Skip to main content

વાડીલાલ પરિવારને વેચેલી જમીનનું ખોટું વિલ કરાયું



1995માં જમીન વેચનાર ખેડૂતના મૃત્યુ પછી વિવાદ

ગોતા દેવનગર પાસે 13958 ચો.મી. જમીનમાં વારસાઈના નામો ખોટી રીતે દાખલ કરાયાનું જણાતાં પોલીસ ફરિયાદ

અમદાવાદ : જુના જમીન વિવાદોની અનેક અરજીઓ પડતર હતી તેનો નિકાલ થવાનું શરૂ થયું છે. આવા જ એક કિસ્સામાં શહેરના વાડીલાલ આઈસ્ક્રીમ પરિવારને વેચવામાં આવેલી જમીનનું ખોટું વીલ બનાવીને વારસાઈમાં નામો ખોટી રીતે દાખલ કરાયાની ફરિયાદ સોલા પોલીસમાં નોંધાવાઈ છે.

1995માં જમીન વેચનાર ખેડૂતનું વર્ષ 2010માં અવસાન થયું હતું. આ પછી જમીનને બીનખેતી કરાવી દસ્તાવેજ કરાવવાની પ્રક્રિયા વખતે વારસાઈના નામો ખોટી રીતે સરકારી રેકર્ડમાં ચડાવાયાનું જણાતાં ફરિયાદ નોંધી સોલા પોલીસે તપાસ શરૂ કરાઈ છે.

નવરંગપુરામાં રહેતા દેવાંશુભાઈ લક્ષ્મણભાઈ ગાંધી વાડીલાલ હાઉસ ખાતે ફૂડ પ્રોસેસિંગનો લગતો વ્યવસાય કરે છે. દેવાશુંભાઈએ સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગોતા ગામના જુના સર્વે નંબર 124-2-1ની 2327 ચો.મી. તેમજ 124-1ની 11631 ચો.મી. જમીન ખેડૂત સોમાભાઈ હાથીભાઈ પટેલ પાસેથી વર્ષ 1995માં ખરીદ કરી હતી અને નાણાં ચૂકવ્યા હતા.

જમીન લેનાર તરીકે દેવાંશુભાઈ, તેમના કાકાના દિકરાઓ વિરેન્દ્રભાઈ રાજચંદ્રભાઈ ગાંધી, રાજેશ રામચંદ્ર ગાંધીના નામ હતા. જ્યારે, વેચનાર તરીકે સોમાભાઈ હાથીભાઈ પટેલ તથા તેમની દિકરીઓ તથા સાક્ષી તરીકે તેમના સગાભાઈના પુત્રની સહિઓ કરવામાં આવી હતી.

કુલ 13958 ચો.મી.ની આ જમીનોનો કબજો પાવર ઓફ એટર્ની પછી ગાંધી પરિવારે મેળવ્યો હતો. વર્ષ 2010માં સોમાભાઈ હાથીભાઈ પટેલનું અવસાન થયું હતું. આ જમીન નવી શરતની હોવાથી આ જમીન બીનખેતી કરાવ્યા પછી જ રજીસ્ટર દસ્તાવેજ થઈ શકે તેમ હતો.

સોમાભાઈ હાથીભાઈ પટેલના વારસદારોએ જમીન અંગે વર્ષ 2011માં જનરલ પાવર ઓફ એટર્ની દેવલબહેન દેવાંશુભાઈ ગાંધી, ઈલાબહેન વિરેન્દ્રભાઈ ગાંધી અને મમતાબહેન રાજેશભાઈ ગાંધીની તરફેણમાં કરી અપાયું હતું. સર્વે નંબરમાં ભૂલ રહી જતાં સુધારાનો નજરલ પાવર ઓફ એટર્ની 2012માં કરાયો હતો. 

આ જમીનને નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન સોમાભાઈ હાથીભાઈ પટેલના દિકરીઓએ જમીનમાં ખોટી રીતે વારસાઈની નોંધ રેવન્યુ રેકર્ડમાં વર્ષ 2019માં પડાવી દીધી હતી. આ બાબતે સિવિલ કોર્ટમાં દાવા કરવામાં આવેલા છે. 

સોમાભાઈ હાથીભાઈ પટેલે વેચેલી જમીન અંગે વર્ષ 2010નું ખોટું નોટરાઈઝ વીલ,  ખોટો મિલકત વહેંચણીનો કરાર તેમજ સોમાભાઈની ખોટી સહીઓ કરાયાનો પ્રાઈવેટ હસ્તાક્ષર અભિપ્રાય આવ્યો હતો. આ રીતે ખોટું વહીલ અને વહેંચણી કરાર અપજાવી કાઢવા અંગે પોલીસમાં અરજી કરવામાં આવી હતી.

વાડીલાલ પરિવારની અરજી ફરિયાદ યોગ્ય છે તેવો અભિપ્રાય પોલીસ કમિશનર કચેરી તરફથી આવતાં સોલા પોલીસે જમીન વેચનાર સોમાભાઈ પટેલના પરિવારના 10 લોકો સામે વિશ્વાસઘાત, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો બનાવવા અંગે ગુનો નોંધ્યો છે. પી.આઈ. જે.પી. જાડેજાએ જણાવ્યું કે, આ ફરિયાદ અંગે સરકારી રેકર્ડના પુરાવાઓ એકત્ર કરી તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

https://ift.tt/3iekBQ2

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...