Skip to main content

બેકારી - મોંઘવારી વચ્ચે ગુજરાતમાં ભાજપનો રૂ. 24 કરોડનો અન્નોત્સવ



 ધન્યવાદ મોદીજી થીમ : ગરીબોને અનાજ વિતરણ માટે નેતાઓની સ્વપ્રશસ્તિ જેવી 'સૌને અન્ન, સૌને પોષણ,  : શાળા, પંચાયત ગૃહને બદલે હવે રાશનની દુકાને - દુકાને પ્રવચનનું પ્રસારણ, નગરો અને શહેરોમાં મંડપો નખાશે

રાજકોટ : ઓગષ્ટની ત્રીજી તારીખે રાજય સરકાર અન્નોત્સવ ઉજવવા જઈ રહી છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (એન.એફ.એસ.એ.) અંતર્ગત ગુજરાતના 71.88 લાખ રાશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે થતા ઘઉં- ચોખાના વિતરણમાં આ મહિને વડાપ્રધાન અને મુખ્યમંત્રી આમાંના ૧૨૮૦૦ ગરીબ પરિવારોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે, જે માટે રાજય સરકાર કમ સે કમ  રૂ. 24 કરોડનું આંધણ કરવાની છે. કોરોના કાળમાં બેરોજગારી અને મોંઘવારીએ માઝા મૂકી છે એવા સમયે શાસકોની પ્રચારભૂખ પાછળ ગુજરાતની પ્રજાએ આ રીતે કરોડો રૂપિયાનો બોજ ઉઠાવવાનો વારો આવ્યો છે.

આ કાર્યક્રમની મુખ્ય થીમ ''સૌને અન્ન, સૌને પોષણ, ધન્યવાદ મોદીજી'' એવી સ્વપ્રશસ્તિરૂપ રાખવામાં આવી છે. ગત મંગળવારે પુરવઠા વિભાગે જિલ્લા મથકોને સૂચના આપી હતી કે, વ્યાજબી ભાવની દુકાન નજીક શાળાઓ અને પંચાયત ગૃહોમાં 25-25 લાભાર્થી તથા 25-25સ્થાનિક આગેવાનોની બેઠક વ્યવસ્થા ગોઠવવી. આના બદલે, હવે આજે પુરવઠા સચિવે તમામ કલેકટરોને સૂચના મોકલી છે કે અન્નોત્સવ વ્યાજબી ભાવની દુકાનો પર જ કરવાનો છે, જયાં જીવંત પ્રસારણની એ રીતે વ્યવસ્થા રાખવી કે ત્યાં ઉપસ્થિત લાભાર્થીઓ, મહાનુભાવો અને પ્રજાજનો તે નિહાળી શકે. આ માટે દુકાનદીઠ રૂ 5,000 જિલ્લાતંત્રને અપાશે.

આ કાર્યક્રમ માટે વડાપ્રધાન દિલ્હીથી તેમજ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રી દાહોદથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉદ્બોધન કરશે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્બોધન ઉપરાંત પસંદગીના સ્થળો પર હાજર કેટલાંક લાભાર્થીઓ સાથે દ્વિ-પક્ષી સંવાદ પણ કરશે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ દૂરદર્શન અને બાયસેગની વંદે ગુજરાત ચેનલ સહિત ત્રણ ચેનલ પરથી થશે, ઉપરાંત યુ-ટયુબ પર લાઈવે સ્ટ્રીમિંગ થશે. 

રાશન શોપ્સ ઉપરાંત પણ અનેક સ્થળે કાર્યક્રમ માટે જે વ્યવસ્થા થવાની છે એ વધુ ખર્ચાળ

રાશન શોપ્સ ઉપરાંત પણ અનેક સ્થળે કાર્યક્રમ માટે જે વ્યવસ્થા થવાની છે એ વધુ ખર્ચાળ છે. દરેક મહાપાલિકાના પ્રત્યેક વોર્ડમાં એક સ્થળે, 'અ' વર્ગની પાલિકાવાળા નગરોમાં પાંચ - પાંચ સ્થળે, 'બ' વર્ગમાં ત્રણ - ત્રણ,  'ક' વર્ગમાં બે-બે અને 'ડ' વર્ગની પાલિકાવાળા નગરોમાં એક-એક સ્થળે 200-200માણસો બેસી શકે તે રીતે મંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, માઈક- સાઉન્ડ અને જીવંત પ્રસારણને લગતી વ્યવસ્થા સ્થાનિક તંત્રએ ગોઠવવાની રહેશે. પ્રતિ કાર્યક્રમ રૂ 75,000ખર્ચપેટે અપાશે, અને રાજય સરકારનું પુરવઠા નિગમ (પ્રજા જનોના ખિસ્સામાંથી!) આ ગ્રાન્ટ જે - તે જિલ્લાને ફાળવશે! પાલિકા વિસ્તારોના 342 સ્થળે 8550 લોકો અને મહાનગરોના 170 સ્થળે 4250 માણસો આ રીતે શાસકોનો  ''શો'' નિહાળશે.

https://ift.tt/3xfIJqi

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...