Skip to main content

બેઝિક ગણિતના વિદ્યાર્થીને A ગુ્રપમાં પ્રવેશ આપનાર સ્કૂલોના આચાર્યોને દંડ



ધો.11 સાયન્સમાં બોર્ડની મંજૂરી વગર CBSEના

વાલીઓની માંગને પગલે અંતે બોર્ડે A ગૂ્રપમાં પ્રવેશની મંજૂરી આપી પણ ગણિતની પરીક્ષા અલગ લેવાશે 

અમદાવાદ : સીબીએસઈના બેઝિક ગણિત સાથે પાસ થયેલા ધો.10ના વિદ્યાર્થીઓને કેટલીક સ્કૂલે નિયમ વિરૂદ્ધ એ ગુ્રપમાં પણ પ્રવેશ આપી દીધો છે.ગુજરાત બોર્ડે આ વર્ષે માત્ર બી ગુ્રપમાં પ્રવેશની છુટ આપી હતી પરંતુ કેટલીક સ્કૂલે ગુજરાત બોર્ડના નિયમ વિરૂદ્ધ જઈને એ ગુ્રપમાં પ્રવેશ આપી દીધો હોવાથી બોર્ડ દ્વારા હવે આવી દરેક સ્કૂલના આચાર્યને પાંચ-5ાંચ હજાર રૂપિયાનો દંડ કરાશે.

સીબીએસઈ દ્વારા ધો.10માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત એમ બે પેપરોની પદ્ધતિ બે વર્ષથી લાગુ કરી છે. બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને ધો.11 સાયન્સમાં પ્રવેશ મળતો નથી અને ગુજરાત બોર્ડે પણ નિયમ કર્યો છે કે ગુજરાત બોર્ડ હેઠળ નોંધાયેલી એક પણ સાયન્સ સ્કૂલમાં કોઈ પણ ગુ્રપમાં પ્રવેશ મળશે નહી.પરંતુ ગત વર્ષે કોરોનાને પગલે બોર્ડ 2020-21ના વર્ષ માટે બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને બી ગુ્રપમાં પ્રવેશની છુટ આપી હતી.

ત્યારબાદ આ વર્ષે પણ કેટલીક સ્કૂલે બી ગુ્રપમાં પ્રવેશ આપી દીધો હતો.જેને પગલે બોર્ડે આ વર્ષ માટે પણ મંજૂરી આપી હતી અને 13મી સપ્ટેમ્બરે પરિપત્ર કરીને 20મી સુધીમાં સ્કૂલોને પ્રવેશ આપવા મંજૂરી આપી હતી.દરમિયાન કેટલાક વાલીઓએ બોર્ડને રજૂઆત કરી હતી કે બેઝિક ગણિત સાથે પાસ થયેલા તેઓના બાળકોએ એ ગુ્રપમાં પ્રવેશ લઈ લીધો છે.

કેટલીક સ્કૂલોએ બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓને સાયન્સના એ ગુ્રપમાં પ્રવેશ આપી દીધો છે. એ ગુ્રપમાં અભ્યાસ માટે ગણિત જરૂરી હોય છે અને જે માટે સ્ટાન્ડર્ડ ગણિત જરૂરી છે.પરંતુ વાલીઓની માંગણીને પગલે બોર્ડે આ વર્ષે એ ગુ્રપમાં પ્રવેશ માટે મંજૂરી આપી દીધી છે અને તાજેતરમાં તમામ ડીઈઓને આ બાબતે પરિપત્ર કર્યો છે.

ઉપરાંત તમામ ડીઈઓને 30મી સુધીમાં બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને કઈ કઈ સ્કૂલે કયા કયા ગુ્રપમાં પ્રવેશ આપ્યો છે અને કઈ તારીખે પ્રવેશ અપાયો છે તે અંગેની તમામ વિગતો મોકલવા આદેશ કર્યો છે.

બોર્ડે તમામ ડીઈઓ પાસેથી 13મી સપ્ટેમ્બર પહેલા એટલે કે બોર્ડે મંજૂરી આપી હતી તે પહેલા પ્રવેશ આપનારી સ્કૂલોની પણ અલગથી વિગતો માંગી છે. જે સ્કૂલોએ બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને 11 સાયન્સમાં એ ગુ્રપમાં પ્રવેશ આપી દીધો છે તે તમામ સ્કૂલોના આચાર્યોને પાંચ-પાંચ હજારનો દંડ કરવામા આવશે.

આચાર્યએ પોતાના બેંક એકાઉન્ટમાંથી બોર્ડને દંડની રકમ જમા કરાવવાની રહેશે.ઉપરાંત એ ગુ્રપમાં પ્રવેશ લેનારા બેઝિક ગણિતના વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા અલગથી ગુજરાત બોર્ડના ગણિતના અભ્યાસક્ર મુજબ અને જુલાઈ 2021માં લેવાયેલ પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ મુજબ  બોર્ડ પરીક્ષા લેવાશે.જે વિદ્યાર્થી આ બોર્ડ પરીક્ષા પાસ કરશે તેનો જ ધો.11 સાયન્સમાં એ ગુ્રપમાં પ્રવેશ માન્ય રાખવામા આવશે.

https://ift.tt/3ARTSjJ

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...