Skip to main content

Gujarat:  ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં તૂટી પડશે વરસાદ


<p><strong>અમદાવાદ:</strong> રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ક્યાંક હીટવેવ તો ક્યાંક કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. &nbsp;આજે &nbsp;પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. &nbsp;&nbsp;</p> <p>બીજી તરફ આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. &nbsp; ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. &nbsp;</p> <p><strong>અનેક જિલ્લામાં હિટવેવની આગાહી</strong></p> <p>આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ પોરબંદર, જૂનાગઢ અને દીવમાં આવતીકાલે હિટવેવની આગાહી કરવામાં આવી છે. &nbsp;</p> <p><strong>2 &nbsp;એપ્રિલે રાજ્યમાં હળવા વરસાદની આગાહી</strong></p> <p>આવતીકાલે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. &nbsp;તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. &nbsp;2 &nbsp;એપ્રિલના રોજ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. &nbsp;</p> <p>અમદાવાદ શહેરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. &nbsp;ટ્રફ અને સાયકલનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.&nbsp; &nbsp;&nbsp;</p> <p><strong>હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી&nbsp;</strong></p> <p>હવામાન વિભાગના જુદા જુદા મોડલ રાજ્યમાં વાતાવરણમાં પલટાના સંકેત આપી રહ્યાં છે. &nbsp;હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીના આંકલન મુજબ આવનાર દિવસોમાં કમોસમી વરસાદ વરસશે. &nbsp;જે મુજબ 31 માર્ચ એટલે કે આજે દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળી અહીં વાદળછાયું વાતાવરણ આજે સવારથી જોવા મળ્યું. મહારાષ્ટ્ર પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે અને કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. &nbsp;</p> <p>દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, નવસારી, વાપીના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. માવઠા દરમિયાન થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે. જેથી કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટાનો અનુમાન છે. જો કે આવિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે પરંતુ વરસાદની શક્યતા નહિવત છે.&nbsp;</p> <p>હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મત મુજબ &nbsp;કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ હાલ કોઇ કમોસમી વરસાદની શક્યતા નથી. જો કે એકાદ જગ્યાએ ઝાપટા પડે તો તે અપવાદરૂપ રહેશે, હવામાનના પલટાની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1 અને 2જી એપ્રિલ સુધી જ વાદળછાયું વાતાવરણ રહેશે. બાદ આકરા તાપનો અનુમાન છે.&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...