Skip to main content

DySPથી ઉપરના મોટા સાહેબોની હવે ખેર નહીં! અધિકારીઓએ આપવું પડશે રિપોર્ટ કાર્ડ, ક્રાઈમ રેટની માહિતી પણ ફરજિયાત


<p><strong>Gujarat police report card:</strong> રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં DySPથી લઈને ઉચ્ચ કક્ષાના તમામ પોલીસ અધિકારીઓએ હવે પોતાનું રિપોર્ટ કાર્ડ રજૂ કરવાનું રહેશે. આ રિપોર્ટ કાર્ડમાં અધિકારીઓએ નોકરી પર હાજર થયા ત્યારથી લઈને દર વર્ષની કામગીરીની સરખામણી અને તેમના વિસ્તારમાં ક્રાઈમ રેટ ઘટ્યો છે કે વધ્યો છે તેની માહિતી DGPને આપવાની રહેશે.</p> <p>આ નવા નિયમ મુજબ, તમામ એસપી, ડીસીપી અને તેનાથી ઉપરના રેન્કના અધિકારીઓએ પણ પોતાનું રિપોર્ટ કાર્ડ આપવું પડશે. આઇપીએસ અધિકારીઓના રિપોર્ટ કાર્ડની સમીક્ષા ખુદ ગૃહ મંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા કરવામાં આવશે. બેઠકમાં અરજદારોને અધિકારીઓ રૂબરૂ મળે અને તેમની સમસ્યાઓ સાંભળે તેના પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.</p> <p>રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અસામાજિક તત્વોમાં પોલીસનો ડર ન હોય તેમ બેફામ બનીને ગુનાઓ આચરી રહ્યા હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. થોડા દિવસ પહેલાં જ રાજ્યના પોલીસ વડાએ 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.</p> <p>ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા અને કામગીરીમાં સુધારો લાવવા માટે ટકોર પણ કરવામાં આવી હતી. DySPથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીના તમામ લોકોએ પોતાના વિસ્તારના ક્રાઈમ રેટની વિગતવાર માહિતી સાથે રિપોર્ટ કાર્ડ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ 100 કલાકમાં તૈયાર કરાયેલી અસામાજિક તત્ત્વોની યાદી પર તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.</p> <p>IPS અધિકારીઓના રિપોર્ટ કાર્ડની સીધી સમીક્ષા ગૃહ મંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ કરશે, જેનાથી અધિકારીઓની કામગીરીનું મૂલ્યાંકન થઈ શકશે. આ ઉપરાંત, બેઠકમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે અધિકારીઓએ અરજદારોને રૂબરૂ મળીને તેમની ફરિયાદો સાંભળવી જોઈએ અને તેનું નિવારણ લાવવું જોઈએ. આ નવા નિયમો અને સૂચનોથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...