Skip to main content

નવ મહિના બાદ સુનિતા વિલિયમ્સનું પૃથ્વી પર પુનરાગમન, ગુજરાતમાં પિતરાઈ ભાઈએ કહ્યું – જ્યારે તે જઈ રહી હતી ત્યારે...


<p><strong>Sunita Williams return date:</strong> ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ નવ મહિનાથી વધુ સમય બાદ આખરે પૃથ્વી પર પાછા ફરવા માટે તૈયાર છે. તેમના પરત ફરવાના સમાચારથી ગુજરાતમાં તેમના પિતરાઈ ભાઈ દિનેશ રાવલ અને સમગ્ર પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. દિનેશ રાવલે જણાવ્યું હતું કે જ્યાં સુધી સુનિતા ખરેખર પૃથ્વી પર પગ મૂકશે નહીં ત્યાં સુધી તેમને શાંતિ નહીં મળે.</p> <p>એએનઆઈ સાથે વાત કરતા દિનેશ રાવલે જણાવ્યું હતું કે સુનિતા તેમના કાકાની દીકરી છે અને તેમનો પરિવાર ખૂબ જ નાનો છે. તેમણે સુનિતાની વિદાય પહેલાની મુલાકાતને યાદ કરતાં કહ્યું હતું, "હું જ્યારે અમેરિકા ગયો હતો ત્યારે તે જતી રહી હતી. તે અમને મળવા આવી હતી અને અમે ત્રણ-ચાર દિવસ સાથે રહ્યા હતા. મેં તેને પૂછ્યું પણ હતું કે શા માટે જઈ રહી છે, શું જવું જરૂરી છે? પરંતુ તેણે કહ્યું હતું કે તે દુનિયાને કંઈક આપવાના ધ્યેય સાથે જઈ રહી છે અને આ તેનો નિર્ણય હતો."</p> <p>દિનેશ રાવલે સુનિતા સાથે જોડાયેલી એક રસપ્રદ વાત પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુનિતાના પ્રવાસમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી, ફ્લાઇટમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમણે ક્યારેય હિંમત હારી નહોતી. તેમણે યાદ કરતાં કહ્યું કે જ્યારે સુનિતા ભારત આવી હતી ત્યારે તેઓ પરિવારે સાથે મળીને દ્વારકા અને સોમનાથ જેવા સ્થળોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ દીપકભાઈ (સુનિતાના પિતા), ભાઈ અને બંને છોકરીઓ સાથે આગ્રા અને દિલ્હી જેવા સ્થળોએ પણ ફર્યા હતા. એક વખત ઉદયપુરમાં રાત્રે સુનિતા એકલા બહાર ફરવા નીકળી ગયા હતા અને જ્યારે દિનેશભાઈએ તેમને ઠપકો આપ્યો કે છોકરી થઈને એકલા બહાર કેમ ગઈ, તો તે હસવા લાગી હતી અને કહ્યું હતું કે જો 15-20 દિનેશભાઈ પણ આવે તો તેમને ડર નહીં લાગે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Ahmedabad, Gujarat | On astronauts Butch Wilmore &amp; Sunita Williams finally set to return to earth after over 9 months, Sunita William's cousin Dinesh Rawal says, "... She was determined to go on this mission to serve the world, and although she faced problems in her&hellip; <a href="https://t.co/C2fpgvVMiv">pic.twitter.com/C2fpgvVMiv</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1901201125275210208?ref_src=twsrc%5Etfw">March 16, 2025</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p>સુનિતાના સ્પેસક્રાફ્ટમાં ખામી સર્જાવાના સમાચાર મળ્યા બાદ આખો પરિવાર ખૂબ જ ચિંતિત હતો. દિનેશ રાવલે જણાવ્યું હતું કે ગામના લોકો અને સરપંચ પણ સુનિતા માટે ચિંતિત હતા અને તેમના પરત ફરવાના સમાચારથી તેઓ ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી સુનિતા સુરક્ષિત રીતે પાછી નહીં આવે ત્યાં સુધી તેમને શાંતિ નહીં થાય. દિનેશ રાવલે સરસપુર જઈને ભગવાનને સુનિતાની સલામત વાપસી માટે પ્રાર્થના પણ કરી હતી. સમગ્ર પરિવાર અને ગામ લોકો સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર સલામત પુનરાગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...