકથી હેરાન થઈ રહ્યા હો તો સ્ટેટ ટ્રાફિક બ્રાંચને જાણ કરી સમાધાન મેળવવું તેવો ઉલ્લેખ કરાયો છે. ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે કહ્યું કે, ‘રોજના સ્ટેટ ટ્રાફિક બ્રાંચથી 12થી 15 લોકોના ટ્રાફિકની સમસ્યાના કોલ મળે છે.’ જે મુજબ મહિને 360થી વધુ ટ્રાફિકની સમસ્યાના કોલ ફક્ત વડોદરાના જ મળ્યા છે. રાજ્યના ક્યાંય પણ અકસ્માતની ઘટના હોય, ટ્રાફિક જામ અને ટ્રાફિક સંબંધિત મુશ્કેલીની માહિતી લોકો ફોન કોલથી હેલ્પલાઈનમાં આપી શકશે. જે માહિતી તાત્કાલિક સંબંધિત વિસ્તારની પોલીસને પહોંચાડી સમસ્યાનું નિવારણ લવાશે. વડોદરામાં ટ્રાફિકમાં ફસાયા હોય, સ્પીડ બ્રેકર લગાવવા, ઢોરના ત્રાસ સહિતની ફરિયાદ સ્ટેટ ટ્રાફિકને કરાઈ રહી છે. ત્યારબાદ પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક સમસ્યા દૂર કરે છે. આ સિવાય વડોદરા પાસે દુમાડ ચોકડી, કપુરાઈ, ગોલ્ડન ચોકડી પાસે હાઈવે પર ટ્રાફિક રહે છે. જોકે હવે આ હાઈવે પર ટ્રાફિકે પોલીસે કાયમી પોઇન્ટ મૂકી દીધા છે, છતાં ઘણીવાર ટ્રાફિક જામ થાય છે. શહેરમાં આ રોડ પર વધુ ટ્રાફિકની સમસ્યાના કોલ મળે છે ઢોરનો ત્રાસ, સ્પીડબ્રેકર-ડિવાઇડર બનાવવા સહિતના કોલ સ્ટેટ ટ્રાફિક બ્રાંચને શહેરમાં ઘણો ઢોરનો ત્રાસ છે, સ્પીડ બ્રેકર લગાવવા, ડિવાઇડર મૂકવા સહિતના કોલ પણ કરાય છે. જોકે સ્ટેટ ટ્રાફિક તેને વડોદરા પોલીસને ટ્રાન્સફર કરી દે છે. અહીંથી સ્ટેટ ટ્રાફિક બ્રાંચનો સંપર્ક કરી શકાય ઈ-મેલ : trafficgrievance@gujarat.gov.in (ઈ-મેલ મારફતે ટ્રાફિકની સમસ્યા, તેનો ફોટો તથા સ્થળ જણાવી પોતાની ફરિયાદ સ્ટેટ ટ્રાફિકને જાણ કરી શકો છો) વેબસાઇટ : gujhome.gujarat.gov.in/portal (વેબસાઇટ જેમાં નામ, ટ્રાફિકની સમસ્યા, ટ્રાફિકનો ફોટો વગેરેની માહિતી આપવાની રહે છે. ત્યારબાદ રિકવેસ્ટ નંબર મળે છે, જેને ટ્રેક પણ કરી શકાય છે) સ્ટેટમાંથી જાણ કરતાં ટ્રાફિક દૂર કરાવાય છે ટ્રાફિકની સમસ્યા અંગે સ્ટેટ ટ્રાફિક બ્રાંચનો સંપર્ક કરી શકાશે.પોલીસ વહેલી તકે ટ્રાફિક ક્લીયર કરાવશે. કેટલાક રિપીટેડ કોલ પણ મળે છે. જોકે સ્ટેટ કંટ્રોલ તરફથી જાણ કરાતાં જ ટ્રાફિક ક્લીયર કરાય છે.> જ્યોતિ પટેલ, ડીસીપી ટ્રાફિક જામ્બુવા બ્રિજને પહોળો કરવા પત્ર લખ્યો જામ્બુવા બ્રિજ પર કાયમ ટ્રાફિક જામ રહે છે. આ બ્રિજ પર ટ્રાફિક જામના સૌથી વધુ કોલ મળે છે. વડોદરા ટ્રાફિક પોલીસે જામ્બુવા બ્રિજના લેન વધારવા, તેને પહોળો કરવા એનએચએઆઈને પત્ર લખ્યો છે. પરંતુ લાંબા સમયથી તે અંગે કોઈ કાર્યવાહી કરાઈ નથી.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...