Skip to main content

ગેંગસ્ટરને પકડવા પોલીસ સફાઈ કામદાર, સિક્યુરિટી ગાર્ડ બની!



- ક્રાઈમ બ્રાન્ચે 2009થી વોન્ટેડ મનીષસિંગને મુંબઈથી ઝડપ્યો

- ચાંદખેડામાં ફાઈનાન્સર શિવલાલ નામે 3 વર્ષ રહી ગયેલો ગેંગસ્ટર મનીષસિંગ 15થી વધુ ગુનામાં વોન્ટેડ, 50,000નું ઈનામ છે

અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે યુ.પી. અને મુંબઈ પોલીસ ૧૨ વર્ષથી શોધી રહી હતી તેવા ગેંગસ્ટરને સિક્યુરિટી ગાર્ડ અને સફાઈ કામદાર બનીને મુંબઈથી ઝડપી લીધો છે. યુ.પી.નો મનિષસિંગ સુભાષસિંગ ઠાકુરની ગેંગનો સભ્ય છે અને ૧૫થી વધુ ગુનામાં વોન્ટેડ છે. યુ.પી. પોલીસે ૫૦૦૦૦નું નામ જાહેર કર્યું છે તેવા ગેંગસ્ટરને ઝડપી લેવા માટે ક્રાઈમ બ્રાન્ચના બે કર્મચારી ૨૦ દિવસ સુધી મુંબઈના નાલાસોપારામાં તેના એપાર્ટમેન્ટમાં નોકરી પર રહ્યાં હતાં. પિતાનું શ્રાધ્ધ કરવા આવેલા મનિષસિંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચબરાકીપૂર્વક ઝડપી લીધો છે. મનિષ સિંગ સામે અમદાવાદ અને વડગામમાં હથિયાર વેચવા અને બોટાદમાં ડબલ મર્ડરના કેસ નોંધાયેલા છે.

રીઢા વોન્ટેડ મનીષસિંગને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલે મુંબઈમાં નોકરી કરી હતી. આરોપી જ્યાં રહેતો હતો તે ફ્લેટમાં એક કોન્સ્ટેબલે સફાઈ કામદાર અને બીજા કોન્સ્ટેબલે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી હતી. પીએસઆઈ જે.બી. બુધેલિયા, હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અને કિશોર ગઢવી મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં રોકાઈ ગયા હતા. સિક્યુરિટી ગાર્ડ અને સફાઈ કામદાર તરીકે વીસ દિવસથી વધુ નોકરી પછી પિતાનું શ્રાધ્ધ કરવા આવતાં જ મનીષસિંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો હતો. યુ.પી.ની કુખ્યાત સુભાષસિંગ ઠાકુર ગેંગનો મનીષસિંગ એટલો શાતિર હતો કે તેને ઝડપવો આસાન નહોતો એટલે પોલીસે સ્વાંગ રચીને તેને ઝડપી લીધો હતો.

ક્રાઈમ બ્રાન્ચ મનીષસિંગને વર્ષ ૨૦૧૯થી શોધી રહી હતી. મનીષસિંગ અમદાવાદમાં વર્ષ ૨૦૧૬થી શિવલાલ યાદવના નામે રહેતો હતો. ફાઈનાન્સર તરીકે ધંધો કરતા શિવલાલ યાદવનું નામ વર્ષ ૨૦૧૯માં માણેક ચોકમાં સોનીની દુકાનમાં દિવાળીના દિવસે જ ૨૩ લાખની ચોરી થઈ તેમાં ખૂલ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે શિવલાલ યાદવનું પગેરું દબાવ્યું અને મુંબઈ સુધી તપાસ પહોંચી. તેની ભૂતપુર્વ પત્ની મળી તો એટલી ખબર પડી હતી કે, શિવલાલ ક્યારે આવે ને ક્યારે જાય તે ખબર ન જ પડે. એવામાં ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી માંડલિકને એક કોન્સ્ટેબલે માહિતી આપી કે, શિવલાલ યાદવ એ ખરેખર તો યુ.પી.ની ગેંગનો સભ્ય મનીષસિંગ છે. 

મનિષસીંગ ઉર્ફે રાજુ ઉર્ફે છોટુ જગતનારાયણ ગૌરીશંકર સિંગે વર્ષ ૨૦૦૭માં બનારસમાં બે શખ્સો ઉપર ૧૦-૧૨ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પછી વર્ષ ૨૦૦૭માં હિોટલના ડાયરેક્ટરની ફાયરિંગ કરી હત્યાના કેસમાં પકડાયો હતો. યુ.પી. પોલીસના જાપ્તામાંથી વર્ષ ૨૦૦૯માં ભાગ્યા પછી મુંબઈમાં સ્થાન જમાવ્યું હતું અને સુભાષસિંગના કહેવાથી બારના માલિક ઉપર ખંડણી માટે ફાયરિંગ કર્યું હતું. આ પછી યુ.પી.ના ખંડણી માટે હત્યા, ડોક્ટર પાસે ૫૦ લાખની ખંડણી માગી ફાયરિંગના ગુના નોંધાયા હતા. વર્ષ ૨૦૧૪માં કમલસિંગ ઉર્ફે સોનુ નામનો શખ્સ શખ્સ પિસ્ટલ સાથે પકડાયો તેમાં મુંબઈના મનીષસિંગ ઉર્ફે રાજુનું નામ ખુલ્યું હતું.

વડગામમાં પિસ્ટલ અને ૧૦ કારતુસ વેચ્યા હતા. વર્ષ ૨૦૧૪માં બોટાદમાં અમરદિપ પેટ્રોલ પમ્પની ઓફિસમાં ભરતસિંહ વાળા અને રણછોડભાઈ કેવડિયાની ફાયરિંગ કરી હત્યાના કેસમાં પણ મનીષસિંગનું નામ ખૂલ્યું હતું. યુ.પી.માં ૧૫, મુંબઈમાં એક અને ગુજરાતમાં ત્રણ ગુનામાં વર્ષ ૨૦૦૯થી વોન્ટેડ મનીષસિંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમ મુંબઈથી કૂનેહપૂર્વક ઝડપી લઈ અમદાવાદ લાવી છે. અદાલતે મનીષસિંગને ક્રાઈમ બ્રાન્ચના હથિયાર કેસમાં છ દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે.

https://ift.tt/3uphj19

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...