Skip to main content

Diwali 2024: પીએમ બન્યા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે મનાવી દિવાળી


<p style="text-align: justify;"><strong>Diwali 2024:</strong> સમગ્ર દેશમાં ગુરુવારે એટલે કે 31 ઓક્ટોબરે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો એકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ બધા વચ્ચે પીએમ મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ સેનાના જવાનો સાથે દિવાળી મનાવી છે. આ વખતે પીએમ મોદી કચ્છમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવી છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતમાં સેના સાથે દિવાળી મનાવી છે. આ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં આર્મી સાથે દિવાળીની ઉજવણી કરી હતી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">Prime Minister Narendra Modi celebrates Diwali with jawans in Kachchh, Gujarat. <a href="https://t.co/u59xqH1QYf">pic.twitter.com/u59xqH1QYf</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1851901734572163344?ref_src=twsrc%5Etfw">October 31, 2024</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p style="text-align: justify;">કચ્છમાં જવાનો સાથે PM મોદીએ દિવાળી મનાવી છે. BSFના જવાનો સાથે PM મોદીએ દિવાળીની ઉજવણી કરી છે. PM મોદીએ જવાનોને મીઠાઈ ખવડાવી &nbsp;શુભેચ્છા માઠવી હતી. પીએમ મોદીએ લકીનાળા ખાતે BSFના જવાનો સાથે દિવાળી મનાવી તેમની તસવીરો સામે આવી છે. તમને જણાવી દઈએ કે, દર વર્ષે પીએમ મોદી જવાનો સાથે દિવાળી મનાવે છે.</p> <p style="text-align: justify;">પીએમ નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેમણે કેવડિયા ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેવડિયાથી વડાપ્રધાન મોદી કચ્છ પહોંચ્યા હતા, જ્યાં તેઓ સૈનિકો સાથે દિવાળીનો તહેવાર મનાવ્યો હતો.&nbsp;</p> <p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​(31 ઓક્ટોબર) ગુજરાતના કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું કે આતંકવાદના આકાઓને દેશ છોડવો પડશે. લોકોને સંબોધતા તેમણે કહ્યું કે, હું 'રાષ્ટ્રીય એકતા દિવસ' પર તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવું છું. આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસ એક અદભૂત સંયોગ લઈને આવ્યો છે. આજે એકતરફ આપણે એકતાનો તહેવાર મનાવી રહ્યા છીએ તો બીજીતરફ દિવાળીનો પવિત્ર તહેવાર છે.</p> <p><strong>દિવાળીની શુભકામનાઓ પાઠવી &nbsp;</strong><br />વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું 'રાષ્ટ્રીય એકતા દિવસ' પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસ એક અદભૂત સંયોગ લઈને આવ્યો છે. આજે એકતરફ આપણે એકતાની ઉજવણી કરી રહ્યા છીએ, તો બીજીતરફ આપણે દિવાળીની ઉજવણી કરી રહ્યા છીએ. દિવાળી જોડાય છે. સમગ્ર દેશને રોશની સાથે, હવે તે ઘણા દેશોમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે, હું દરેકને દિવાળીની શુભેચ્છા પાઠવું છું."</p> <p>પીએમે કહ્યું, "સરદાર પટેલની 150મી જન્મજયંતિ વર્ષ આજથી શરૂ થઈ રહી છે. આગામી બે વર્ષ સુધી દેશ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરશે. આ ભારત પ્રત્યેના તેમના અસાધારણ યોગદાનને દેશવાસીઓની શ્રદ્ધાંજલિ છે.</p> <p><strong>આ પણ વાંચો...</strong></p> <h4 class="abp-article-title"><a title="Rss On Rahul Gandhi: 'અમે તો મળવા માંગીએ છીએ', RSSએ કેમ રાહુલ ગાંધીને મોકલ્યો આ મેસેજ?" href="https://ift.tt/F46APoc" target="_self">Rss On Rahul Gandhi: 'અમે તો મળવા માંગીએ છીએ', RSSએ કેમ રાહુલ ગાંધીને મોકલ્યો આ મેસેજ?</a></h4>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...