Skip to main content

૧૬૦૪૫ની ઘટ અને ૮૪૫૨ ખંડેર! ગુજરાતની આંગણવાડીના ચોંકાવનારા આંકડા CAGએ બતાવ્યા


<p><strong>CAG report Gujarat Anganwadi:</strong> કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (CAG) દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના (ICDS)ના અમલીકરણ પર કરવામાં આવેલા ઓડિટમાં રાજ્યમાં આ યોજનાની અનેક ખામીઓ સામે આવી છે. રિપોર્ટમાં ૧૬,૦૪૫ આંગણવાડી કેન્દ્રોની ઘટ હોવાનું તેમજ લાખો બાળકો નોંધણીથી વંચિત રહ્યા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત, સહાય પોષણ કાર્યક્રમ હેઠળ નોંધાયેલા મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ ન મળ્યો હોવાનું પણ કેગના ધ્યાને આવ્યું છે.</p> <p>CAGના રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૧૫-૧૬ થી ૨૦૨૨-૨૩ દરમિયાન રાજ્યમાં ૭૭.૭૭ લાખ બાળકોની નોંધણી થવી જોઈતી હતી, પરંતુ તેની સામે માત્ર ૪૦.૩૪ લાખ બાળકો જ નોંધાયા હતા. આ આંકડો યોજનાના અમલીકરણમાં રહેલી ગંભીર ખામીઓ તરફ નિર્દેશ કરે છે. એટલું જ નહીં, સહાય પોષણ કાર્યક્રમ હેઠળ નોંધાયેલા ૪.૬૩ કરોડ લાભાર્થીઓમાંથી ૧૪ ટકા લોકોને લાભ મળ્યો નથી, જે પોષણ કાર્યક્રમના અસરકારક અમલીકરણ પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.</p> <p>જોકે, સાર્વત્રિક રસીકરણ યોજનામાં વિભાગ દ્વારા ૯૪ ટકા લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવ્યો છે, જે એક સકારાત્મક બાબત છે. પરંતુ, ઓછા વજનવાળા બાળકોના કેન્દ્ર સરકારના ૨ ટકાના લક્ષ્યાંક સામે વર્ષ ૨૦૨૨-૨૩માં આ આંકડો ૧૧.૬૩ ટકા રહ્યો હતો, જે બાળપોષણની સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. જોકે, આ બાબતમાં વર્ષ ૨૦૧૬-૧૭ના ૧૨.૩૩ ટકાની સરખામણીએ થોડો ઘટાડો નોંધાયો છે. રિપોર્ટમાં સગર્ભા સ્ત્રીઓની ઓછી નોંધણી અને તેઓને સગર્ભાવસ્થા દરમિયાન તથા બાળકના જન્મ બાદ યોગ્ય સેવાઓ ન મળી શકવા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.</p> <p>આંગણવાડી કેન્દ્રોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પણ વિભાગ નિષ્ફળ રહ્યો હોવાનું CAGએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે. રાજ્યમાં કાર્યરત ૫૩,૦૨૯ આંગણવાડી કેન્દ્રોમાંથી ૩,૩૮૧ કેન્દ્રો અસ્થાયી જગ્યા પર ચાલી રહ્યા હતા, જ્યારે ૮,૪૫૨ આંગણવાડી કેન્દ્રો જર્જરિત મકાનોમાં કાર્યરત હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૩ દરમિયાન આ કેન્દ્રો માટે નિર્દિષ્ટ બાંધકામ કરવામાં આવ્યું નહોતું.</p> <p>મૂળભૂત સુવિધાઓની વાત કરીએ તો, રાજ્યના ૧,૨૯૯ આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ ન હતી, જ્યારે ૧,૦૩૨ આંગણવાડી કેન્દ્રો પર પીવાના પાણીની સુવિધાનો અભાવ હતો. આ ઉપરાંત, બાળ વિકાસ પરિયોજનાના મહત્વના હોદ્દાઓ પર પણ ખાલી જગ્યાઓ જોવા મળી હતી. ૫૬ ટકા બાળ વિકાસ પરિયોજના અધિકારીઓની જગ્યાઓ અને ૧૪ ટકા મહિલા નિરીક્ષકની જગ્યાઓ ખાલી રહી હતી, જે યોજનાના અસરકારક સંચાલનમાં અવરોધ ઊભો કરી શકે છે.</p> <p>રાજ્યમાં દિવ્યાંગ બાળકો માટે આંગણવાડી કેન્દ્રોને સુલભ બનાવવા માટે ૧૧ જિલ્લાની ૮૦૭ આંગણવાડીઓમાં રેમ્પ બનાવવા માટે ૨ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા માત્ર ૨૨૦ આંગણવાડીઓમાં જ રેમ્પનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ૯૯ આંગણવાડીઓમાં પીરસવાના વાસણો, રાશનના પેકેટ, બાળકો માટેના સાધનો અને દવાઓની કીટની અછત જોવા મળી હતી. કેટલીક આંગણવાડીઓમાં પાણી અને ઇલેક્ટ્રિક કનેક્શન ન હોવાના કારણે ૬,૭૦૯ વોટર પ્યુરીફાયર ધૂળ ખાઈ રહ્યા હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.</p> <p>CAGનો આ રિપોર્ટ રાજ્યમાં સંકલિત બાળ વિકાસ યોજનાના અમલીકરણમાં રહેલી ગંભીર ખામીઓ તરફ ધ્યાન દોરે છે. આ ખામીઓને દૂર કરવા અને યોજનાને વધુ અસરકારક બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે, જેથી રાજ્યના બાળકો અને સગર્ભા મહિલાઓને તેનો યોગ્ય લાભ મળી શકે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...