Skip to main content

ભાવનગરમાં કોરોના વિરોધી વેકિસન માટે નાગરીકોને આરોગ્ય સેન્ટરના ધક્કા



ભાવનગર : ભાવનગર સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વિરોધી વેકિસનની અછત છે ત્યારે લોકોની મૂશ્કેલી વધી ગઈ છે અને લોકોને આરોગ્ય સેન્ટરના ધક્કા થઈ રહ્યા છે. બંને વેકિસનની અછત હોવાથી લોકો પરેશાન છે અને બીજા ડોઝવાળાને તો વધુ તકલીફ પડતી હોવાનુ જાણવા મળેલ છે. સરકારમાંથી જ ઓછો જથ્થો ભાવનગરમાં આવી રહ્યો છે તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

સરકાર એકબાજુ લોકોને કોરોના વિરોધી રસી લેવા જાગૃત કરે છે અને બીજીબાજુ રસીની જ અછત છે ત્યારે લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વિરોધી રસીની અછત જોવા મળી રહી છે તેથી લોકોને આરોગ્ય સેન્ટર સુધી ધક્કા થઈ રહ્યા છે. ભાવનગર શહેરમાં રોજ આશરે ૩ હજાર વેકિસન આવે છે તેથી વહેલા તે પહેલા ધોરણે રસી આપવામાં આવે છે અને જે લોકો આરોગ્ય સેન્ટરે મોડા પહોંચે છે તેને રસી મળતી નથી. કેટલાક લોકોને રસી મળી જાય છે, જયારે ઘણા લોકોને રસી નથી મળતી નથી તેથી લોકો રોષ ઠાલવતા નજરે પડી રહ્યા છે. 

બંને રસીની અછત હોવાથી કયારેક કોવિશીલ્ડ વેકિસન આવે છે તો કયારેક કોવેકિશનનો જથ્થો આવે છે તેથી પ્રથમ ડોઝવાળાને તો ગમે તે રસી ચાલે છે પરંતુ બીજા ડોઝવાળાને પ્રથમ રસી લીધી હોય તે જ રસી લેવાની હોવાથી વધુ મૂશ્કેલી પડી રહી છે. આજે મંગળવારે કોવિશિલ્ડ રસીનો જથ્થો આવ્યો હતો અને આવતીકાલે બુધવારે કોવેકિશન રસીનો જથ્થો આવવાનો છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે. સરકારમાંથી વેકિસન ઓછી આવે છે તેથી દરેક લોકોને વેકિસન મળી શકતી નથી. સરકારના નવા જાહેરનામા મુજબ વેપારી સહિતના લોકોને આગામી તા. ૧૦ જુલાઈ સુધીમાં વેકિસનનો પ્રથમ ડોઝ લેવો ફરજીયાત છે પરંતુ હાલ લોકો વેકિસન લેવા જાય તો પણ વેકિસન મળતી નથી અને લોકોને ધક્કા થઈ રહ્યા છે ત્યારે વેપારીઓ કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. વેકિસનની અછત હોવાથી સરકારે વેપારી સહિતનાને છુટછાટ આપવી પડશે અને વેકિસન માટેની મુદ્દત વધુ આપવી પડશે તેમ જણાય રહ્યુ છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનની સીસ્ટમ હતી ત્યારે રજીસ્ટ્રેશનની સમસ્યા હતા અને હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન બંધ થયુ તો વેકિસનની સમસ્યા જોવા મળી રહી છે. 

અગાઉ પણ વેકિસનની અછત જોવા મળી હતી અને હાલ રજીસ્ટ્રેશન સ્થળ પર શરૂ કરવામાં આવતા વેકિસનની અછત જણાય રહી છે ત્યારે લોકોને આસાનીથી રસી મળી તે માટે સરકારે તત્કાલ વ્યવસ્થા કરવી જરૂરી છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. હાલ વેકિસન માટે ધક્કા થતા લોકો સરકારીની ટીકા કરતા નજરે પડી રહ્યા છે.   

https://ift.tt/3A8Nd4C

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...