Skip to main content

કોરોનાના દર્દીએ મેડીક્લેમ માટે ઈન્સ્યોરન્સ કંપનીમાં ખોટા દસ્તાવેજ રજુ કર્યા



અમદાવાદ, રવીવાર

કોરોનાના દર્દીને તેના ઓળખીતા ડોક્ટરે દવા લખી આપીને ઘરે જ સારવાર કરવા જણાવ્યું હતું. પરંતુ દર્દીએ મેડીક્લેમ મંંજુર કરાવવા માટે ડોક્ટરની હોસ્પિટલમાં સારવાર લીધી હોવાના ખોટા દસ્તાવેજ ઈન્સ્યોરન્સ કંપનીમાં રજુ કરીને છેતરુિંડી કરી હતી. જેને પગલે ડોક્ટરે તેની વિરૃધ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બોડકદેવમાં શીતલ પ્લાઝા ખાતે રહેતા ડો.ભાવેશભાઈ ડી.ઓઝા(૪૨) સેટેલાઈટમાં અક્ષરજ્યોત કોમ્પ્લેક્સ ખાતે શિવમ હોસ્પિટલ ધરાવે છે. તેમની હોસ્પિટલની બાજુમાં ટ્રેલરની દુકાન ધરાવતા સીવાભાઈ સી.પરમાર અવારનવાર તેમની હોસ્પિટલમાં દવા લેવા માટે આવતા હોવાથી ભાવેશભાઈ તેમને ઓળખતા હતા. ૨૬ માર્ચ ૨૦૨૧ના રોજ શીવાભાઈ બિમાર થતા ભાવેશભાઈની હોસ્પિટલમાં દવા લેવા આવતા તેમનો ટેસ્ટ કરાવાતા તેમને કોરોના પોઝીટીવ આવ્યો હતો. શીવાભાઈએ ભાવેશભાઈને તેમની હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યુંહતું.

જોકે ડો. ભાવેશભાઈએ તેમને તબિયત સારી હોવાથી ઘરે રહેવાની સલાહ આપી  જરૃરી દવા આપી હતી. દરમિયાન ૪ મેના રોજ આઈ.સી.આઈ.સી.આી.લોમ્બાર્ડ કંપનીના કર્મચારી તેજસભાઈ વેરીફિકેશન કરવા હોસ્પિટલ આવ્યા હતા અને ભાવેશભાઈને શીવાભાઈ પરમારના જરૃરી દસ્તાવેજો બતાવ્યા હતા. ઉપરાંત ભાવેશભાઈની હોસ્પિટલમાં દાખલ થયા અંગે તથા રજા આપ્યા અંગેનું ફોર્મ બતાવ્યું હતું. ઉપરાંત હોસ્પિટલના લેટર પેડ પર આપેલ દવા તથા સમરી ભરેલી હતી. જોકે ભાવેશભાઈએ તપાસ કરતા તેમની હોસ્પિટલનો લેટર પેડ ખોટો હતો અને હોસ્પિટલનો સિક્કો પણ ખોટો હતો.તે સિવાય ભાવેશભાઈની સહી પણ શીવાભાઈએ જાતે કરી હોવાનું જણાતું હતું. આથી ભાવેશભાઈએ શીવાભાઈ તેમની હોસ્પિટલમાં દાખલ થયા નથી તે તેમણે સહી સિક્કા પણ કરી આપ્યા ન હોવાની જાણ કરતો લેટર કંપનીને આપ્યો હતો. આમ શીવાભાઈ પરમારે મેડીક્લેમ મજંર કરાવવા કંપનીમાં ખોટા દસ્તાવેજો રજુ કરતા ભાવેશભાઈએ તેમની વિરૃધ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

https://ift.tt/3i31Lfu

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

આજે શહેરના વોર્ડ નં.6ની એક બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે

- રવિવારે માત્ર 29.45 ટકા જેટલું નિરસ મતદાન થયું હતું - આ બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાયું સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નગરપાલીકાનાં વોર્ડનં-૬ની યોજાયેલ પેટા ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનુ છે. માત્ર ૨૯.૪૫ ટકા નિરસ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે કોનું નસીબ ખુલશે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકાના વોર્ડ-૬ની એક બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં માત્ર ૨૯.૫૪ ટકા જ મતદાન થયુ હતુ. આજે મતગણતરી થવાની છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ એક સદસ્યએ રાજીનામુ આપી દીધુ હતુ.  અનેક પાયાની સુવિધાથી વંચિત વોર્ડમાં આ વખતે નિરસ મતદાનમાં મતદારોની નારાજગી વ્યકત થઈ હોવાનું મનાય છે. અનેક મતદારોએ મત આપવા જવાનું ટાળીને પોતાની નારાજગી વ્યકત કરી છે. તો ૨૯.૫૪ ટકા મતદારોએ મત આપ્યા છે. તેમા નગર પાલીકાના ભાજપના શાસકો પર વિશ્વાસ અકબંધ રાખ્યો છે કે પરિવર્તનની દીશામાં મતદાન કર્યુ છે તે આજનું પરિણામ નક્કી કરશે. ભાજપ અને આમઆદમી પાર્ટીએ આ વોર્ડમાં પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા ...