Skip to main content

ભાજપના નેતાઓ અને અધિકારીઓ વચ્ચે જ સંકલન નથી:અમદાવાદમાં ગેરકાયદે બાંધકામના કાયદેસર કરવા ઇમ્પેક્ટ ફીના લોક દરબાર યોજવા ભાજપના નેતાઓને પૂછ્યું જ નહીં


https://ift.tt/Qw1GjfF રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા લોકોને તેમના બાંધકામોને કાયદેસર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. જોકે અમદાવાદ શહેરમાં 11800થી વધારે ઇમ્પેક્ટ ફીની અરજીઓ હજી સુધી પેન્ડિંગ છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા ઇમ્પેક્ટ ફી માટે એપ્રિલ મહિનામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ અધિકારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના હોદ્દેદારોને જાણ કર્યા વિના લોક દરબાર યોજાતા વિવાદ સર્જાયો છે. ભાજપના નેતાઓએ પોતે આ તારીખમાં હાજર નથી તેમ કહી દીધું હતું.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં બે તબક્કામાં અલગ અલગ દિવસે અલગ અલગ ઝોનમાં લોક દરબારનું આયોજન કરવા અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 2 એપ્રિલથી 7 એપ્રિલ અને બીજા તબક્કામાં 21 એપ્રિલથી લઈ 30 એપ્રિલ સુધી લોક દરબાર યોજવાનો છે. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનને પણ જાણ ન કરી આ લોક દરબાર યોજાવા અંગેની વિવિધ અખબારો અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપી દેવામાં આવી હતી.જોકે આ લોક દરબાર યોજાવા અંગે એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિધ્ધેશ રાવલથી લઈ એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો કે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનને આ બાબતે જાણ કરવામાં આવી નથી અને બારોબાર તારીખ નક્કી કરી જાહેરાત કરી દેવાતા વિવાદ થયો છે. ભાજપના નેતાઓએ નવી તારીખ જાહેર કરવા સૂચના આપી ભાજપના નેતાઓએ જે તારીખ અધિકારીઓએ નક્કી કરી છે અને જાહેરાત કરી દીધી છે તે તારીખે પોતે હાજર નથી તેમ કહી અને હવે લોકદરબારની તારીખ નવેસરથી જાહેર કરવા સુચના આપી છે. ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રીતિશ મહેતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇમ્પેક્ટ ફી અંતર્ગત જે લોક દરબાર યોજવામાં આવનાર છે તેની અમને જાણ કરવામાં આવી નથી. એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઇ એસ્ટેટ વિભાગના અધિકારીઓએ કોઈ સંકલન કર્યું નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં 30 ઓક્ટોબર 2022 કે તે પહેલાં થયેલાં અન-અધિકૃત વિકાસ (બાંધકામ)ને નિયમિત કરવા માટે નામ. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ No.01/2023 અમલમાં આવ્યો છે. જે અનુસંધાને અન-અધિકૃત બાંધકામ નિયમિત કરાવવા નામ. રાજ્ય સરકારના ઈ-નગર પોર્ટલ https://ift.tt/OCUd7TV પર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. અરજી સ્વીકારવાની છેલ્લી તા.16 જૂન 2025 રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેરનામુ કરી મુકરર કરવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા જે અરજદારો દ્વારા ગુડા-2022 અંતર્ગત પોતાનાં બાંધકામોને નિયમિત કરવા અરજી કરી છે. પરંતુ જરૂરી પુરાવાઓનાં અભાવે અરજીનો નિર્ણય લેવામાં આવી ન હોય તેવા અરજદારોને અરજી સંદર્ભે જરૂરી માર્ગદર્શન મળી રહે તેમજ જાહેર-જનતાની અરજીઓનો નિકાલ ઝડપથી થાય તે હેતુસર લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. AMCની તમામ ઝોનલ કચેરીમાં ઓફિસ સમય દરમિયાન "ગુડા લોકદરબાર'નું આયોજન કરવામાં આવ્યું છે. ગુંડા એક્ટ અને સરકારના પ્રસિદ્ધ કરવામાં આવેલાં નિયમો, ફી અંગેના નોટીફીકેશન (પાર્કીંગ-સુધારા જોગવાઈ સહિત) તથા ગુડા અંતર્ગતની કામગીરી અંગે સંમતિ આપેલ આર્કિટેકટ/ એન્જીનીયર તથા સ્ટ્રક્ચરલ એનજીનીયરશ્રીની યાદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ https://ift.tt/j5kwqLA < DOWNLOADS ગૃડા એક્ટ અંતર્ગત ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરાવી બી.યુ. પરમીશન મેળવી લેવા માટેની આ અંતિમ તક ઉપલબ્ધ થઈ છે. અન અધિકૃત બાંધકામોને એક્ટ/ નિયમોમાં નક્કી થયેલી સમયમર્યાદામાં નિયમિત કરાવી લેવામાં નહિ આવે તો, તે બાંધકામો નિયત મર્યાદામાં દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેથી સંબંધિતોએ પોતાના ગેરકાયદેસર બાંધકામોને ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવાના એક્ટ હેઠળ નિયમિત કરાવી લેવા માટે જાણ કરવામાં આવી છે

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...