Skip to main content

ખેડા જિલ્લામાં 24 કલાકમાં જુદા-જુદા 4 અકસ્માતમાં 2 વ્યક્તિના મોત



- લાડવેલ ચોકડી પાસે ગાડીની ટક્કરે રાહદારીનો ભોગ લેવાયો

- ગુતાલ સીમમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ચાલકનું ગંભીર ઈજાથી મૃત્યું : કઠાણામાં ઇકોના ચાલકે અન્ય ગાડીને ટક્કર મારતા એકને ઈજા

નડિયાદ : ખેડા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર અલગ અલગ જગ્યાઓ પર અકસ્માત સર્જાયા હતા. જેમાં અમદાવાદ-ઇન્દોર હાઇવે પર આવેલ લાડવેલ ચોકડી નજીક અને અમદાવાદ-આણંદ નેશનલ હાઇવે નં-૪૮ પર આવેલ ગુતાલ ઓવરબ્રિજ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યારે અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ કઠાણા ગામના પાસે અને નડિયાદ શહેરના હેલીપેડ તંબુ ચોકી પાસે અકસ્માત થયા હતા. ચાર અકસ્માતના બનાવોમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા. જ્યારે એક વ્યક્તિને શરીરે ઇજાઓ પહોચી હતી.

કઠલાલ તાલુકાના લાડવેલ ચોકડી પાસેથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો.જેમાં એક ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી એક અજાણ્યા પુરુષને અડફેટ મારી હતી.જેથી તેને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેનુ સ્થળ પર મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવ અંગે દિનેશભાઇ મગનભાઇ સોલંકી રહે,આશરીયાના મૂવાડાએ કઠલાલ પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ તાલુકાના ગુતાલ સીમમાંથી પસાર થતા આણંદથી અમદાવાદ જતા હાઇવે નં-૪૮ ઉપર ગુતાલ ઓવરબ્રિજ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક તાપી જિલ્લાના સોનગઢથી પેપરની શીટ ભરી અમદાવાદ જતી હતી. તે સમયે ગુતાલ બ્રિજ ઉપર ટ્રકનુ ડીઝલ પુરુ થઇ જતા ટ્રક સાઇડમાં ઊભી રાખી હતી. તે સમયે એક મોટર સાયકલના ચાલકે પોતાની મોટર સાયકલ ઉભેલ ટ્રકની પાછળ જોરથી અથડાઇ હતી.જેથી મોટર સાયકલ ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સ્થળ પર મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ અંગે રમેશભાઇ ભોજુભાઇ યાદવે નડિયાદ રૂરલ પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ પર આવેલ કઠાણા ગામના કટ પાસે અકસ્માત સર્જાયો હતો.જેમા નરેશભાઇ અને કંડકટર તરીકે રીતેષભાઇ અમદાવાદ ડેપોમાંથી અમદાવાદ ઝાલોદ બસ લઇને રવાના થયા હતા.ગતરોજ રાત્રીના નવ વાગ્યાની અરસામાં તેઓ કઠાણા કટ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક ઇકો ગાડીના ચાલકે પોતાની ગાડી રોંગસાઇડ લાવી બસને આગળના ભાગે અડફેટ મારી હતી.જેથી બસને નુકસાન થયુ હતુ.વળી ગાડીના ચાલકને પણ ઇજાઓ પહોચી હતી. આ બનાવ અંગે નરેશભાઇ કાંતિભાઇ ચૌધરીએ કઠલાલ પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ શહેરની હેલીપેડ તંબુ ચોકી નજીક અકસ્માત સર્જાયો હતો.જેમાં એક ડમ્ફરના ચાલકે એક સી.એન.જી રીક્ષાને અડફેટ મારી હતી.જો કે આ બનાવમાં કોઇ વ્યક્તિને ઇજાઓ પહોચી ન હતી.પરંતુ ગરનાળાની પાળ પર થાંભલાને નુકસાન કર્યુ હતુ.જે પોલ સાથે લગાવવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરા કિ.રૂા.૧,૫૦,૦૦૦ નુ નુકસાન કર્યુ હતુ.

આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકના રાજેન્દ્રસિંહ પોપટજી વાઘેલાએ નડિયાદ ટાઉન પોલીસ મથકે ડમ્ફરના ચાલક નગીનભાઇ પ્રવિણભાઇ પરમાર રહે,ગોલી ટુવાટીબા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે કઠલાલ,નડિયાદ રૂરલ,કઠલાલ અને નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદો લઇ ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

https://ift.tt/3lbYxI3

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...