Skip to main content

આજે સરદાર પટેલ જયંતિ, મનપાને પ્રતિમા સાફ કરવાનુ યાદ ના આવ્યુ



- શહેરના સરદારબાગની હાલત ખરાબ, ફરવા આવતા લોકોમાં કચવાટ

- પક્ષી ઘરમાં કેટલાક પક્ષીના મૃત્યુ, કેટલાક ઈજાગ્રસ્ત : ફુવારા પણ ઘણા સમયથી બંધ 

ભાવનગર : આવતીકાલે તા. ૩૧ ઓકટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે પરંતુ સરદારબાગની ખરાબ હાલત જોવા મળી રહી છે. સરદાર પટેલની પ્રતિમાની પણ સફાઈ કરવામાં આવી નથી તેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. 

ભાવનગર શહેરના સરદારબાગ (પીલગાર્ડન)માં મહાપાલિકા દ્વારા હજુ બે વર્ષ પૂર્વે કરોડો રૂપીયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને રીનોવેશન કરવામાં આવ્યુ હતુ પરંતુ હાલ પીલગાર્ડનની ખરાબ હાલત જોવા મળી રહી છે. આવતીકાલે રવિવારે સરદાર પટેલની જન્મ જયંતિ છે પરંતુ સરદારબાગમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાની સફાઈ પણ કરવાનુ મહાપાલિકાના ગાર્ડન વિભાગને સુજ્યુ ના હોય તેમ પ્રતિમા પર ધુળ, ચરક જોવા મળ્યુ હતુ તેથી જાગૃત નાગરીકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. સરદારબાગના પક્ષી ઘરમાં બે પક્ષીના મૃત્યુ થયા હતા અને આશરે ૩ પક્ષી ઈજાગ્રસ્ત હોવાનુ જાણવા મળેલ છે. આ અંગે ગાર્ડન વિભાગના અધિકારી કે.કે.ગોહિલને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, એક કબુતરનુ મૃત્યુ થયુ હતુ તેનો મૃતદેહ લઈ લેવામાં આવેલ છે, પક્ષી ઈજાગ્રસ્ત હોવાનુ જાણવા મળેલ નથી. 

સરદારબાગના ફુવારા પણ ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે પરંતુ કોઈ કારણસર ફુવારા શરૂ કરવામાં આવતા નથી. પીલગાર્ડનમાં વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે તેથી ફરવા આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, સરદારબાગમાં સુવિધાના નામે ખાસ કંઈ નથી અને છતા મનપાએ થોડા દિવસો પૂર્વે પ્રવેશ સહિતની ફી વસુલવાનુ શરૂ કરતા વિરોધ થયો હતો તેથી ફીનો નિર્ણય પરત લેવામાં આવ્યો હતો. સરદારબાગના મામલે મનપાએ યોગ્ય પગલા લેવા જરૂરી છે. 

https://ift.tt/3CvuWzj

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

આજે શહેરના વોર્ડ નં.6ની એક બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે

- રવિવારે માત્ર 29.45 ટકા જેટલું નિરસ મતદાન થયું હતું - આ બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાયું સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નગરપાલીકાનાં વોર્ડનં-૬ની યોજાયેલ પેટા ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનુ છે. માત્ર ૨૯.૪૫ ટકા નિરસ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે કોનું નસીબ ખુલશે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકાના વોર્ડ-૬ની એક બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં માત્ર ૨૯.૫૪ ટકા જ મતદાન થયુ હતુ. આજે મતગણતરી થવાની છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ એક સદસ્યએ રાજીનામુ આપી દીધુ હતુ.  અનેક પાયાની સુવિધાથી વંચિત વોર્ડમાં આ વખતે નિરસ મતદાનમાં મતદારોની નારાજગી વ્યકત થઈ હોવાનું મનાય છે. અનેક મતદારોએ મત આપવા જવાનું ટાળીને પોતાની નારાજગી વ્યકત કરી છે. તો ૨૯.૫૪ ટકા મતદારોએ મત આપ્યા છે. તેમા નગર પાલીકાના ભાજપના શાસકો પર વિશ્વાસ અકબંધ રાખ્યો છે કે પરિવર્તનની દીશામાં મતદાન કર્યુ છે તે આજનું પરિણામ નક્કી કરશે. ભાજપ અને આમઆદમી પાર્ટીએ આ વોર્ડમાં પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા ...