Skip to main content

છાણીમાં રિક્ષાનું વેલ્ડિંગ કરતી વખતે આગ લાગતાં વેલ્ડરનું મોતઃ મદદને બદલે લોકો રેેકોર્ડિંગ કરતા હતા


વડોદરાઃ  શહેરના છાણી વિસ્તારના એક ગેરેજમાં આજે સાંજે એક રિક્ષામાં વેલ્ડિંગ દરમિયાન અચાનક લાગેલી આગમાં વેલ્ડિંગ કામ કરતા ગેરેજના સંચાલકનું મોત નીપજ્યું હતું.

છાણી ગુરૃદ્વારા સામે આવેલા મોહન ગેરેજમાં આજે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં બનેલા બનાવને પગલે આસપાસના લોકો અને વાહનચાલકો હેતબાઇ ગયા હતા.આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક તબક્કે વેલ્ડિંગ કરતી વખતે કોઇ કારણસર આગ લાગી હોવાનું મનાય છે.

ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,ગેરેજ ચલાવતા હુસૈનખાન પઠાણ રિક્ષાની નીચે વેલ્ડિંગ કરતા હશે અને તે દરમિયાન આગ લાગી હોવી જોઇએ.રીપેરિંગ માટે આવેલી રિક્ષામાં કાપડ જેવો માલ ભરેલ હોવાનું પણ જણાઇ આવતાં પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

ફાયર બ્રિગેડના અધિકારીનું માનવું છે કે,આગ લાગવાને કારણે મિકેનિકને  બહાર નીકળવાની તક નહીં મળી હોય અને તેને કારણે તેઓ રિક્ષાની નીચે દબાયા હોવા જોઇએ તેમજ બીજીતરફ આગમાં લપેટાતાં શરીરના કેટલાક ભાગોએ ઇજા થઇ હતી.જેથી મોતનું ચોક્કસ કારણ જાણવા છાણી પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટર્મ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે લોકો ઘટનાનું રેકોર્ડિંગ કરી રહ્યા હતા

કોઇએ ફાયર બ્રિગેડને કોલ ના કર્યો, મેયરના ડ્રાઇવરે કોલ કર્યો

છાણીના ગેરેજમાં લાગેલી આગના બનાવમાં જો કોઇએ હિંમતભેર પ્રયાસ કર્યો હોત તો મિકેનિક હુસૈનખાન બચી જાય તેવી શક્યતા હતી.

ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર હર્ષવર્ધન પુવારે કહ્યું હતું કે,બનાવના સ્થળે મોટો બ્લાસ્ટ થયો હોય તેમ જાણવા મળ્યું નથી.ઉપરોક્ત સ્થળે અમે પહોંચ્યા ત્યારે લોકોનું ટોળું જામેલું હતું અને બચાવવાને બદલે અનેક લોકો વીડિયો શૂટિંગ કરી રહ્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે,આગનો બનાવ બન્યો ત્યારે એકઠા થયેલા લોકોમાંથી ફાયર બ્રિગેડને કોઇએ કોલ પણ કર્યો નહતો.નોકરી પરથી ઘેર જતા મેયરના ડ્રાઇવર પંકજ ગોહિલે ટોળું જોતાં બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

https://ift.tt/3mv8Rv4

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...