Skip to main content

ગિરનાર રોપ-વેની ટિકિટના દર નહીં ઘટે તો આંદોલનની ચીમકી



- તમામ માટે 150 અને બાળકો, વૃદ્ધો માટે 50 રૂપિયા ટિકિટ રાખો

- સામાન્ય જનતાને નથી મળ્યો કોઈ ફાયદો, વર્ષે 36 કરોડની આવકમાંથી સરકારે પણ જીએસટી પેટે 18 ટકા રળી લીધા!

જૂનાગઢ : જૂનાગઢના ગિરનાર રોપવેને એક વર્ષ પૂર્ણ થયું પરંતુ રોપવેના વધુ પડતા ટિકિટના દરના લીધે હજુ વિરોધ યથાવત છે. રોપવે બનતા  સામાન્ય જનતાને કોઈ ફાયદો થયો નથી.આ મુદ્દે આજે સીપીએમ અને કોંગ્રેસે રોપવેના ટિકિટના દર ઘટાડવાની માંગ સાથે કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી આ મામલે દરમ્યાનગીરી કરવા રજૂઆત  કરી છે .

હાલ જૂનાગઢના ગિરનાર રોપ-વેમાં   પ્રવાસીઓ પાસેથી   ૭૦૦ રૂપીયા  તેમજ જૂનાગઢ શહેરના લોકો માટે  ૬૦૦રૂપીયા લેવામાં આવે છે.આ ભાવ વધારા સામે જૂનાગઢના સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા અવારનવાર  રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં ગિરનાર રોપ-વે ને એક વર્ષ પૂર્ણ થયુ છે. ત્યારે રોપ-વે કંપનીના વધુ ભાવ થી જનતાના એક વર્ષની ટિકિટ ની આવક રૂપિયા ૩૬ કરોડ થઇ છે. તેમાં સરકારને પણ  ૧૮ ટકા જીએસટીની આવક થઈ છે. રોપ-વેમાં વર્ષ દરમ્યાન ૬.૬૦ લાખ  પ્રવાસીઓ એ જ રોપ-વે ની સફર કરી છે. ટિકિટ ના  ભાવ વધુ હોવાથી ગરીબ અને સામાન્ય લોકો  રોપ-વે માં મુસાફરી કરી શકતા નથી. અને રોપ-વે બની ગયો હોવા છતા સામાન્ય લોકોને  કોઈ ફાયદો થયો નથી. આજે સીપીએમ અને કોંગ્રેસે સયુંકત રીતે   આ રોપ- વે ના ટિકિટના ભાવ તાત્કાલિક ઘટાડવાની માંગ ઘટાડવાની માંગ સાથે કલેકટર મારફત મુખ્યમંત્રીને  આ આવેદનપત્ર આપ્યું હતું.    તમામ લોકો માં અંબાજી અને ગિરનાર ના દર્શને જઈ શકે અને સૌ લોકો તેનો લાભ લઈ શકે એ માટે તમામ પ્રવાસીઓ માટે ૧૫૦ રૂ, બાળકો માટે ૫૦ રૂપીયા,વૃદ્ધો માટે ૫૦ રૂપીયા દિવ્યાંગ માટે ૫૦ રૂપીયા રાખવામાં આવે એવી માંગ કરી હતી.

આ મુજબ નો રોપ-વેની  ટિકિટ  નક્કી કરવામાં નહિ આવે તો આંદોલન કરવા  ચિમકી પણ આપવામાં આવી છે.

https://ift.tt/2XVGeOj

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

આજે શહેરના વોર્ડ નં.6ની એક બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે

- રવિવારે માત્ર 29.45 ટકા જેટલું નિરસ મતદાન થયું હતું - આ બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાયું સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નગરપાલીકાનાં વોર્ડનં-૬ની યોજાયેલ પેટા ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનુ છે. માત્ર ૨૯.૪૫ ટકા નિરસ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે કોનું નસીબ ખુલશે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકાના વોર્ડ-૬ની એક બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં માત્ર ૨૯.૫૪ ટકા જ મતદાન થયુ હતુ. આજે મતગણતરી થવાની છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ એક સદસ્યએ રાજીનામુ આપી દીધુ હતુ.  અનેક પાયાની સુવિધાથી વંચિત વોર્ડમાં આ વખતે નિરસ મતદાનમાં મતદારોની નારાજગી વ્યકત થઈ હોવાનું મનાય છે. અનેક મતદારોએ મત આપવા જવાનું ટાળીને પોતાની નારાજગી વ્યકત કરી છે. તો ૨૯.૫૪ ટકા મતદારોએ મત આપ્યા છે. તેમા નગર પાલીકાના ભાજપના શાસકો પર વિશ્વાસ અકબંધ રાખ્યો છે કે પરિવર્તનની દીશામાં મતદાન કર્યુ છે તે આજનું પરિણામ નક્કી કરશે. ભાજપ અને આમઆદમી પાર્ટીએ આ વોર્ડમાં પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા ...