Skip to main content

ઓઢવમાં ગટર ઉભરાવાનો પ્રશ્ન કાયમી બન્યો, રહીશો ત્રાહિમામ


અમદાવાદ,તા.28 નવેમ્બર 2021,રવિવાર

ઓઢવ વલ્લભનગર સ્કૂલ, તેની સામે આવેલી બીએસએનએલની કચેરી તેમજ એસબીઆઇ બેંક તરફનો આરો રોડ ગટરોના ઉભરાતા પાણીથી ખદબદી રહ્યો છે. વર્ષો જુની આ સમસ્યાના ઉકેલમાં મ્યુનિ.તંત્ર સદંતર નિષપળ રહ્યું છે. રાહદારીઓ હેરાન થઇ રહ્યા છે. વાહનોની અવર-જવરથી ગંદુ પાણી ઉડતા લોકોના કપડા ગંદા થઇ રહ્યા છે. છેલ્લા પંદરેક દિવસથી સતત ગટર ઉભરાઇ રહી છે.

ઓઢવ ફાયર સ્ટેશન અને તેની આજુબાજુનો ભાગ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી વરસાદી પાણી ભરાવું, ગટરો બેક મારવી આ સમસ્યા સામાન્ય બની ગઇ છે. મ્યુનિ.તંત્ર કાયમી ઉકેલ લાવી શક્યું નથી. ફાયરબ્રિગેડની બાજુમાં આરસીસી રોડ બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ સારી કામગીરી છે પરંતુ ગટરનો પ્રશ્ન પણ ઉકેલવામાં આવે તેવું રહીશો જણાવી રહ્યા છે. જોકે ગટર લાઇનનો પ્રશ્ન ઉકેલવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ તેના પરિણામ દેખાઇ રહ્યા નથી.

વલ્લભનગર સ્કૂલના ગેટ પર જ ગટરના પાણી ફરી વળ્યા છે. સ્કૂલો ચાલુ થઇ ગઇ છે. બાળકો સ્કૂલે આવતા થઇ ગયા છે. ત્યારે આ ગંદકીના કારણે માખી-મચ્છરના લીધે બાળકોને ડેન્ગ્યૂ, મલેરિયા સહિતના રોગ થવાની પુરેપુરી શક્યતા છે. નવાઇની વાત એ છેકે ગટરના ગંદા પાણી આખો દિવસ રોડ પર રેલાયેલા રહે છે છતાંય મ્યુનિ.તંત્ર દ્વારા દવા છંટકાવ જેવી પ્રાથમિક કામગીરી પણ કરવામાં આવી રહી નથી.

એક બાજુ ગટર ઉભરાય છે બીજી બાજુ બીઆરટીએસ રૂટ અને ત્રીજી બાજુ પેટ્રોલપંપના કારણે આ રોડ પર ટ્રાફિકજામ આખો દિવસ રહે છે. પેટ્રોલપંપમાં પેટ્રોલ પુરાવા માટે વાહનચાલકો રોંગ સાઇડમાં આવતા હોવાથી સામેથી આવતા વાહનો નીકળી શકતા નથી. જેના કારણે વાહનોની લાંબી લાઇન લાગી જાય છે. અકસ્માત થઇ રહ્યા છે. ટ્રાફિકજામ થઇ રહ્યો છે. રોંગસાઇડ જતા વાહનોને રોકવામાં આવે અને જાહેર તેમજ સાંકળા રોડ પર ટ્રાફિકજામ-અકસ્માતની સમસ્યા નિવારવા માટે કડક પગલા લેવામાં આવે તેવી માગ ઉઠી છે.

https://ift.tt/3xwcswM

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...