Skip to main content

એસ.પી. યુનિ. સંલગ્ન લૉ-કોલેજના વિદ્યાર્થીઓનું ઉપવાસ-આંદોલન



આણંદ : વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિ. સંલગ્ન લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી એમસીક્યુ બેઈઝ પરીક્ષા મુદ્દે ચલાવવામાં આવી રહેલ આંદોલનમાં આજે વિદ્યાર્થીઓ દ્વારા યુનિ. ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું. જો કે યુનિ.ના કુલપતિએ આંદોલન કરતાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કર્યા બાદ પણ વિદ્યાર્થીઓનો પ્રશ્ન યથાવત રહેતા આખરે વિદ્યાનગર પોલીસે સૂત્રોચ્ચાર કરી રહેલ સિન્ડીકેટ સભ્ય સહિતના વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

વધુમાં મળતી માહિતી મુજબ લો ફેકલ્ટીમાં એમસીક્યુ બેઈઝ પરીક્ષા લેવાના મુદ્દાને લઈ વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ છે ત્યારે કેટલીક કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી યુનિ. સત્તાધીશો સામે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. બે દિવસ પૂર્વે યુનિ. ખાતે  સૂત્રોચ્ચાર કર્યા બાદ બીજા દિવસે વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરાઈ હતી. જો કે યુનિ. સત્તાધીશો પોતાના નિર્ણય ઉપર અડગ રહેતા આજથી ત્રણ દિવસ માટે વિદ્યાર્થીઓ દ્વારા ઉપવાસ આંદોલનની જાહેરાત કરાઈ હતી. જે મુજબ બપોરના સુમારે લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ યુનિ. પરિસર ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. તેઓના સમર્થનમાં અન્ય ૭૦ જેટલા વિદ્યાર્થીઓ અને સિન્ડીકેટ સભ્ય પણ ધરણાં ઉપર બેઠા હતા. ઉપવાસ આંદોલન શરૂ થયાના થોડા સમય બાદ યુનિ.ના કુલપતિ પ્રો.શિરીષ કુલકર્ણી ઘટના સ્થળે આવ્યા હતા અને વિદ્યાર્થીઓના પ્રશ્ન અંગે પુછતાં વિદ્યાર્થીઓએ એમસીક્યુ બેઈઝ પરીક્ષા નહી લઈ ઓફલાઈન પરીક્ષા લેવા રજૂઆત કરી હતી.

જો કે યુનિ.ના કુલપતિએ અગાઉ ચાર વખત મોક ટેસ્ટ થઈ ગયા હોઈ અને મોટાભાગના વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટ આપ્યો હોઈ તથા પરીક્ષાની તારીખ ખૂબ નજીક હોઈ હવે કંઈ શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું અને મોક ટેસ્ટ ન આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ફરી વખત પરીક્ષા ફી આપ્યા વિના એક તક આપવામાં આવશે તેવી મૌખિક બાંહેધરી પણ આપી હતી. જો કે વિદ્યાર્થીઓ પોતાની માંગ ઉપર અડગ રહ્યા હતા અને યુનિ.ના કુલપતિ ઘટના સ્થળેથી રવાના થતાં જ સિન્ડીકેટ સભ્ય સહિતના વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કરતા સ્થળ ઉપર હાજર વિદ્યાનગર પોલીસની ટીમે જાહેરનામા ભંગ બદલ સિન્ડીકેટ સભ્ય સહિતના તમામની અટકાયત કરી હતી.

https://ift.tt/3hhfehI

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...