Skip to main content

રાજસ્થાન સેવા સમિતિને બધી પ્રોક્સી રદ કરી ફિઝિકલ વોટિંગ જ કરાવો



(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર

રાજસ્થાન સેવા સમતિની ચૂંટણીમાં પ્રોક્સીને મુદ્દે ભારે વિવાદ થયો છે. રાજસ્થાન સેવા સમિતિના વર્તમાન મેનેજમેન્ટ એકતા પેનલની વધુ પ્રોક્સી આવ્યાનું જાણ થતાં એકતા પેનલની વધુ પ્રોક્સી રદ બાતલ ઠેરવીને તેમની વિજયી સરસાઈને તોડી નાખવાનો પ્રયાસ કર્યો છે. એકતા પેનલનો આક્ષેપ છે કે રાજસ્થાન સેવા સમિતિના ૧૪૨૯ સભ્યની કુલ ૧૪૪૨ પ્રોક્સી આવી હતી. તેમાંથી એકતા પેનલની ૭૫૪ પ્રોક્સી હતી. તેમની પ્રોક્સીમાં સરસાઈ હતી. આ સરસાઈ ખતમ  કરવાનો તેમણે ખેલ કર્યો હતો. ડુપ્લીકેટ પ્રોક્સી ૨૭૩ કેન્સલ કરવા ઉપરાંત તેમની ૧૭૨ બીજી પ્રોક્સી કેવાયસીને નામે કેન્સલ કરી હતી. તેની સામે તટસ્થ હોવાનો દેખાવ કરવા માટે તેમની સંસ્કાર પેનલના અંદાજે ૬૦ જણની પ્રોક્સી પણ રદ કરી હતી. આ સંજોગોમાં એકતા પેનલની મતો તૂટી જાય તો સંસ્કાર પેનલના વિજયનો રસ્તો ખૂલી જાય તેવો ખેલ પાડયો હતો. તેથી એકતા પેનલે તેનો વિરોધ કર્યો હતો. એકતા પેનલે કેવાયસી આપ્યા છતાંય તેમણે તે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો  હતો.

આ પ્રોક્સી રદ કરવા માટેના કારણો કેવાયસીના છે કે સહી મિસમેચિંગના છે તે અંગે વ્યવસ્થિત કારણ આપતા નથી. કેવાયસીમાં ૨૫થી ૩૦ વર્ષ પહેલા કરેલી અને અત્યારે કરેલી સહીમાં થોડો તફાવત આવી જાય તે સહજ છે. પરંતુ તેઓ તેમને ગણતરીમાં લેવા જ તૈયાર થયા નથી. આ સંજોગોમાં કેવાયસી ન સ્વીકારીને પણ વર્તમાન મેનેજમેન્ટે તેમના જીતનો રસ્તો મોકળો કરવાનો પ્રયાસ કર્યો છે. એકતા પેનલને વધુ પ્રોક્સી મળી હોવાથી તેમના વિજયની નિશ્ચિતતા જણાતા સંસ્કાર પેનલે પ્રોક્સીનું તૂત ઊભું કર્યું હતું. ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરેલા હિરાચંદ હૂંડિયા ચૂંટણી લડી રહેલા ઉગમરાજ હૂડિયાને સગા ભાઈ છે. તેમની માનસિકતા એકતા પેનલને તોડી પાડવાની હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. પ્રોક્સીના મૂળમાં તેમના જ પક્ષપાતી નિર્ણયો જવાબદાર છે. આ વિવાદનો અંત લાવવા માટે પી.આર. કાંકરિયાએ તમામ પ્રોક્સી રદ કરીને ફિઝિકલ વોટિંગ જ યોજવાનું સૂચન કર્યું છે. આ સૂચને પણ વર્તમાન મેનેજમેન્ટ કે વર્તમાન મેનેજમેન્ટની તરફેણમાં ચૂંટણી લડતા ઉગમરાજના સગાં ભાઈ અને ચૂંટણી અધિકારી હિરાચંદ સ્વીકારવા તૈયાર નથી. 

પ્રોક્સી માટે કેવાયસી આપવા જરૃરી હોવાનું અગાઉથી જણાવવામાં આવ્યું જ નહોતી.ું પરિણામે કેવાયસીને આગળ ધરીને પ્રોક્સી રદ કરવી કાયદેસર નથી. સંસ્થાના ઇતિહાસમાં કેવાયસીને નામે  પ્રોક્સીને રદ કરવાનું સંસ્થાને ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. રાજસ્થાન સેવા સમિતિના કાયમી સભ્ય શીતલ અગ્રવાલે ૨૦૧૮ની આઠમી ઓક્ટોબરે રાજસ્થાન સેવા સમિતિના હોદ્દેરારો સામે પોલીસ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ ૧૯૭૨માં મૃત્યુ પામેલા સભ્ય નંદલાલ દાનમલની પ્રોક્સી ઊભી કરવા અંગેની હતી. તેથી ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૧૫૪ હેઠળ લેખિત ફરિયાદ નોંધવામાં આવી હતી. આ અંગે પોલીસ કમિશનરની કચેરીએ તપાસનો આદેશ આપતા તેમાં ગુનો બનતો હોવાનું જણાયું હતું. આ ગુનો દાખલ કરીને પોલીસ કમિશનરને જાણ કરવા તેમ જ એફઆઈઆરની નકલ મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. તેમએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટ નંબર ૧૮માં આગોતરા જામીન માટે પણ અરજી કરી હતી. આ અરજી પણ ન્યાયમૂર્તિએ નામંજૂર કરી છે. તેથી માધુપુરા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ ન નોંધાય તે માટે તેઓ છેલ્લા દસ દિવસથી દબાણ લાવી રહ્યા છે.આ માટે આગોતરા જામીન મેળવવાના તેમના પ્રયાસો નાકામિયાબ રહ્યા છે. 

તદુપરાંત રાજસ્થાન હોસ્પિટલની ચૂંટણી આવનારા દિવસોમાં થનારી છે. આ ચૂંટણી અત્યારે ન થવાની હોવાથી જ ઉમેદવારીપત્રક અત્યારે આપવામાં આવ્યા નથી. ચૂંટણીનો નવો કાર્યક્રમ નક્કી થશે તે પછી તમામને ઉમેદવારીપત્રક આપવામાં આવશે. 

( દોઢ કોલમ બોક્સ)

રાજસ્થાન સેવા સમિતિના ૨૩ ટ્રસ્ટીઓને કોર્ટે માન્યતા આપી જ નથી

રાજસ્થાન સેવા સમિતિના ૫૧ લાખનું ડોનેશન આપનારા ૨૩ ટ્રસ્ટીઓને મુદ્દે પીટીશન થઈ જ નથી. તેથી તેમની પિટીશન કાઢી નાખવાનો કે તેને માન્યતા આપી દેવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. કોર્ટે રાજસ્થાન સેવા સમિતિમાં ૨૩ ટ્રસ્ટીઓને રેગ્યુલર કરવાનો ઓર્ડર આપ્યો જ નથી. આમ રાજસ્થાન સેવા સમિતિના ૨૩ ટ્રસ્ટીઓને રેગ્યુલર કરી દેવામાં આવ્યા હોવાની વાત સત્યથી વેગળી છે. ૫૧ લાખનું ડોેનેશન આપનારા ૨૩ ટ્સ્ટીઓને કોર્ટે માન્યતા આપી નથી. આમ ગણપત ચૌધરીને સંસ્કાર પેનલે મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. 

ગણપત ચૌધરીએ ૮ કરોડ ડોનેશન આપવાની 

માત્ર જાહેરાત કરી, નાણાં તો આપ્યા જ નથી

ગણપત ચૌધરીએ શાળાનું નવું મકાન તૈયાર કરવા માટે રૃા.  ૮.૦૧ કરોડનું ડોનેશન આપવાની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ તેમણે વાસ્તવમાં ૧.૫૦ કરોડની આસપાસનું ડોનેશન જ અત્યાર સુધીમાં આપ્યું છે. વાસ્તવમાં તેમણે રૃા. ૬.૫ કરોડ રૃપિયા તેમનું નામ જોડાય તે પછી આપવાની શરત મૂકી છે. આ રીતે ગણપત ચૌધરી સમગ્ર સંસ્થા પર પોતાનો કબજો જમાવી દેવાનો ઇરાદો ધરાવે છે. પરંતુ નામ આપવાને મુદ્દે વિવાદ થયો છે. ત્યારબાદ ચૂંટણી અને પ્રોક્સી અંગે પણ વિવાદ થયો છે. તેથી તેમના વિજયની શક્યતા પર પાણી ફરી વળવાની સંભાવના રહેલી છે.


https://ift.tt/3bnM26c

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...