Skip to main content

વધુ પડતા કરબોજથી જનતાને રાહત, સ્ટેમ્પ ડ્યૂટીમાં મોટા ફેરફારો સાથે ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક પસાર


<p><strong>Gujarat Stamp Amendment Bill:</strong> રાજ્યની જનતા પર વધુ પડતા કરનું ભારણ ન પડે અને રાજ્યનો આર્થિક વિકાસ પણ સતત થતો રહે તે હેતુથી ગુજરાત સરકારે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮માં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. આ સુધારાઓ સાથેનું ગુજરાત સ્ટેમ્પ(સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભામાં મંત્રી &nbsp;બલવંતસિંહ રાજપૂતે રજૂ કર્યું હતું, જે સર્વાનુમતે પસાર થયું છે.</p> <p>મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોની મિલકતોના હક્કોનું રક્ષણ કરવા, સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવવા અને સ્ટેમ્પ ડ્યૂટીની યોગ્ય વસૂલાત માટે સતત કાર્યરત છે. આ સુધારાઓ બદલાયેલા સંજોગો અને પરિસ્થિતિને અનુરૂપ કાયદાને સરળ બનાવવા અને વહીવટમાં પારદર્શકતા વધારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યા છે.</p> <p>આ સુધારા વિધેયકના મુખ્ય મુદ્દાઓ વિશે માહિતી આપતાં મંત્રી એ જણાવ્યું કે હવે વારસાગત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક્ક કમીના લેખ ઉપરની સ્ટેમ્પ ડ્યૂટી ૪.૯૦ ટકાથી ઘટાડીને ફક્ત ૨૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર થઈ શકશે. આનાથી પારિવારિક મિલકતોના હક્ક કમીમાં મોટી રાહત મળશે.</p> <p>તે જ રીતે, ગીરો લેખ માટેની ડ્યૂટીમાં ૮૦ ટકા જેટલો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રૂ. ૧ કરોડ સુધીની લોન મેળવવા માટે પહેલાં ભરવાના થતા રૂ. ૨૫૦૦૦ની ડ્યૂટી ઘટાડીને વધુમાં વધુ રૂ. ૫૦૦૦ કરવામાં આવી છે. આ જોગવાઈથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને ઘર ખરીદવામાં અને નાના ઉદ્યોગકારોને ધંધો શરૂ કરવામાં સરળતા રહેશે.</p> <p>નાગરિકોની સુવિધામાં વધારો કરતાં ગીરોમુક્તિ લેખ તથા ભાડાપટ્ટા લેખ માટે હવે ઘરેબેઠાં જ ઇ-રજિસ્ટ્રેશન કરી શકાશે. આ માટે લોકોને સબ રજિસ્ટ્રાર કચેરી સુધી જવાની જરૂર નહીં પડે, જેનાથી તેમના સમય અને શક્તિનો બચાવ થશે.</p> <p>વધુમાં, કાયદામાં સ્પષ્ટતા ન હોવાના કારણે કેટલીક બેંકો સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં અનિયમિતતા કરતી હતી. હવે નવા સુધારા મુજબ મોર્ગેજના લેખ ઉપર ડ્યૂટી ભરપાઈ કરવાની જવાબદારી બેંકોની નક્કી કરવામાં આવી છે, જેનાથી સામાન્ય માણસને લોન લેતી વખતે જ આનો લાભ મળશે.</p> <p>આ ઉપરાંત, ટ્રિબ્યુનલ કે સક્ષમ સત્તાના હુકમ પછી સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની સમય મર્યાદા ૩૦ દિવસથી વધારીને ૬૦ દિવસ કરવામાં આવી છે. લેખ નોંધણી બાદ પણ સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની મર્યાદા ૩૦ દિવસથી વધારીને ૬૦ દિવસ કરાતાં નાગરિકોને વધુ સમય મળશે.</p> <p>ઓછી સ્ટેમ્પ ડ્યૂટી ભરવા અથવા ચોરી કરવાના કિસ્સામાં દંડની જોગવાઈઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અરજદાર સામેથી ડ્યૂટી ભરવા આવે તો ખૂટતી ડ્યૂટીના ૨ ટકા લેખે વધુમાં વધુ ૪ ગણો દંડ અને નોટિસ મળ્યા બાદ ડ્યૂટી ભરવા આવે તો ૩ ટકા લેખે વધુમાં વધુ ૬ ગણો દંડ વસૂલવામાં આવશે, જેનાથી નિર્ણયોમાં એકસૂત્રતા આવશે.</p> <p>આ સુધારામાં માલિકી ફેરબદલીની વ્યાખ્યાનો વ્યાપ વધારવામાં આવ્યો છે, જેમાં કંપનીઓના એકત્રીકરણ, શેર ટ્રાન્સફરથી થતી તબદીલી અને ટ્રિબ્યુનલના હુકમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાના હેતુથી મૂળ લેખની ગેરહાજરીમાં તેની નકલને પણ લેખની વ્યાખ્યામાં સમાવવામાં આવી છે.</p> <p>મંત્રી એ જણાવ્યું કે આ સુધારાઓથી કાયદો વધુ અસરકારક, પારદર્શી અને નાગરિકો માટે સરળ બનશે. વારસાગત મિલકતોની તબદીલી સરળ થશે અને સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવી રાજ્યની આવક વધારી શકાશે. આ સુધારાઓ વડાપ્રધાન &nbsp;નરેન્દ્રભાઈ મોદીના પારદર્શક કાયદા બનાવવાના વિઝનને અનુરૂપ છે અને તેનાથી રાજ્યના વિકાસ અને સુખાકારીમાં વધારો થશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...