Skip to main content

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે


<p style="text-align: justify;"><strong>Gujarat Weather:</strong> ઉનાળાની શરુઆતમાં જ રાજ્યમાં આકરો તાપ પડવા લાગ્યો છે. લોકો આકરી ગરમીથી બચવા લીંબુ સરબત,છાસ અને ઠંડાપીણાનો સહારો લઈ રહ્યા છે. તો ઘણા લોકો વોટર પાર્કમાં ઠંડક મેળવી રહ્યા છે. હવે ગુજરાતમાં આકરા તાપને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.</p> <p style="text-align: justify;"><strong>એપ્રિલના શરૂઆતમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા</strong></p> <p style="text-align: justify;">અંબાલાલ પટેલના મતે માર્ચ માસના અંતે એપ્રિલના શરૂઆતમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. કેટલાક ભાગમાં વાદળછાયું વાતવરણ કે છાંટા પડવાની શક્યતા છે. એપ્રિલ માસની 10 તારીખ સુધીમાં રાજ્યના ભાગોમાં વાતાવરણમાં ભારે પલટો આવવાની શક્યતા છે.</p> <p style="text-align: justify;"><strong> કેરીના પાકમાં વધુ અસર થાય તેવી શક્યતા</strong></p> <p style="text-align: justify;">ગુજરાતના મહત્તમ ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા કે આંધી તેમજ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. જેથી એપ્રિલ માસમાં ભારે પવન આંધી ધૂળની ડમરીઓ તેજ પવનની ગતિથી બાગાયતી પાકો ઉપર અસર થવાની શક્યતા છે. જેમાં કેરીના પાકમાં વધુ અસર થાય તેવી શક્યતા છે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>10મી એપ્રિલ સુધીમાં ગરમી વધે તેવી શક્યતા&nbsp;</strong></p> <p style="text-align: justify;">અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે,મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ 41 ડિગ્રી થવાની શક્યતા છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ગરમી વધવાની શક્યતા છે. જુનાગઢના વિસ્તારોમાં પણ 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં કચ્છમાં અને રાજકોટના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.</p> <p style="text-align: justify;"><strong>26 એપ્રિલથી બંગાળ ઉપસાગર વધુ સક્રિય બનતા વાવાઝોડાની શક્યતા&nbsp;</strong></p> <p style="text-align: justify;">તેમણે આગળ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સિઝનનું પ્રથમ સાઇક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા છે, જેના ભેજને કારણે 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં ભારે પલટો આવશે&nbsp; આ ઉપરાંત દસમી મેથી 15 મી જુન વચ્ચે બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે. આ વખતે સમયવાહી પ્રવાહનું જોર રહેતા શરૂઆતના ચોમાસામાં શરૂઆતમાં વરસાદ સારો રહેશે. આ વર્ષે &nbsp;બંગાળ ઉપસાગરમાં બેથી ત્રણ &nbsp;વાવાઝોડાની શક્યતા રહેલી છે. અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે કારણ કે સમુદ્રનું તાપમાન ઊંચું રહેશે. નોંધનિય છે કે, જો ઉનાળામાં વરસાદી માહોલ જામશે તો કેરી જેવા પાકોને નુકસાની થશે. જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...