Skip to main content

ખાનગી સોસાયટીઓના કામોમાં કોર્પોરેટરો પણ હવે 10 ટકા બજેટ વાપરી શકશે



70-20-10ની સ્કીમ અંગે સ્ટેન્ડિંગ કમિટીએ કરેલો મહત્ત્વનો ઠરાવ

આ જ ધોરણે બજેટ વાપરવા કરેલો નિર્ણય સરકારને મોકલાશે : શારદાબહેન હોસ્પિટલનું નવિનીકરણ થશે

અમદાવાદ : અમદાવાદની ખાનગી સોસાયટીઓમાં આરસીસી રોડ બનાવવા, બ્લોક્સ નાખવા અને લાઈટીંગની વ્યવસ્થા ઉભી કરવા માટે મ્યુનિ. કોર્પોરેશને અમલમાં મુકેલી 70-20-10ની સ્કીમ લોકપ્રિય નિવડી છે.

આ યોજનામાં જે તે સુવિધા પાછળ થનારા કુલ ખર્ચની 20 ટકા રકમ સોસાયટીના સભ્યોએ કાઢવાની હોય છે, તેમાં 10 ટકા રકમ ધારાસભ્ય તેના બજેટમાંથી આપી શકે છે. એ જ ધોરણે કોર્પોરેટર પણ 10 ટકા રકમ આપી શકે તેવી જોગવાઈ કરવા આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તાકીદની દરખાસ્ત પસાર કરવામાં આવી છે.

આ અંગેની વિગતો એવી છે કે આ પ્રકારના કામો માટે સરકાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. રોડ, બ્લોક્સ, લાઈટના થાંભલા પાછળ થનારા કુલ ખર્ચમાંથી 70 ટકા રકમ સરકારની ગ્રાન્ટમાંથી, 20 ટકા રકમ સોસાયટીના ફાળાની અને 10 ટકા રકમ મ્યુનિ. કોર્પોરેશન આપતું હોય છે.

સોસાયટીએ કાઢવાના 20 ટકા રકમમાં જે તે વિસ્તારના ધારાસભ્ય પોતાના બજેટમાંથી 10 ટકા રકમ આપી શકે છે, જેથી સોસાયટીએ 10 ટકા રકમ જ કાઢવાની રહે. આ જ ધોરણે હવે કોર્પોરેટર પણ તેમના બજેટમાંથી 10 ટકા આપ શકે તે માટે ઠરાવ કરી કઢાયો છે. જે મંજુરી માટે સરકારને મોકલવામાં આવશે. તેમ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે 70-20-10ની કામગીરી ખાનગી કોન્ટ્રાકટરને સૌથી દેવાતી હોય છે. ઉપરાંત મ્યુનિ.ના જે તે વિસ્તારના એન્જિનિયરો કામ ચાલુ હોય ત્યારે સુપરવિઝન કરતાં જ નથી. જેના કારણે કેટલિક સોસાયટીઓમાંથી કામગીરી હલકાં પ્રકારની થયાની ફરિયાદો પાછળથી ઉભી થાય છે. આરસીસી રોડ કરે ત્યારે ખાનગી કોન્ટ્રાક્ટરનો સ્ટાફ લેવલીંગની કામગીરી યોગ્ય રીતે કરતો ના હોવાથી ચોમાસામાં પાણી ભરાવા માંડે છે. સરકાર નાણાં ખર્ચે છે, એનું પુરેપુરૂં વળતર ત્યારે જ મળે, જ્યારે કામગીરી ઉપર ચુસ્ત સુપરવિઝન ગોઠવવામાં આવે.

આ ઉપરાંત ઝીરો અવર્સમાં ગઇ મીટીંગમાં વી.એસ.હોસ્પિટલના નવિનીકરણનો મુદ્દો ઉભો થયો હતો, એવી જ રીતે આ સપ્તાહે પૂર્વની જાણીતી શારદાબહેન હોસ્પિટલના નવા બિલ્ડિંગનો પ્રશ્ન ઉભો થયો હતો. જેના ડ્રોઇંગ અને પ્લાન તૈયાર થઇ રહ્યાં હોવાની વહિવટી તંત્રને વિગતો આપી હતી. જ્યારે ચેરમેને અમદાવાદમાં એન્ટ્રીના તમામ પ્રવેશ દ્વારોને હેરિટેજ લૂક આપીને રોડ સારા કરવા જણાવ્યું હતું. ચોમાસાના ભરાઈ રહેતા ખાબોચિયા અંગે પણ રજૂઆત થઇ હતી.

https://ift.tt/3BV5JOR

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...