Skip to main content

ગાય, ગૌચર અને વસાહતના મામાલે માલધારીઓ ઉગ્ર આંદોલન કરશે


અમદાવાદ,તા.28 ઓક્ટોબર 2021, ગુરૂવાર

અમદાવાદમાં આનંદનગર ખાતે ગઇકાલે માલધારી સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં ગાય, ગૌચર અને માલધારી વસાહતના મામલે સરકારના બેવડા ધોરણો અને નિષ્ફળ રણનીતિ અંગે ચર્ચા થવા પામી હતી. માલધારીઓના અસ્તિત્વના પ્રશ્નને લઇને લડી લેવા માટે આંદોલનની રૂપરેખા ઘડાઇ રહી છે. જેના અનુસંધાનમાં માલધારી આગેવાનોએ શહેરભરમાં અને આજુબાજુના ગામડાઓમાં બેઠકોનો દોર આરંભી દીધો છે. આગામી દિવસોમાં આ આંદોલનને ઉગ્ર બનાવવાની નેમ રખાઇ છે.

સ્માર્ટસિટીમાં માલધારીઓ રોજી રોટી વગરના અને મકાન વગરના થઇ જશે તેવા ભયના કારણે માલધારી પરિવારો ચિંતામાં મુકાઇ ગયા છે. સરકાર કોઇ ઠોસ પગલા લેતી નથી, મધ્મમ માર્ગ કાઢતી નથી. જેના કારણે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. 

આ અંગે માલધારી એકતા સમિતીના પ્રમુખ નાગજીભાઇ દેસાઇના જણાવ્યા મુજબ સરકારની નીતિ ખોટી છે. અમદાવાદને સ્માર્ટસિટી બનાવવી છે પરંતુ તેના માટે જે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી પડે, માળખું તૈયાર કરવું પડે તે સરકારે કર્યું નથી. માલધારીઓને અને ગાયોને  શહેરમાંથી ખદેડી દેવાથી સ્માર્ટસિટી નહીં બની જાય. 

શહેરની બહાર માલધારી વસાહતો બનાવો, ગાયોના નિભાવ માટે ગૌચરની જગ્યા ખાલી કરાવો, શહેરની બહાર વાડા અને વસાહતો તાત્કાલિક ધોરણે ઉભી કરો. શહેરની આજુબાજુના ૩૮ જેટલા ગામડાઓ શહેરમાં ભેળવી દીધા છે ત્યાંના પશુઓ ક્યાં જશે, ત્યાંના માલધારીઓ, ખેડૂતો ક્યાં જશે તેનો વિચાર સુદ્ધા સરકારે કર્યો નથી. ગામડાઓને શહેરમાં ભેળવી દઇને શહેરીકરણ કરી દેવું છે પરંતુ ત્યાં વર્ષોથી, પેઢીઓથી રહેતા પશુપાલકોના ભવિષ્યની ચિંતા કરવી નથી.

શહેરન'ે કેટલ ફ્રી ઝોન ' બનાવવાની વાતને માલધારીઓ પણ આવકારે છે પરંતુ સરકારે પહેલા વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી જોઇએ. માલધારીઓ સાથે આ અંગે ચર્ચા કરવી જોઇએ. તેમના વાધાં-સુચનો લેવા જોઇએ. ફક્ત એકતરફી નિર્ણય લઇને એક સમાજને અંધકારમાં ધકેલી દેવો ન જોઇએ.

માલધારી આગેવાનોએ શહેરભરમાં બેઠક યોજી માલધારીઓને લડત માટે તૈયાર કરવાની રણનીતિ અપનાવી છે. સરકારના અત્યાચાર, ભેદભાદ, પક્ષપાતપણાનો વિરોધ કરવા રોડ પર ઉતરી આવવા, આંદોલનો ચલાવવાની તૈયારીઓ હાથ ધરાઇ છે. આગામી સમયમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરવામાં આવશે. 

https://ift.tt/2XThRk7

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...