Skip to main content

પેટલાદ પાલિકાના વોર્ડ નં. 1 ની પેટાચૂંટણીમાં 62 ટકા મતદાન



- આજે મતગણતરી હાથ ધરવામાં આવશે

- નોંધાયેલા 5204 મતદારો પૈકી 3228 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

આણંદ, વલ્લભવિદ્યાનગર : રવિવારના રોજ યોજાયેલી પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં.૧ની પેટાચૂંટણીમાં નોંધાયેલા ૫૨૦૪ મતદારો પૈકી ૩૨૨૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા ૬૨.૦૩ ટકા મતદાન નોંધાયું હતું. જો કે ભાજપ દ્વારા ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરાતા હોબાળો મચતા થોડીવાર માટે મતદાન અટક્યું હોવાના અહેવાલ સાંપડયા છે.

વધુમાં મળતી વિગતો મુજબ રવિવારના રોજ યોજાયેલ પેટલાદ નગરપાલિકાના વોર્ડની ૧ની પેટાચૂંટણી સંદર્ભે બે મતદાન મથકો ખાતે ઉભા કરાયેલ પાંચ બુથો ખાતે સવારના ૭ઃ૦૦ કલાકથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં.૧ની પેટાચૂંટણીમાં નોંધાયેલા ૫૨૦૪ મતદારો પૈકી સાંજના ૬ઃ૦૦ કલાક સુધીમાં ૩૨૨૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા ૬૨.૦૩ ટકા મતદાન નોંધાયું હતું. વહેલી સવારથી જ બે મતદાન મથકો ખાતે આવેલ પાંચ બુથો ખાતે મતદારોની લાઈનો લાગી ગઈ હતી. જો કે બપોરના સુમારે મતદાન પ્રક્રિયા મંદ પડી હતી અને ત્યારબાદ અંતિમ કલાકોમાં ઉમેદવારના સમર્થકો દ્વારા મતદાતાઓને મત આપવા જવા સમજાવ્યા હતા. દરમ્યાન બુથ મથકની બહાર બેઠેલા ભાજપના સમર્થકો દ્વારા મતદારોને ભાજપના ઉમેદવારનો ક્રમાંક નંબર ૨ લખેલ ચબરખીઓ આપવામાં આવતા આપના ઉમેદવારના સમર્થકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેથી થોડા સમય માટે વાતાવરણમાં તંગદીલી ફેલાઈ જવા પામી હતી. જો કે પોલીસ સમયસર ઘટનાસ્થળે પહોંચી જતા મામલો થાળે પડયો હતો. આવતીકાલે એટલે કે તા.૩૦મી નવેમ્બરને મંગળવારના રોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરનાર છે.


https://ift.tt/32LctBR

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...