Skip to main content

દિવાળીના તહેવારોમાં 108 ના ઇમરજન્સી કેસમાં 35 ટકા સુધીના વધારાનું અનુમાન


અમદાવાદ,તા.29 ઓક્ટોબર 2021, શુક્રવાર

દિવાળીના તહેવારમાં ફટાડકા ફોડવાના કારણે આગ, અકસ્માતના કેસોમાં સામાન્ય દિવસો કરતા વધારો જોવા મળતો હોય છે. આ વર્ષે ઇમરજન્સી સેવા ૧૦૮ના અનુમાન પ્રમાણે દિવાળીના દિવસે ૧૬.૬૯ ટકા કેસ વધુ જોવા મળશે.બેસતા વર્ષના દિવસે ૨૭.૩૬ ટકાનો અને ભાઇબીજના દિવસે ૩૪.૭૨ ટકાનો ઇમરજન્સી કેસમાં વધારો થનાર હોવાનું એક અભ્યાસમાં પૂર્વાનુંમાન કરવામાં આવ્યું છે. આ સ્થિતિને ધ્યાને લેતા રાજ્યભરમાં તમામ ૮૦૦ જેટલી ઇમરજન્સી ૧૦૮ની વાનને એલર્ટ રહેવા તાકીદ કરાઇ છે. અમદાવાદમાં ૧૩૦  જેટલી ૧૦૮ની ગાડીઓ તૈનાત રહેશે. ૧૦૮ના સ્ટાફની રજાઓ રદ કરીને તેઓને લોકસેવામાં ખડેપગે રહેવાની સુચના આપી દેવાઇ છે.

ઇમરજન્સી સેવા ૧૦૮ના પૂર્વાનુમાનના આધારે વર્ષ ૨૦૨૧માં  રાજ્યભરમાંથી દિવાળીના દિવસે ૪,૧૩૮ કેસ આવવાની શક્યતા છે. નવા વર્ષના દિવસે ૪,૫૨૫ કેસ અને ભાઇબીજના દિવસે ૪,૭૭૭ કેસ ઇમરજન્સીના આવવાનું અનુમાન છે. હાલમાં સામાન્ય દિવસોમાં રોજના ૩,૫૪૬ કેસ આવતા હોય છે. જેમાં વધારો જોવા મળશે.

દિવાળીના દિવસે વાહન અકસ્માતના કેસમાં ૭૯.૭૯ ટકાનો વધારો રહેશે જે મુજબ ૬૮૫ કેસ નોંધાવાની શક્યતા રહેલી છે. નવા વર્ષમાં ૭૦૯ કેસ અને ભાઇબીજના દિવસે ૯૬૩ કેસ નોંધાશે. દિવાળીની રજાઓ લોકો સહ પરિવાર હરવા-ફરવા જતા હોવાથી વાહન અકસ્માતના કેસ સામાન્ય દિવસ કરતા વધુ નોંધાતા હોય છે. સામાન્ય દિવસોમાં વાહન અકસ્માતના રોજના ૩૮૧ જેટલા કેસ આવતા હોય છે.

પેટમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ભારે તાવ, બેભાન થવું, દાઝી જવાના કેસમાં વધારો જોવા મળશે. જિલ્લાવાર કરાયેલા ફોરકાસ્ટમાં જણાવાયું છેકે અમદાવાદમાં આ વર્ષે દિવાળીના દિવસે ઇમરજન્સીને લગતા ૭૩૦ કેસ નોંધાશે. નવા વર્ષે ૭૮૯ કેસ અને ભાઇબીજના દિવસે ૮૩૦ કેસ નોંધાશે. અમદાવાદમાં અનુક્રમે ૨૧.૬૭ ટકા, ૩૧.૫૦ ટકા અને ૩૮.૩૩ ટકાનો વધારો જોવા મળશે.

ઇમરજન્સી સેવાના અધિકારીઓના જણાવ્યા મુજબ લોકોએ તહેવારના દિવસે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ખાદ્યપદાર્થો ખાવાથી માંડીને ફટાકડા ફોડવા તેમજ બહાર ગામ હરવા-ફરવા જતા સુધી સતર્ક રહેવાની જરૂર છે કે જેથી અકસ્માત સહિતના ઇમરજન્સી કેસો ઘટાડી શકાય.

દિવાળીના દિવસોમાં શું કરવું જોઇએ ?

- દરેકે કોરોનાની રસી લઇ લેવી જોઇએ

- કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવું જોઇએ

- ફટાકડા ફોડતા પહેલા સલામતીને પ્રાધાન્ય આપવું

- કાનની રક્ષા માટે ઓછા અવાજવાળા ફટાકડા ફોડવા જોઇએ

- ઘરની બહાર અને ખુલ્લી જગ્યામાં ફડાકડા ફોડવા

- આખું શરીર ઠંકાય તેવા કોટનના  ટાઇટ કપડા પહેરવા

- ઘરમાં બનાવેલી વાનગીઓ આરોગવી 

- દાઝી જવાના કિસ્સામાં તે ભાગે ઠંડા પાણીથી ૨૦ મિનિટ ધોવો જોઇએ

- ફટાકડા ફોડતી વખતે બુટ-ચંપલ પહેરવા જોઇએ

- સળગેલા તારામંડળ ધાબા પર ફેંકી દેવા જોઇએ

શું ના કરવું જોઇએ ?

- ફેક્ટરી પરિસરમાં ફટાકડા ફોડવા ન જોઇએ

- ફટાડકા ફોડવામાં કાચની બોટલનો ઉપયોગ ન કરવો

- ફટાડકા ફોડતી વખતે સિન્થેટિક કપડા ન પહેરવા જોઇએ

- ફટાકડા ફોડતી વખતે બાળકોને એકલા ન મૂકો

- ફટાકડા ફોડતી વખતે ઝાડ અને વીજ વાયરોથી દુર રહો

- માવા અને કોયાની મીઠાઇ ખાવાનું ટાળો

- અસ્થમાના દર્દીઓએ ઘરની બહાર ન નીકળવું


https://ift.tt/3BnADOd

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...