Skip to main content

ગુજરાતની વસતિ 9 વર્ષમાં 6 કરોડથી વધી 7 કરોડ : 13 ટકાનો વધારો



- રાજ્યમાં 84 લાખથી વધુ લોકો વધ્યા

- ભારતની વસતીમાં 11.09 ટકાનો વધારો થયો છે, ગુજરાતમાં વસતી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ 308 થઇ છે

ગાંધીનગર : ગુજરાતમાં વસતી વધારો સતત થઇ રહ્યો છે. ભારતની વસતી ગણતરીના અંદાજ પ્રમાણે ૨૦૨૦માં રાજ્યની વસતી ૬.૯૪ કરોડ થઇ છે, જે ૨૦૧૧ની છેલ્લી વસતી ગણતરી પ્રમાણે ૬.૧૦ કરોડ હતી. નવ વર્ર્ષમાં રાજ્યની વસતીમાં ૧૩ ટકાનો વિંક્રમી વધારો થયો છે.

ગુજરાતની સરખામણીએ ભારતની વસતીનો દર ઓછો રહ્યો છે. દેશમાં આ સમયગાળા દરમ્યાન ૧૧.૦૯ ટકાના દરે વસતી વધી છે. દેશની વસતી ૨૦૧૧માં ૧૨૨.૦૧ કરોડ હતી જે વધીને ૨૦૨૦માં ૧૩૫.૫૪ કરોડ થઇ છે. કોરોના સંક્રમણના કારણે ૨૦૨૧માં વસતી ગણતરી થઇ શકી નથી પરંતુ પ્રોજેક્ટેડ વસતીના આંકડા જાહેર કરવામાં આવેલા છે. ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા કેગના રિપોર્ટમાં વસતીના અંદાજો જાહેર કરવામાં આવેલા છે જેમાં નવ વર્ષમાં ગુજરાતમાં ૮૪ લાખ લોકો વધી ગયા છે. પ્રતિ ચોરસ કિલોમીટર પ્રમાણે વ્યક્તિની સંખ્યા ભારતમાં ૩૮૨ છે જ્યારે ગુજરાતમાં ૨૦૮ છે. રાજ્યમાં ગરીબી રેખાની નીચે જીવતી વસતી ૧૬.૬ ટકા છે.

ગુજરાતમાં સાક્ષરતાનો દર વધીને ૭૮.૦ થયો છે જ્યારે બાળમરણનો દર ૧૦૦૦ સામે ૩૦.૦ છે. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય ભારતમાં ૬૯.૪ વર્ષ છે જ્યારે રાજ્યમાં ૬૯.૯ જોવા મળ્યું છે. વર્તમાન ભાવોએ એકંદર ઘરેલું ઉત્પાદન અને રાજ્યનું એકંદર ઘરેલું ઉત્પાદન ૧૬૬૩૩૬૨ કરોડ રૂપિયા જોવા મળ્યું છે, જ્યારે ભારતનું એકંદર ઘરેલું ઉત્પાદન ૨૦૩૩૯૮૪૯ કરોડ રૂપિયા છે.

https://ift.tt/3F6JarQ

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...