Skip to main content

સુરત કતલખાને લઇ જતા ૩૨ અબોલ પશુઓને નરોડાથી બચાવી લીધા


અમદાવાદ,સોમવાર

અબોલ પશુઓની ચોરી કરીને ગેરકાયદે કતલ કરવાનો ગોરધંધો વધી રહ્યો છે, નરોડા રણાસણ ટોકનાકા પાસેથી પોલીસે  કતલખાને જવાતા ૩૨ પશુંઓને બચાવી લીધા હતા. પોલીસ તપાસમાં રાજસ્થાનથી ટ્રકમાં લાવ્યા હતા, પશુઓને ટૂંકા દોરડાથી ક્રૂરતા પૂર્વક બાંધેલા હતા,નરોેડા પોલીસે  ચાર શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે નારો વિસ્તારમાં પીપળજ ખાતેથી મધરાતે ત્રણ પશુંઓને ચોરી કરીને કસાઇઓ ફરાર થઇ ગયા હતા.

નારોલ  પીપળજ  સરકારી ચાવડી પાસેથી મધરાતે ત્રણ પશુંઓની ચોરી કરી કસાઇઓ ફરાર

જીવદયા પ્રેમીઓેએ પોલીસને માહિતી આપી હતી જેને લઇને નરોડા પોલીસે વોચ ગોઠવી હતી અને મધરાતે નરોડા રણાસણ ટોકનાકા પાસે આઇસર  ટ્રકને રોકી હતી જ્યાં પોલીસ તથા જીવદયા પ્રેમીઓને જોઇને એક આરાપી ચાલુ વાહનમાંથી  ઉતરીને ભાગી ગયો હતો, પોલીસે ટ્રકમાં તપાસ કરતાં તેમાંથી ૩૨ પાડા મળી આવ્યા હતા. આ પશુઓને રાજસ્થાનના સિહોરી જિલ્લામાંથી ભરીને લાવ્યા હતા,  તમામ પશુઓને ટુંકા દોરડાથી બાંધેલા હતા અને  ઘાસચારો કે પાણીની પણ સગવડ ન હતી.

નરોડા પોલીસે  રાજસ્થાનના સિહાર જિલ્લાના રેવદર તાલુકાના લુણોલ ગામના કનારામ તથા પાટણ જિલ્લાના બદરીપુરા ગામના જમાલખાન ભુરાખાન બલોચ તેમજ બનાસકાંઠાના ડીસા ખાતે સૈનીવાસની બાજુમાં ભોપાનગર ખાતે રહેતા ફૈયાઝ ઝાકીર કુરેશી અને મારુક કુરેશી સામે  ગુનો નોધીને તપાસ કરતાં આરોપીઓ પશુઓને રાજસ્થાનથી લાવીને સુરત ઝાંપાગેટ મંડળી માર્કેટમાં મારુકભાઇ કુરેશીને કતલ માટે  આપવા જતા હતા.

બીજા બનાવમાં નારોલ પીરાણા રોડ પર  ન્યું ભરવાડ વાસમાં રહેતા સંજયભાઇ સેંધાભાઇ ભરવાડે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે તા. ૨૫ના રોજ મધરાતે પીપળજ ખાતે આવેલી સરકારી ચાવડી પાસે ઓરડી નજીક ખુલ્લી જગ્યામાંથી ત્રણ પશુઓની ચોરી કરીને કસાઇઓ ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે નારોલ પોલીસે  સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

https://ift.tt/3joPwKM

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...