Skip to main content

ભાવનગર અને બોટાદ જિલ્લાના 5 ડેમ ઓવરફલો



- 20 ડેમમાં અડધાથી લઈ સવા 5 ઇંચ વરસાદ વરસ્યો \

- કાળુભાર, રોજકી, રજાવળ, હણોલ અને બગડ ડેમ છલકાતા દરવાજા ખોલાયા, અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરાયા 

ભાવનગર : ભાવનગર અને બોટાદ જિલ્લાના ૧૧ ડેમ વિસ્તારમાં આજે બુધવારે પાણીની આવક શરૂ હતી. પાણીની આવકના પગલે પ ડેમ ઓવરફલો થયા હતા તેથી ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા અને અસરગ્રસ્ત ગામને એલર્ટ કરવામાં આવ્યા હતાં. બે ડેમ ૯૦ ટકા ભરાયા હતાં. શેત્રુંજી ડેમના ફરી તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતાં. ર૦ ડેમમાં આજે અડધાથી લઈ સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. 

આજે બુધવારે ભાવનગર અને બોટાદ જિલ્લાના ૧૧ ડેમમાં પાણીની આવક શરૂ હતી. ધોધમાર વરસાદ અને પાણીની ધસમસતી આવકના પગલે પ ડેમ છલકાયા હતા, જેમાં કાળુભાર, રોજકી, રજાવળ, હણોલ અને બગડ ડેમનો સમાવેશ થાય છે. આ પાંચ ડેમ ઓવરફલો થતા ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા હતા અને અસરગ્રસ્ત ૩૦ વધુ ગામને એલર્ટ કરવામાં આવ્યા હતાં. ઉતાવળી ડેમ અને હમીરપરા ડેમ ૯૦ ટકા ભરાયા હતા તેથી અસરગ્રસ્ત ગામને સાવચેત કરવામાં આવ્યા હતાં. શેત્રુંજી ડેમમાં આજે ર૯ર૦પ કયુસેક પાણીની ધસમસતી આવક હોવાના પગલે ડેમના પ૯ દરવાજા ૬૦ મીટર ખોલવામાં આવ્યા હતા અને રાત્રીના ૯ કલાકે પણ તમામ દરવાજા ખુલ્લા હતાં. ખારો ડેમમાં પણ પાણીની સારી આવક હોવાથી ૧૩ દરવાજા ખોલવામાં આવ્યા હતાં. પીંગળી, માલણ ડેમમાં પણ પાણીની આવક શરૂ હતી. 

ભાવનગર અને બોટાદ જિલ્લાના ર૦ ડેમ વિસ્તારમાં અડધાથી સવા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો, જેમાં શેત્રુંજી ડેમમાં ૮૦ મીલીમીટર, રજાવળમાં ૮૦, ખારોમાં ૯૦, માલણમાં ૬પ, રંઘોળામાં ૩૦, લાખણકામાં ૩૩, હમીરપરામાં ૮૭, હણોલમાં ૧૧૮, પીંગળીમાં ૧ર૭, બગડમાં ૧૩૦, રોજકીમાં ૧૧પ, જસપરામાં ૧૦પ, કાળુભારમાં ૩૦, ખાંભડામાં ૩૦, ઉતાવળીમાં ૧પ, માલપરામાં ૩૦, લીંબાળીમાં ર૦, કાનીયાડમાં ૪પ, ગોમામાં ર૦, ભીમડાદમાં રપ અને સુખભાદર ડેમમાં ૩૦ મીલીમીટર વરસાદ નોંધાયો હતો તેમ સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવેલ છે. રપ મીલીમીટરે ૧ ઇંચ ગણવામાં આવતો હોય છે. સારો વરસાદ થતા મોટાભાગના ડેમમાં પાણીની આવક જોવા મળી હતી. ધોધમાર વરસાદ પડતા અને ડેમોમાં સારી પાણીની આવક થતા ખેડૂતો ગેલમાં જોવા મળ્યા હતાં. હવે મેઘરાજા ખમૈયા કરે તો સારૂ તેમ ખેડૂતોમાં ચર્ચાય રહ્યુ છે. 


https://ift.tt/3F0DLmh

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...