Skip to main content

હર્ડ ઈમ્યુનીટી માટે આણંદ જિલ્લામાંથી 1800 જેટલા સેમ્પલ લેવામાં આવ્યાં



- આઈસીએમઆર દ્વારા હાથ ધરાયેલા સર્વે અંતર્ગત 

- સેમ્પલને પરીક્ષણ માટે અમદાવાદની લેબમાં મોકલાયા : રિપોર્ટ આવ્યાં બાદ પ્રમાણ જાણી શકાશે

આણંદ : કોરોનાની બીજી લહેર સમાપ્તિના આરે છે ત્યારે આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. આઈસીએમઆર દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વે અંતર્ગત આણંદ જિલ્લામાં કુલ ૧૮૦૦ વ્યક્તિઓના સેમ્પલ લઈ અમદાવાદની લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જેના રીપોર્ટ આવ્યા બાદ જિલ્લામાં હર્ડ ઈમ્યુનીટીનું પ્રમાણ કેટલું છે તે અંગે જાણકારી મળશે.

ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ દ્વારા તાજેતરમાં વિવિધ રાજ્યોમાં સીરો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની કેટલી અસર થશે તે જાણવા માટે આણંદ જિલ્લામાં લોકોની ઈમ્યુનીટી તપાસવા સંદર્ભે કામગીરી હાથ ધરાઈ હતી. જે અંતર્ગત જિલ્લાના ૫૦ જેટલા ગામોમાંથી ૧૮૦૦ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલ હાલ અમદાવાદની આઈસીએમઆરની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.એમ.ટી.છારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર બાદ લોકોમાં એન્ટીબોડીઝ માપવા માટે આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ સેમ્પલ કલેક્શન હાથ ધરાયું હતું. જેમાં જિલ્લાના ૫૦ ગામોની પસંદગી કરાઈ હતી. જેમાં સૌપ્રથમ ૯૦૦ સેમ્પલ મોકલી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગતરોજ વધુ ૯૦૦ સેમ્પલ મોકલવામાં આવ્યા છે. 

આઈસીએમઆરના રીપોર્ટ બાદ જિલ્લામાં હર્ડ ઈમ્યુનીટીનું પ્રમાણ કેટલું છે તે અંગે જાણકારી પ્રાપ્ત થશે.

50 પૈકી એક ગામમાંથી 36 સેમ્પલ લેવાયા

ગત તા.૨૧ જૂનથી જિલ્લામાં કોરોના રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૪૫ ટકા રસીકરણની કામગીરી થઈ હોવાની માહિતી આપતા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર બાદ એન્ટીબોડીઝ માપવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પસંદ કરાયેલ ૫૦ ગામો પૈકી એક ગામમાંથી ૩૬ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આમ, અલગ-અલગ બે સ્લોટમાં ૯૦૦-૯૦૦ મળી જિલ્લામાંથી કુલ ૧૮૦૦ સેમ્પલ કલેક્ટ કરાયા છે.

https://ift.tt/3xfrs0v

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...