Skip to main content

2 જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટનામાં માત્ર 10 ની અટકાયતથી પોલીસ સામે રોષ



નડિયાદ : નડિયાદ શહેરમાં આશરે છવ્વીસ દિવસ પહેલા તળાવની માટી કાઢવા અંગે લોહીયાળ જંગ ખેલાયો હતો. બે જૂથો વચ્ચે પથ્થરમારા બાદ તોફાની ટોળાઓએ ત્રણથી વધુ વાહનોને ટાર્ગેટ બનાવી તોડફોડ કરી હતી અને ચારથી પાંચ વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચાડી હતી. આ બનાવ અંગે અત્યાર સુધી ફક્ત દસ વ્યક્તિઓની અટકાયત કરાતા પોલીસની કાર્યદક્ષતા સામે સવાલો ઊભા થયા છે.

નડિયાદ શહેરના વોર્ડ નં-૧ માં આવેલ પીજ રોડ પરના ટેલિફોન એકસચેન્જ સામે આવેલ તળાવની માટી કાઢવા એક જ સમાજના બે જૂથો લોહીયાળ બન્યા હતા. આ બનાવ અંગે નોધાયેલ ફરિયાદ પ્રમાણે નગર પાલિકા સભ્ય રમેશભાઇએ નવઘણભાઇ ભરવાડને તળાવની માટી કાઢવાના કામની સોપણી કરી હતી. જે અંગે નવઘણભાઇ અને સંગ્રામભાઇ સાથે માટી કાઢવા અંગે મનદુખ થયુ હતુ. જેની જાણ પાલિકા સભ્ય રમેશભાઇને થતા તેમને આ કામ બંધ કરાવ્યુ હતુ. જે અંગે  ગત તા.૩ જૂનના રોજ નવ વાગ્યાની અરસામાં સંગ્રામભાઇ ભરવાડ અને અન્ય વ્યક્તિઓ નવઘણભાઇ ભરવાડના ઘરે લાકડીઓ,ફરસી,પાઇપો  લઇને પહોચી ગાળો બોલી લાકડી અને પાઇપો વડે હુમલો કર્યો હતો.

આ બનાવ સંદર્ભે લીલુબેન જાગાભાઇ ભરવાડે સાત વ્યક્તિઓ અને બીજા ત્રણ ચાર વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામાપક્ષે નવઘણભાઇ કાળાભાઇ ભરવાડે સોળ વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંઘાવી હતી. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને અત્યાર સુધી લીલુબેન ભરવાડે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ આરોપીઓમાંથી છ વ્યક્તિઓની અટકાયત કરી છે. જ્યારે સામાપક્ષે નવઘણભાઇ ભરવાડે નોંધાવેલ ફરિયાદમાં સોળ વ્યક્તિઓમાંથી ફક્ત ચાર વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. આશરે સત્યાવીશ વ્યક્તિઓમાંથી દસ  જેટલા જ વ્યક્તિઓની અટકાયત કરાતા આ બનાવમાં ભીનુ સંકેલાયુ હોવાના અથવા સહેતુક ગોકળગાયની ગતિએ તપાસ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો થયા છે.

એક ફરિયાદના 11 આરોપી હજી નાસતા ફરે છે

આશરે ૨૬દિવસ અગાઉ નડિયાદ પશ્ચિમ વિસ્તારના ટેલીફોન એક્ચેન્જ  સામે આવેલા રાજીવનગરમાં પથ્થરમારા સાથે હુમલો કરાયો હતો.જે બનાવમાં પોલીસ ટીમે વહાલાદવલાની નીતિ અખત્યાર કરતી હોવાના આક્ષેપો થયા છે. નવઘણભાઇ ભરવાડે નોંધાવેલ ફરિયાદના ફક્ત ચાર આરોપીની અટકાયત કરાઇ છે, જેમાં અગિયાર જેટલા વ્યક્તિઓ હાલ નાસતા-ફરતા હોવાનુ પોલીસનુ રટણ છે.જેથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે.

પીઆઈ કહે છે, અન્યની અટકાયત કરવાના છીએ

આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકના પી.આઇ ભરતભાઇ પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે આ બનાવ અંગે અત્યાર સુધીમાં બાર જેટલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય વ્યક્તિઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી હોવાનુ ઉમેર્યુ હતુ.

https://ift.tt/3A9HpI1

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...