Skip to main content

ભુપેન્દ્ર પટેલના બંગલે ત્રણ કલાક શું રંધાયું? મંત્રીમંડળમાં ફેરફારની વાત તો પાક્કી!


<p><strong>Gujarat cabinet reshuffle 2025:</strong> ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યના મંત્રીમંડળમાં ફેરફારની શક્યતાઓ વચ્ચે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ત્રણ કલાક સુધી મંત્રણા કરી હતી.</p> <p>મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠક આગામી સમયમાં રાજ્યના રાજકીય અને વહીવટી ક્ષેત્રે થનારા ફેરફારો માટે સૂચક માનવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં ગુજરાતમાં સંભવિત રાજકીય ફેરબદલ અને વહીવટી સ્તરે મોટા ફેરફારો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હોવાની શક્યતા છે.</p> <p>મહત્વની વાત એ છે કે લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથન એક જ દિવસની ટૂંકી મુલાકાતે ગુજરાત આવ્યા હતા. તેમની આ મુલાકાત અને મુખ્યમંત્રી સાથેની લાંબી બેઠક અનેક અટકળોને જન્મ આપી રહી છે. રાજ્ય સરકારમાં આગામી દિવસોમાં ફેરફારની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે, ત્યારે આ બેઠકે આ ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે.</p> <p>એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બેઠકમાં રાજ્યના વહીવટી ક્ષેત્રે મોટા પાયે ફેરફાર કરવા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હોઈ શકે છે. જો કે, આ બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ, આ બેઠકના કારણે રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે અને સૌ કોઈ આગામી દિવસોમાં થનારા સંભવિત ફેરફારો પર નજર રાખી રહ્યા છે.</p> <p>નોંધનીય છે કે, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર જ્યારે બી ત્યારે જે પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી ત્યારે તેમાં 6 રાજ્ય કક્ષાના પ્રધાનો અને 8 કેબિનેટ પ્રધાનોને વિવિધ ખાતાઓ સોંપાયા હતા. બે પ્રધાનોને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો પણ સોંપવામાં આવ્યો હતો.</p> <p>રાજ્ય કક્ષાના પ્રધાનોમાં પુરુષોત્તમ સોલંકીને મત્સ્યોદ્યોગ અને પશુપાલન ખાતું ફાળવવામાં આવ્યું હતું. બચુ ખાબડને પંચાયત અને કૃષિ ખાતું સોંપાયું હતું. મુકેશ પટેલને વન અને પર્યાવરણ ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રફુલ્લ પાનસેરીયાને સંસદીય બાબતો અને ઉચ્ચ શિક્ષણ વિભાગ મળ્યા હતા. ભીખુસિંહ પરમારને અન્ન અને નાગરિક પુરવઠા ખાતાની ફાળવણી થઈ હતી. કુંવરજી હળપતિને આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી.</p> <p>બે પ્રધાનોને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપાયો હતો. જેમાં હર્ષ સંઘવીને ગૃહની સાથે રમત-ગમત અને યુવા, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા સહિતના ખાતાઓ સોંપવામાં આવ્યા હતા. જગદીશ વિશ્વકર્માને સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન ખાતુ સોંપાયું હતું.</p> <p>કેબિનેટ પ્રધાનોની વાત કરીએ તો ઋષિકેશ પટેલને આરોગ્ય અને કાયદા વિભાગ ફાળવવામાં આવ્યા હતા. રાઘવજી પટેલને કૃષિ અને મત્સ્ય ઉદ્યોગ ખાતાની જવાબદારી મળી હતી. કનુ દેસાઈને નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. બળવંતસિંહ રાજપુતને ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ ખાતુ સોંપાયું હતું. કુંવરજી બાવળિયાને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા વિભાગ મળ્યા હતા. મૂળુ બેરાને પ્રવાસન, વન અને પર્યાવરણ ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી. કુબેર ડીંડોરને આદિજાતી વિકાસ ખાતુ ફાળવાયું હતું અને ભાનુબેન બાબરીયાને સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...