Skip to main content

કોરોના અંકુશમાં, સૌરાષ્ટ્રમાં 536 નવા કેસ - 16 નાં મોત



- રાજકોટમાં મૃત્યુઆંક ઘટીને ૩ થયો - ૧૧૪ નવા કેસ, જામનગરમાં  કોરોના  કાબુમાં , ૭૧ કેસ - ૧ર મોત, જૂનાગઢમાં હજુ ત્રણ આંકડામાં કેસનો આંક ૧૦૮, પોરબંદર ૭પ કેસ 

રાજકોટ


સૌરાષ્ટ્રમાં કોરોનાનાં સરકારી આંકડા સામે આવી રહયા છે તેના પરથી એવો અંદાજ લગાવી શકાય કે કોરોના હવે અંકુશમાં આવી રહયો છે જો કે લોકો બેફિકર રહે અને કોરોના વિરોધી રસી નહિ મુકાવે તો ત્રણ - ચાર મહિના બાદ ત્રીજી ઘાતક લહેરનો સામનો કરવો પડશે તેવી ભીતી છે. હજારો  લોકોનો ભાોગ  લેવાયા બાદ ગત ફેબુ્રઆરી જેવી એટલ કે ચૂંટણી પહેલાની ફરી  નિયંત્રણની સ્થિતિ આવી રહી છે. દરમિયાન રાજકોટમાં કેસમાં સામાન્ય ઘટાડા સાથે સૌરાષ્ટ્રમાં આજે પ૩૬ નવા કેસ નોંધાયા હતા જયારે ૧૬ દર્દીનાં મોત થયા છે. જો કે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં હજુ પોઝીટીવ કેસનો આંક ત્રણ આંકડામાં આવી રહયો છે તે ચિંતાજનક છે. 

રાજકોટ શહેરમાં ગઈકાલે ૧ર૬ કેસ નોંધાયા બાદ આજે સામાન્ય ઘટાડો થયો હતો અને કેસ ૧૧૪ નોંધાયા છે પરંતુ મૃત્યુઆંક મહિનાઓ બાદ ૩ નો આવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. બીજી લહેરમાં કોરોના પીક પર ગયા બાદ પહેલીવાર શહેર અને જિલ્લાની હોસ્પિટલમાં મળીને  છેલ્લા ર૪ કલાકમાં ત્રણ નાં મોત થયા છે ગઈકાલે પાંચ નાં મોત થયા હતા તેમાંથી  માત્ર એક નું કોવિડથી મોત થયાનું તંત્રે જાહેર કર્યુ છે. રાજકોટ શહેરમાં ૧૮૪ દર્દીઓને આજે ડિસ્ચાાર્જ કરવામાં આવ્યા હતા. રાજકોટ ગ્રામ્યમાં છેલ્લા ર૪ કલાકમાં પ૧ કેસ નોંધાયા હતા ગ્રામ્યમાં હવે ધીરે ધીરે કોરોના પર લગામ આવી રહી છે. 

જામનગરમાં નવા કેસ ઘટી રહયા છે પરંતુ મૃત્યુઆંક હજુ કાબુમાં આવતો નથી. આજે શહેરમાં ૪૭ અને ગ્રામ્યમાં ર૪ સહિત ૭૧ પોઝીટીવ કેસ નોંધાયા હતા જયારે ૧૧ર દર્દીને રજા આપવામાં આવી હતી. દરમિયાન જી.જી. હોસ્પિટલમાં આજે ૮ દર્દીનાં મોત થયા હતા. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મોત જામનગરમાં નોંધાયા હતા. જૂનાગઢમાં કોરોના હજુ બેલગામ છે શહેરમાં ૩પ અને ગ્રામ્યમાં ૭ર કેસ મળીને ૧૦૮ કેસ સામે  આવ્યા હતા જયારે ર૬૦ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને એક દર્દીનું મોત નીપજયુ હતુ. 

પોરબંદરમાં સંક્રમણ વધી રહયુ છે આજે ૭પ નવા કેસ નોંધાયા હતા જયારે અમરેલીમાં રપ કેસ અને બે દર્દીનાં મોત થયા હતા. અમરેલીમાં હજુ કોરોનાની સ્થિતિ સુધરી નથી લોકો લાપરવાહ ન રહે. ગીર સોમનાથ જિલ્લામાં પણ ૩પ પોઝીટીવ કેસનો આંક આવ્યો છે તે ચિંતાજનક  છે જગારે દેવભૂમી દ્રારકામાં ર૬ કેસ અને એકનું મોત થયુ છે. મોરબી જિલ્લામાં કોરોનાથી હવે લોકોમાં હાશકારો અનુભવાઈ રહયો છે માત્ર બે જ કેસ આજે આવ્યા છે જયારે સુરેન્દ્રનગરમાં ૩, બોટાદમાં ૧૧ અને ભાવનગરમાં  ૬૬ કેસ સાથે એક નું મોત થયુ છે. કોરોનાનો ડર લોકોમાં હાલ તો ઘટી રહયો છે. 

રાજકોટમાં મ્યુકર માઈકોસીસનાં ૧૩ નવા દર્દીઓ, ૧૯ ઓપરેશન 

કોરોનાની સ્થિતિ પર લગામ આવી રહી છે પરંતુ મ્યુકર માઈકોસીસી નાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોય તે ચિંતાનો વિષય બન્યો છે. રાજકોટ સિવિલમાં ઉભા કરાયેલા સ્પેશ્યલ વોર્ડમાં આજે રવિવારે ૧૩ નવા દર્દીઓ આવતા કુલ  સંખ્યા  ૪૩૦  ની થઈ છે જયારે હાલ ૧૮ર દર્દી સમરસમાં દાખલ છે. આજે રેકોર્ડ બ્રેક ૧૯ ઓપરેશન કરવામાં આવતા કુલ ઓપરેશનની સંખ્યા ૩૦૬ ની થઈ છે. રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકમાંથી સૌથી વધુ આવે છે. ૧૦૦ જેટલા કેસ સોરઠમાંથી પીડીયુ સિવિલ રાજકોટમાં  આવ્યા છે. 

https://ift.tt/3pgxkEp

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...