Skip to main content

ગુજરાતે રૂ.11,550 કરોડ માગ્યા કેન્દ્રએ 1000 કરોડ આપી હાથ ખંખેર્યા



- ટૌટે વાવાઝોડાના નુકશાન પેટે કેન્દ્રએ ગુજરાતને મદદ ન કરી

- અગાઉ અતિવૃષ્ટિ થતાં રૂા.7239 કરોડની માંગ કરી પણ કેન્દ્રએ જવાબ આપ્યો નથી, નવી સરકારે જ કબૂલ્યું

અમદાવાદ : ટૌટે વાવાઝોડાએ ગુજરાતના  દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી  સર્જી હતી. જાનહાની તો સર્જાઇ ન હતી પણ મકાનોથી માંડી માછીમારોની બોટોને ખૂબ નુકશાન પહોચ્યુ હતુ. તે વખતે નાણાંકીય સહાય આપવા માંગ ઉઠી હતી. તે વખતે ગુજરાત સરકારે ટૌટે વાવાઝોડામાં લોકોને સહાય આપવા કેન્દ્ર સરકાર પાસે હાથ લંબાવ્યો હતો અને રૂા.૯૧૦૨ કરોડની માંગ કરી હતી પણ કેન્દ્ર સરકારે કાણી પાઇ આપી ન હતી. વિધાનસભા સત્રમાં ખુદ નવી સરકારે આ વાતની કબૂલાત કરી હતી. 

ટૌટે વાવાઝોડાના નુકશાન પેટે સહાય કરવા ગુજરાત સરકારે તા.૨૮મી ઓગષ્ટ,૨૦૨૧ના રોજ પત્ર લખી ખાસ કિસ્સામાં રૂા.૯૧૦૨ કરોડની માંગણી કરી હતી.  એટલુ જ નહીં, એસડીઆરએફના ધારાધોરણો મુજબ અન્ય રૂા.૨૪૪૮ કરોડની ય માંગ કરી હતી. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને ટૌટે વાવાઝોડામાં નુકશાન થયેલા લોકોને સહાય આપવા  કુલ  મળીને રૂા.૧૧,૫૫૦ કરોડની માંગણી કરી હતી. 

વિપક્ષે પૂછેલાં સવાલના જવાબમાં ખુદ સરકારે જ કબૂલ્યુ હતુકે, રૂા.૯૧૦૨ કરોડની માંગણી કરી પણ કેન્દ્ર સરકારે માત્ર રૂા.૧ હજાર કરોડ જ આપ્યા હતાં. રૂા.૨૪૪૮ કરોડની માંગણી તો ધ્યાને જ લેવાઇ નથી. આ ઉપરાંત ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં એવી ય માહિતી રજૂ કરી કે, આ અગાઉ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતી સર્જાઇ હતી જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન વ્હોરવુ પડયુ હતું. તે વખતે પણ ગુજરાત સરકારે તા.૧૫મી ઓક્ટોબર,૨૦૨૦ના રોજ કેન્દ્ર સરકારને પત્ર લખી રૂા.૭૨૩૯ કરોડની સહાય આપવા રજૂઆત કરવામાં આવી હતી.નવાઇની વાત તો એ છેકે, અતિવૃષ્ટિની સહાય માટેના પત્રનો કેન્દ્ર સરકારે જવાબ સુધ્ધાં આપ્યો નથી. આ પરથી એવુ સ્પષ્ટ થયુ છેકે, ગુજરાતની કેન્દ્રમાં પિપૂડી જ વાગતી નથી. 

નોંધનીય છેકે, ટૌટે વાવાઝોડામાં રાહત સહાય પેકેજ અપુરતુ છે તે મુદ્દે ખુદ ભાજપના જ ધારાસભ્યો સરકારને રજૂઆત કરી ચૂક્યા છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમા ય લોકો સહાય ન મળતા ભાજપથી ભારોભાર નારાજ છે. આ તરફ, ગુજરાત સરકારે હાથ લંબાવ્યો પણ કેન્દ્ર સરકારે નજર જ ફેરવી લીધી છે. 

https://ift.tt/3ATMap3

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...